SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૪૫ ] | [ ૪૩ કર્યો છે. તેથી અમે એમ જાણીએ છીએ કે તેનો નિષેધ કરીને ભગવાને સઘળાય પરાશ્રિત ભાવોનો નિષેધ કર્યો છે. આ પ્રમાણે શ્રી અમૃતચંદ્રાચાર્યે કહ્યું છે. આવી વાત કાને પડી ન હોય તેથી કેટલાક લોકો કહે છે કે-તમે કાંઈ (વ્રત, તપ, આદિ) કરવાનું તો કહેતા નથી ? પણ ભાઈ. નિજ શદ્ધાત્માનું જ્ઞાન કરવું. તેનું શ્રદ્ધાન કરવું. અને તેમાં રમણતા કરવી એ શું કરવાનું નથી? જ્યાં જેવડી ચીજ પડી છે તેનું જ્ઞાન કરવું, જ્યાં જેવડી ચીજ છે તેની પ્રતીતિ કરવી અને જ્યાં ચીજ છે તેમાં જ રમવું એ જ કરવાનું છે. આ સિવાય વ્રત, તપ, આદિ વ્યવહારના વિકલ્પ તો જગતને મારી નાખ્યું છે. પ્રશ્ન:- શુભભાવ એ પ્રશસ્ત વિકલ્પ છે ને? ઉત્તર:- ભાઈ, એ પ્રશસ્ત વિકલ્પ પણ નુકશાન કરનારો ભાવ છે, આત્માને ઘાયલ કરનારો ભાવ છે એમ પુણ્ય-પાપ અધિકારમાં કહ્યું છે. શ્રી સમયસાર કળશટીકા કળશ ૧૦૮માં કહ્યું છે કે અહીં કોઈ જાણશે કે શુભ-અશુભ ક્રિયારૂપ જે આચરણરૂપ ચારિત્ર છે તે કરવાયોગ્ય નથી તેમ વર્જવાયોગ્ય પણ નથી. ઉત્તર આમ છે કે-વર્જવાયોગ્ય છે, કારણ કે વ્યવહારચારિત્ર હોતું થયું દુષ્ટ છે, અનિષ્ટ છે, ઘાતક છે; તેથી વિષય-કષાયની માફક ક્રિયારૂપ ચારિત્ર નિષિદ્ધ છે.” રુચિમાં લોકોને આત્મા બેસતો નથી પણ રાગ બેસે છે. પરંતુ ભાઈ, એ રાગના પરિણામ તો દુઃખમાં સમાવેશ પામે છે. એ રાગાદિ ભાવો આત્માના ચૈતન્યસ્વભાવમાં પ્રતિષ્ઠા પામતા નથી તેથી તે પુગલસ્વભાવો જ છે. * ગાથા ૪૫ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * કર્મનો ઉદય આવે ત્યારે આ આત્મા દુઃખરૂપ પરિણમે છે અને દુઃખરૂપ ભાવ છે તે અધ્યવસાન છે. જઓ, કર્મના ઉદયના નિમિત્તે પરિણમે ત્યારે આત્મા રાગરૂપે. પણ ભાવરૂપે પરિણમે છે. એ શુભાશુભ રાગના પરિણામ છે તે દુઃખરૂપ છે. દુઃખરૂપ ભાવ છે તે અધ્યવસાન છે અને તે દુઃખરૂપ ભાવમાં અજ્ઞાનીને ચેતનાનો ભ્રમ ઉપજે છે; ખરેખર ચેતનાના પરિણામ છે નહિ. ભગવાન આત્મા તો જ્ઞાનાનંદસ્વરૂપ છે. દુઃખરૂપ ભાવમાં આત્મા છે એ તો ભ્રમ છે, પરમાર્થે દુઃખરૂપ ભાવ ચેતન નથી. પરમાર્થ એટલે? પરા કહેતાં ઉત્કૃષ્ટ, મા એટલે લક્ષ્મી. ઉત્કૃષ્ટ લક્ષ્મી એટલે અતીન્દ્રિય આનંદ અને જ્ઞાનની દશા જે પ્રગટે તે પરમાર્થ છે. લોકો, પરનો કાંઈ ઉપકાર કરે તેને પરમાર્થ કહે છે પણ એ પરમાર્થ નથી. પરનો ઉપકાર કરવાનો જે શુભભાવ છે એ તો દુઃખરૂપ ભાવ છે. એ ભાવમાં તો ચૈતન્ય છે જ નહિ. ‘મતમતમતિનનૈ..' એક કળશ ૨૪૪માં આવે છે કે આ પરમાર્થને એકને જ નિરંતર અનુભવો એટલે ઉત્કૃષ્ટ જ્ઞાન અને આનંદસ્વરૂપ વસ્તુ જે આત્મા છે તે એકને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008284
Book TitlePravachana Ratnakar 03
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy