________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૩-૬૪ ]
[ ૧૬૫
કરે? અત્યારે તો “જન સેવા તે પ્રભુસેવા,” દેશસેવા કરો તેથી ભગવાન મળી જશે એવી પ્રરૂપણા ચાલે છે. પરંતુ ભાઈ, કોના દેશની સેવા કરવી ? તારો દેશ તો રંગ-રાગ-ભેદથી ભિન્ન છે. તારો દેશ તો અસંખ્યપ્રદેશી અભેદ ચિતૂપમાત્ર સ્વરૂપ છે. આવા તારા દેશની સેવા-ઉપાસના કર તો ભગવાન મળી જશે.
અહાહા! રંગ-રાગ-ભેદના ભાવો રૂપી છે એમ અહીં કહ્યું છે. રંગ-ગંધ-રસ-સ્પર્શ તો રૂપી છે પણ શુભાશુભભાવો અને જીવસ્થાન-ગુણસ્થાન-માર્ગણાસ્થાન આદિ ભેદો પણ રૂપી છે એમ કહ્યું છે. આત્મા નિર્મળાનંદ પ્રભુ ત્રિકાળ અરૂપી છે તેની અપેક્ષાએ આ સર્વભાવો રૂપી છે એમ કહ્યું છે. માનવું કઠણ પડે પણ એમ જ છે, પ્રભુ! કર્મની નિવૃત્તિથી થતાં જે સંયમલબ્ધિસ્થાનો છે તે પણ રૂપી છે એમ કહે છે. જ્ઞાનમાં જે ક્ષયોપશમનો અંશ છે તે સ્વયં નિરાવરણ છે અને તે શુદ્ધ છે તથા એ જ અંશ વધીને કેવળજ્ઞાન થશે એમ જે કહ્યું છે એ તો પર્યાયનયની અપેક્ષાથી કહ્યું છે. એ તો ક્ષયોપશમજ્ઞાનનો અંશ શુદ્ધ છે એમ પર્યાયનું જ્ઞાન કરાવ્યું છે. જ્યારે અહીં તો સ્વભાવની દષ્ટિની વાત છે. ત્રિકાળી જ્ઞાયકભાવના નૂરના પૂરના તેજમાં એ રંગ-રાગ-ભેદ છે જ નહિ તેથી તે રૂપી છે એમ કહ્યું છે. જો એ રાગાદિ, દ્રવ્યનાજીવના સ્વભાવમાં તદ્રુપપણે હોય તો કદી નીકળે જ નહિ. અહો! વીતરાગનો માર્ગ અલૌકિક
પ્રવચનસારમાં એમ આવે છે કે જ્ઞાનીને-અરે ગણધરને પણ-રાગનું પરિણમન છે અને તેના í તેઓ છે. જ્યારે અહીં રાગને રૂપી પુદગલમય કહે છે! ભાઈ ! જ્ઞાનનો સ્વભાવ સ્વપર-બધુંય જાણવાનો હોવાથી, જ્ઞાનની પ્રધાનતાથી ત્યાં (પ્રવચનસારમાં-નય અધિકારમાં) પર્યાયનું જ્ઞાન કરાવ્યું છે. પણ અહીં તો જીવના સ્વભાવની વાત છે. રંગ-રાગ અને ભેદ જીવના ચૈતન્યસ્વભાવથી ભિન્ન, વિપરીત છે. તેથી તેઓ રૂપી પુદગલમય છે. અભેદની દૃષ્ટિમાં ભેદ છે જ નહિ. અગિયારમી ગાથાના ભાવાર્થમાં કહ્યું છે કે પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી જ છે અને તેઓ ભેદની-વ્યવહારની પરસ્પર પ્રરૂપણા પણ કરે છે. તથા ભેદનું-વ્યવહારનું કથન, તેને હસ્તાવલંબ જાણી, શાસ્ત્રોમાં–જૈનદર્શનમાં ઘણું કર્યું છે. પરંતુ એનું ફળ સંસાર જ છે. ગજબ વાત! આ વાત ઝીરવવી મહા કઠણ છે.
અંદર પૂર્ણાનંદનો નાથ અભેદ એકરૂપ ચૈતન્ય મહાપ્રભુ બિરાજે છે. એ અભેદ સ્વરૂપની દષ્ટિ થયા વિના સમ્યગ્દર્શન થતું નથી. સમ્યગ્દર્શન, અખંડ એકરૂપ નિર્મળ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માના સ્વીકારથી થાય છે. અભેદનીદષ્ટિ ભેદને રાગને કે નિમિત્તને સ્વીકારતી નથી. કેમકે અભેદ વસ્તમાં ભેદાદિ છે જ નહિ. માટે જે અભેદમાં નથી તેનો નિ યથાર્થ છે. તેથી અભેદની દૃષ્ટિમાં આ રંગ-રાગ અને ભેદના ભાવોને તેઓ રૂપી અને પુદ્ગલના લક્ષણથી લક્ષિત છે એમ કહ્યું છે. એ તો શ્લોકમાં પણ આવે છે કે ભેદજ્ઞાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com