________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૭૬
पुद्गलकर्म जानतो जीवस्य सह पुद्गलेन कर्तृकर्मभावः किं भवति किं न भवतीति ચેત
ण वि परिणमदि ण गिण्हदि उप्पज्जदि ण परदव्वपज्जाए। णाणी जाणतो वि हु पोग्गलकम्मं अणेयविहं।। ७६।।
नापि परिणमति न गृह्णात्युत्पद्यते न परद्रव्यपर्याये।
ज्ञानी जानन्नपि खलु पुद्गलकर्मानेकविधम्।। ७६।। હવે પૂછે છે કે પુદ્ગલકર્મને જાણતા એવા જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ (કર્તાકર્મપણું ) છે કે નથી? તેનો ઉત્તર કહે છે:
વિધવિધ પુદ્ગલકર્મને જ્ઞાની જરૂર જાણે ભલે,
પદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૬. ગાથાર્થ- [ જ્ઞાની ] જ્ઞાની [ કનેવિયર્] અનેક પ્રકારના [ પુત્ર] પુદ્ગલકર્મને [નાનનું ગ]િ જાણતો હોવા છતાં [r] નિશ્ચયથી [પદ્રવ્યપર્યાય] પરદ્રવ્યના પર્યાયમાં [ પ પરિણમત] પરિણમતો નથી, [ન ગૃતિ] તેને ગ્રહણ કરતો નથી અને ઉદ્યતે ] તે-રૂપે ઊપજતો નથી.
ટીકા- પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વલ્ય એવું, વ્યાપ્યલક્ષણવાળું (વ્યાપ્ય જેનું લક્ષણ છે. એવું) પુદ્ગલના પરિણામસ્વરૂપ જે કર્મ (કર્તાનું કાર્ય), તેનામાં પુદ્ગલ દ્રવ્ય પોતે અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતું, તે રૂપે પરિણમતું અને તે રૂપે ઊપજતું થયું, તે પુદ્ગલપરિણામને કરે છે; આમ પુદ્ગલદ્રવ્ય વડે કરવામાં આવતા પુદ્ગલપરિણામને જ્ઞાની જાણતો હોવા છતાં, જેમ માટી પોતે ઘડામાં અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, ઘડાને ગ્રહે છે, ઘડારૂપે પરિણમે છે અને ઘડારૂપે ઊપજે છે તેમ, જ્ઞાની પોતે બાહ્યસ્થિત (બહાર રહેલા) એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતો નથી, તે રૂપે પરિણમતો નથી અને તે રૂપે ઊપજતો નથી; માટે, જોકે જ્ઞાની પુદ્ગલકર્મને જાણે છે તોપણ, પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પરદ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ, તેને નહિ કરતા એવા તે જ્ઞાનીને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ નથી.
ભાવાર્થ- જીવ પુદ્ગલકર્મને જાણે છે તો પણ તેને પુદ્ગલ સાથે કર્તાકર્મપણું નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com