________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૫૦ થી ૫૫ ]
[ ૧૨૯
ભ્રમપૂર્વક અને નયોનું સાધન સાધે છે; એ જીવો પણ મિથ્યાદષ્ટિ જાણવા.' બહુ સરસ ખુલાસો
અહીં કહે છે કે નિશ્ચયનયની દષ્ટિમાં ચૈતન્યમાત્ર જ આત્મા દેખાય છે. અહાહા ! અંતર્દષ્ટિ કરનારને પરમ એટલે ઉત્કૃષ્ટ લક્ષ્મીવાળો ભગવાન આત્મા, સર્વોપરિ એકરૂપ ચૈતન્યતત્ત્વ જ દેખાય છે. એક અભેદની દષ્ટિમાં ભેદ જણાતા નથી. ભાઈ ! અંદર આખું ચૈતન્યરત્ન પડયું છે. તેનો મહિમા કરી તેની દષ્ટિ અનંતકાળમાં કરી નહિ અને વ્યવહારનો મહિમા કરી કરીને જન્મ-મરણના ૮૪ના ચક્કરમાં રખડી રહ્યો છે.
અનુભવમાં આત્મા અભેદ જ જણાય છે. માટે તે વર્ણાદિ અને રાગાદિ ભાવો પુરુષથીઆત્માથી ભિન્ન જ છે.
આ વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંતના જે ભાવો છે તેમનું સ્વરૂપ વિસ્તારથી જાણવું હોય તો ગોમ્મસાર આદિ ગ્રંથોમાંથી જાણી લેવું.
[ પ્રવચન નં. ૯૯ થી ૧૦૪
દિનાંક ૧૮-૬-૭૬ થી ૨૩-૬-૭૬ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com