________________
Version 001,a: remember to check htÎp://www.AtmaDharma.com for updates
* ગાથા-૬૨ *
जीवस्य वर्णादितादात्म्यदुरभिनिवेशे दोषश्चायम्
जीवो चेव हि एदे सव्वे भाव त्ति मण्णसे जदि हि । जीवस्साजीवस्स य णत्थि विसेसो दु दे कोई ।। ६२ ।।
जीवश्चैव ह्येते सर्वे भावा इति मन्यसे यदि हि। जीवस्याजीवस्य च नास्ति विशेषस्तु ते कश्चित् ।। ६२ ।।
હવે, જીવનું વર્ણાદિક સાથે તાદાત્મ્ય છે એવો મિથ્યા અભિપ્રાય કોઈ કરે તો તેમાં આ દોષ આવે છે એમ ગાથામાં બતાવે છેઃ
આ ભાવ સર્વે જીવ છે જો એમ તું માને કદી,
તો જીવ તેમ અજીવમાં કંઈ ભેદ તુજ રહેતો નથી ! ૬૨.
મિથ્યા
ગાથાર્થ:- વર્ણાદિકની સાથે જીવનું તાદાત્મ્ય માનનારને કહે છે કેઃ અભિપ્રાયવાળા ! [યવિ હિ ૬] જો તું [કૃતિ મન્યસે] એમ માને કે [ તે સર્વે ભાવ: ] આ વર્ણાદિક સર્વ ભાવો [ નીવ: વ હિ] જીવ જ છે, [તુ] તો [તે] તારા મતમાં [નીવસ્ય દ સખીવસ્ય] જીવ અને અજીવનો [ શ્ચિત્] કાંઈ [ વિશેષ: ] ભેદ [ નાસ્તિ] રહેતો નથી.
ટીકા:- જેમ વર્ણાદિક ભાવો, અનુક્રમે આવિર્ભાવ (પ્રગટ થવું, ઊપજવું) અને તિરોભાવ (ઢંકાવું, નાશ થવું) પામતી એવી તે તે વ્યક્તિઓ વડે (અર્થાત્ પર્યાયો વડે) પુદ્દગલદ્રવ્યની સાથે સાથે રહેતા થકા, પુદ્દગલનું વર્ણાદિ સાથે તાદાત્મ્ય જાહેર કરે છે-વિસ્તારે છે, તેવી રીતે વર્ણાદિક ભાવો, અનુક્રમે આવિર્ભાવ અને તિરોભાવ પામતી એવી તે તે વ્યક્તિઓ વડે જીવની સાથે સાથે રહેતા થકા, જીવનું વર્ણાદિ સાથે તાદાત્મ્ય જાહેર કરે છે, વિસ્તારે છેએમ જેનો અભિપ્રાય છે તેના મતમાં, અન્ય બાકીનાં દ્રવ્યોથી અસાધારણ એવું વર્ણાદિસ્વરૂપપણું-કે જે પુદ્દગલદ્રવ્યનું લક્ષણ છે-તેનો જીવ વડે અંગીકાર કરવામાં આવતો હોવાથી, જીવ-પુદ્દગલના અવિશેષનો પ્રસંગ આવે છે, અને એમ થતાં, પુદ્દગલોથી ભિન્ન એવું કોઈ જીવદ્રવ્ય નહિ રહેવાથી, જીવનો જરૂર અભાવ થાય છે.
ભાવાર્થ:- જેમ વર્ણાદિક ભાવો પુદ્દગલદ્રવ્ય સાથે તાદાત્મ્યસ્વરૂપે છે તેમ જીવ સાથે પણ તાદાત્મ્યસ્વરૂપે હોય તો જીવ-પુદ્દગલમાં કાંઈ પણ ભેદ ન રહે અને તેથી જીવનો જ અભાવ થાય એ મોટો દોષ આવે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com