SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૬૧ ] [ ૧૫૧ ભાવાર્થ- દ્રવ્યની સર્વ અવસ્થાઓને વિષે દ્રવ્યમાં જે ભાવો વ્યાપે તે ભાવો સાથે દ્રવ્યનો તાદાભ્યસંબંધ કહેવાય છે. પુદગલની સર્વ અવસ્થાઓને વિષે પુદગલમાં વર્ણાદિભાવો વ્યાપે છે તેથી વર્ણાદિભાવો સાથે પુદ્ગલનો તાદાભ્યસંબંધ છે. સંસાર-અવસ્થાને વિષે જીવમાં વર્ણાદિભાવો કોઈ પ્રકારે કહી શકાય છે પણ મોક્ષ-અવસ્થાને વિષે જીવમાં વર્ણાદિભાવો સર્વથા નથી તેથી વર્ણાદિભાવો સાથે જીવનો તાદાભ્યસંબંધી નથી એ ન્યાય છે. * શ્રી સમયસાર ગાથા-૬૧ મથાળું * - હવે પૂછે છે કે-વર્ણાદિને આત્મા સાથે ત્રિકાળ સંબંધ કેમ નથી? આપે આત્માની સાથે તેમનો એક સમયની પર્યાય પૂરતો ક્ષણિક-અનિત્ય સંબંધ કહ્યો. પરંતુ તે રંગ, રાગ, ગુણસ્થાન આદિ સાથે જીવને તાદાભ્યસંબંધ કેમ નથી? તેનો ઉત્તર આપે છે: * ગાથા ૬૧ : ટીકા ઉપરનું પ્રવચન * જે નિશ્ચયથી બધીય અવસ્થાઓમાં જે-સ્વરૂપપણાથી વ્યાપ્ત હોય અને તે સ્વરૂપપણાની વ્યાપ્તિથી રહિત ન હોય, તેનો તેમની સાથે તાદાભ્યલક્ષણ સંબંધ હોય છે. જેમકે જ્ઞાન સાથે આત્માને જે સંબંધ છે તે તાદાભ્યલક્ષણ સંબંધ છે, કેમકે આત્માની સર્વ અવસ્થાઓમાં તે જ્ઞાનસ્વરૂપપણાથી વ્યાપ્ત છે અને જ્ઞાનસ્વરૂપપણાની વ્યાપ્તિથી કયારેય રહિત નથી. પરંતુ રાગ-ઉદયભાવ સાથે આત્માને તાદાભ્યલક્ષણ સંબંધ નથી, કેમકે આત્માની સર્વ અવસ્થાઓમાં ઉદયભાવ વ્યાપ્ત હોય અને કયારેય એની વ્યાપ્તિથી રહિત ન હોય એમ બનતું નથી. સંસાર અવસ્થામાં રાગ-ઉદયભાવ હોય છે પરંતુ મોક્ષ અવસ્થામાં તે સર્વથા નથી. ખરેખર, જે બધી દશાઓમાં જે સ્વરૂપથી વ્યાપ્ત એટલે પ્રસરેલ હોય અને તે સ્વરૂપથી કયારેય રહિત ન હોય તેનો, તેમની સાથે તાદાભ્યસંબંધ હોય છે. અર્થાત્ જે વસ્તુ સર્વ અવસ્થાઓમાં જે ભાવોસ્વરૂપ હોય અને કોઈ અવસ્થામાં તે ભાવોસ્વરૂપપણું છોડે નહિ તે વસ્તુનો, તે ભાવો સાથે તાદાભ્યસંબંધ છે. માટે જેની બધીય અવસ્થાઓમાં વર્ણાદિ વ્યાપ્ત હોય છે તે પુદ્ગલની સાથે વર્ણાદિને તાદાભ્યસંબંધ છે. કાળો, રાતો આદિ જે વર્ણ છે તેનું પુદ્ગલની સાથે તાદાભ્ય છે, કેમકે તે વિના મુદ્દગલની કોઈ અવસ્થા હોતી નથી. તેવી રીતે જે ગુણસ્થાન આદિ ભેદ પડયા છે તેને પણ પુદ્ગલની સાથે તાદાભ્યસંબંધ છે કેમકે પુદ્ગલના નિમિત્ત વિના તે ભેદો હોતા નથી. અહો ! આ સમયસાર તો કેવું અદભુત શાસ્ત્ર છે! એમાં આખાય બ્રહ્માંડના ભાવો ભર્યા છે! પુદ્ગલની બધીય અવસ્થાઓમાં તે વર્ણાદિ વ્યાસ હોય છે અને તેની વ્યાતિથી રહિત પુદ્ગલ હોતું નથી. માટે વર્ણાદિભાવોનો પુદ્ગલ સાથે તાદાભ્યસંબંધ છે પણ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008284
Book TitlePravachana Ratnakar 03
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy