SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૬૭ ] [ ૧૯૭ ભગવાન આત્મા શુદ્ધ વિજ્ઞાનઘનસ્વરૂપ છે અને એને પર્યાયમાં રાગ સાથે એક સમય પૂરતો સંયોગ સંબંધ છે. પરંતુ આ સંબંધ ત્રિકાળી દ્રવ્યમાં નથી. ‘ઘીનો ઘડો' કહેતાં જેમ ઘડો ઘીમય નથી, માટીમય જ છે તેમ ‘વર્ગાવિમર્ નીવ-નત્વને અપિ’ ‘વર્ણાદિવાળો જીવ-રંગ-રાગવાળો જીવ એમ કહેવા છતાં પણ ‘- નીવ: ન તન્મય:' જીવ છે તે વર્ણાદિમય નથી-રંગ-રાગમય નથી, પણ જ્ઞાનધન જ છે. જેમ ઘડો અને ઘી બે એક નથી, તદ્દન ભિન્ન છે, તેમ રાગ અને ભગવાન આત્મા તદ્દન ભિન્ન છે. રંગ-ગંધ આદિ જે ૨૯ બોલ લીધા છે તે બધાયમાં જીવ તન્મય નથી. પ્રવચનસારમાં કહ્યું છે કે શુભભાવ સાથે જીવ તન્મય છે અને અહીં કહે છે કે ‘નીવ: ન તન્મય:' જીવ તન્મય નથી તો એ કેવી રીતે છે? ભાઈ! એ તો પર્યાયમાં તન્મય છે એની વાત પ્રવચનસારમાં છે. રાગ પર્યાયમાં થાય છે, તે બીજે થાય છે કે અદ્વરથી છે એમ નથી. રાગ જે થાય છે તે પર્યાયમાં નથી એમ નથી. ત્યાં તો એનું પરિણમન સિદ્ધ કરવું છે તેથી એમ કહ્યું છે કે શુભથી પરિણમતાં શુભ, અશુભે પરિણમતાં અશુભ અને શુદ્ધે પરિણમતાં શુદ્ધ આત્મા છે. ત્યારે અહીં કહે છે કે-પર્યાયમાં રાગ હો તો હો, પરંતુ દ્રવ્યના સ્વભાવમાં રાગ તન્મય નથી. અહાહા ! જીવ છે તે રંગ-રાગમય નથી પણ શુદ્ધજ્ઞાનવન જ છે. ઘડો જેમ માટીમય જ છે, ‘માટીવાળો' એમ પણ નહિ. ‘માટીમય ' જ છે, તેમ ભગવાન આત્મા જ્ઞાનમય-જ્ઞાનથન જ છે. આત્મા જ્ઞાતાદષ્ટાના સ્વભાવથી તન્મય છે, એકમેક છે, પણ રાગથી તન્મય નથી. તેવી રીતે જીવ, જીવસ્થાન, માર્ગણાસ્થાન, સંયમ-લબ્ધિસ્થાન આદિ ભેદોથી તન્મય નથી. અહાહા ! ગજબ વાત છે! છેલ્લે ૬૮મી ગાથામાં કહેશે કે ગુણસ્થાનથી પણ તન્મય નથી. અહાહા! રંગ-રાગથી આત્મા તન્મય નથી એ તો ઠીક, પણ સંયમલબ્ધિનાં સ્થાન જે વિકાસરૂપ નિર્મળ ચારિત્રના ભેદરૂપ છે એનાથી પણ આત્મા તન્મય નથી. અભેદ વસ્તુમાં ભેદનો અંશ તન્મય થતો જ નથી. કષાયની મંદતાનાં વિશુદ્ધિસ્થાનો અસંખ્ય પ્રકારનાં છે. ભગવાન આત્મા તે પ્રશસ્ત શુભ રાગનાં સ્થાનોથી તન્મય નથી. અજ્ઞાનીએ શુભ રાગ વિનાનો આત્મા કદી જાણ્યો નથી. તેને કહે છે કે-‘શુભરાગવાળો જીવ છે તે જ્ઞાનમય છે.' એમ કહીને જીવને યથાર્થ ઓળખાવ્યો છે. જેમ ઘડો માટીમય જ છે તેમ જીવ શુદ્ધજ્ઞાનથન જ છે. આવી વાત છે. * કળશ ૪૦ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન * ઘીથી ભરેલા ઘડાને વ્યવહારથી ‘ઘીનો ઘડો' કહેવામાં આવે છે. છતાં નિશ્ચયથી ઘડો ઘી–સ્વરૂપ નથી. વ્યવહારથી કહેવાય છે એ તો કથનમાત્ર છે. વ્યવહારથી કહ્યો માટે ઘડો કાંઈ ઘીમય થતો નથી, પણ ઘડો તો માટીમય જ રહે છે. અહા! ઘી ઘી-રૂપ છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008284
Book TitlePravachana Ratnakar 03
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy