________________
Version 001,a: remember to check htÎp://www.AtmaDharma.com for updates
ગાથા-૪૯
यद्येवं तर्हि किंलक्षणोऽसावेकष्टङ्कोत्कीर्णः परमार्थजीव इति पृष्टः प्राह
अरसमरूवमगंधं अव्वत्तं चेदणागुणमसद्दं।
जाण अलिंगग्गहणं जीवमणिद्दिद्वसंठाणं ।। ४९ ।।
अरसमरूपमगन्धमव्यक्तं चेतनागुणमशब्दम्। जानीहि अलिङ्गग्रहणं जीवमनिर्दिष्टसंस्थानम् ।। ४९ ।।
હવે શિષ્ય પૂછે છે કે એ અધ્યવસાનાદિ ભાવો છે તે જીવ નથી તો તે એક, ટંકોત્કીર્ણ, ૫૨માર્થસ્વરૂપ જીવ કેવો છે? તેનું લક્ષણ શું છે? એ પ્રશ્નનો ઉત્તર કહે છેઃ
જીવ ચેતનાગુણ, શબ્દ-૨સ-રૂપ-ગંધ-વ્યક્તિવિહીન છે, નિર્દિષ્ટ નહિ સંસ્થાન જીવનું, ગ્રહણ લિંગ થકી નહીં. ૪૯.
ગાથાર્થ:- હે ભવ્ય ! તું [ નીવર્] જીવને [અરસમ્] ૨સરહિત, [ અપક્] રૂપરહિત, [અન્ધમ્ ] ગંધરહિત, [અવ્ય ં] અવ્યક્ત અર્થાત્ ઇંદ્રિયોને ગોચર નથી એવો, [ ચેતનાનુળમ્ ] ચેતના જેનો ગુણ છે એવો, [અશક્] શબ્દરહિત, [ અભિગ્રહળ] કોઈ ચિહ્નથી જેનું ગ્રહણ નથી એવો અને [ અનિર્વિષ્ટસંસ્થાનમ્ ] જેનો કોઈ આકાર કહેવાતો નથી એવો [ાનીર્દિ ]
જાણ.
ટીકાઃ- જે જીવ છે તે ખરેખર પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી તેમાં ૨સગુણ વિધમાન નથી માટે અરસ છે. ૧. પુદ્દગલદ્રવ્યના ગુણોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ રસગુણ નથી માટે અરસ છે. ૨. પરમાર્થે પુદ્ગલદ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહિ હોવાથી તે દ્રવ્યેન્દ્રિયના આલંબન વડે પણ રસ ચાખતો નથી માટે અરસ છે. ૩. પોતાના સ્વભાવની દૃષ્ટિથી જોવામાં આવે તો ક્ષાયોપમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના આલંબન વડે પણ રસ ચાખતો નથી માટે અરસ છે. ૪. સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદનપરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક રસવેદનાપરિણામને પામીને રસ ચાખતો નથી માટે અ૨સ છે. ૫. (તેને સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન થાય છે પરંતુ ) સકલ શૈયજ્ઞાયકના તાદાત્મ્યનો ( –એકરૂપ થવાનો) નિષેધ હોવાથી રસના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં પણ પોતે રસરૂપે પરિણમતો નથી માટે અરસ છે. ૬. આમ છ પ્રકારે રસના નિષેધથી તે અ૨સ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com