________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૪ ] જેમ જેમ આગ્નવોની નિવૃત્તિ થતી જાય છે તેમ તેમ વિજ્ઞાન જામતું જાય છે, ઘટ્ટ થતું જાય છે, સ્થિર થતું જાય છે, અર્થાત્ આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે.
જ્ઞાન જ્ઞાનમાં ઠરે, જ્ઞાન જ્ઞાનમાં જામ, જ્ઞાન જ્ઞાનમાં સ્થિર થાય તે વિજ્ઞાન છે અને તે મોક્ષમાર્ગ છે. આગળ જઈને તેનું ફળ કેવળજ્ઞાન આવશે. પરંતુ સ્વભાવમાં ઠર્યો જ નથી, આસ્રવથી-શુભાશુભભાવથી ભેદજ્ઞાન કર્યું જ નથી તેનું બધું જ્ઞાન અજ્ઞાન છે. પરલક્ષી શાસ્ત્રજ્ઞાનનો ઉઘાડ, પાંચ સમિતિ, ત્રણ ગુતિ ઇત્યાદિનું જ્ઞાન ભેદજ્ઞાનના અભાવમાં અજ્ઞાન છે, વિજ્ઞાન નથી. માટે શુભાશુભભાવથી ભિન્ન નિજ જ્ઞાતા-દષ્ટા સ્વરૂપ વસ્તુનું લક્ષ કરી એમાં જ ઠરતાં આત્માનો વિજ્ઞાનઘનસ્વભાવ પ્રગટ થાય છે અને ત્યારે તેને કર્તાકર્મની પ્રવૃત્તિ મટે છે.
હવે આ જ અર્થના કળશરૂપ તથા આગળના કથનની સૂચનિકારૂપ કાવ્ય કહે છે
* કળશ ૪૮ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * રુતિ વં' એ રીતે પૂર્વકથિત વિધાનથી, “સમ્રતિ' હમણાં જ (તરત જ) ‘પદ્રવ્યાત્' પરદ્રવ્યથી “પરાં નિવૃત્તિ વિરવચ્ચ' ઉત્કૃષ્ટ (સર્વ પ્રકારે) નિવૃત્તિ કરીને ‘વિજ્ઞાનવસ્વભાવ પર સ્વં સમયાંતુ નાસ્તિનુવા:' વિજ્ઞાનઘનસ્વભાવરૂપ એવા કેવળ પોતાના પર નિર્ભયપણે આરૂઢ થતો અર્થાત્ પોતાનો આશ્રય કરતો (અથવા પોતાને નિઃશંકપણે આસ્તિકયભાવથી સ્થિર કરતો), “જ્ઞાનોસ્થિતłર્મના વનેશત' અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિના અભ્યાસથી થયેલા કલેશથી નિવૃત્ત:' નિવૃત્ત થયેલો, ‘સ્વયં જ્ઞાનમૂત:' પોતે જ્ઞાનસ્વરૂપ થયો થકો, ‘નાત: સાક્ષી' જગતનો સાક્ષી ( જ્ઞાતા-દષ્ટા ), ‘પુરા: પુમાન' પુરાણપુરુષ (આત્મા) (ત: વાસ્તિ' અહીંથી હવે પ્રકાશમાન થાય છે.
આત્મા ત્રિકાળ જ્ઞાનાનંદસ્વભાવી છે. વિજ્ઞાનઘન એટલે શું? કે રાગનો એ કર્તા અને રાગ એનું કર્મ-એ આત્માનું સ્વરૂપ નથી. અહાહા..! આત્મા તો શુદ્ધ નિર્મળ ચૈતન્યઘનસ્વરૂપ એકરૂપ વસ્તુ છે. એટલે પર્યાયમાં જે પુણ્ય-પાપના-આસ્રવના ભાવ છે તેથી ભિન્ન પડી ભેદજ્ઞાન દ્વારા નિજ શુદ્ધ ચૈતન્યમય તત્ત્વનો અનુભવ કરતાં પોતે વિજ્ઞાન-ઘનસ્વભાવરૂપ થાય છે. કહ્યું ને કે સંપ્રતિ એટલે તરત જ પરદ્રવ્યથી સર્વ પ્રકારે નિવૃત્તિ કરીને વિજ્ઞાનઘનસ્વભાવરૂપ એવા પોતાના પર નિર્ભયપણે આરૂઢ થઈને કલેશથી-રાગથી નિવૃત્ત થાય છે. રાગથી નિવૃત્ત થાય છે એટલે વિજ્ઞાનઘનસ્વભાવરૂપ થાય છે. આ ધર્મ છે અને આ જ ઉપાય છે.
શરીર, મન, વાણી જડ છે. એનાથી તો આત્મા-શુદ્ધ ચૈતન્યમય વસ્તુ ભિન્ન છે જ. પણ પુણ્ય-પાપના ભાવ જે આસ્વભાવ એનાથી પણ વિજ્ઞાનઘન ભગવાન ભિન્ન છે. તથાપિ આત્મા પર્યાયમાં દુઃખી છે. તેને સુખ કેમ થાય એની આ વાત છે. પરદ્રવ્યથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com