________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૬૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
લક્ષ–સ્વભાવ તરફના પુરુષાર્થથી રાગથી ભેદ કરી ભેદજ્ઞાનવડે અવિચળ અનુભૂતિને પામે છે-“તે સ્વ' તે જ પુરુષો “મુછુવત' દર્પણની જેમ “પ્રતિનિમિત્તાનંતભાવસ્વમા:” પોતામાં પ્રતિબિંબિત થયેલા અનંત ભાવોના સ્વભાવોથી “સંત” નિરંતર “વિવIRT: સ્યુ:” વિકાર રહિત હોય છે.
શું કહે છે એ? કે અનુભૂતિની-જ્ઞાનની જે પર્યાય થઈ એ પર્યાયમાં પોતામાં પ્રતિબિંબિત થયેલા એ (અનંત ભાવોના-શયોના સ્વભાવ) જાણવામાં આવ્યા; શરીરની પર્યાય, વાણીની પર્યાય રાગની પર્યાય-એમ બધા અનંત ભાવો જ્ઞાનની પર્યાયમાં પોતપોતાના કારણે જાણવામાં આવ્યા, એ યોનું જ્ઞાન થયું પણ શેયો સંબંધી વિકાર થયો એમ નથી. એ જ્ઞયોનું જ્ઞાન નિર્વિકારી છે. જ્ઞાનમાં જે શેયોના આકાર પ્રતિભાસે છે તેમનાથી (ભેદવિજ્ઞાની પુરુષો) રાગાદિ વિકારને પ્રાપ્ત થતા નથી. એ જ્ઞાનની પર્યાયનું પોતાનું સહજ સામર્થ્ય છે. તેથી અને અને પરને પોતાના અસ્તિત્વમાં જાણે છે. તેથી એમાં રાગને જાણે, શરીરને જાણે માટે એ પરશયના કારણે અહીં ( જ્ઞાનમાં) વિકાર થાય એમ નથી. અનંત જ્ઞયોના સ્વભાવને જાણે છતાં નિરંતર તેઓ વિકાર રહિત છે.
[પ્રવચન નં. : ૬૧-૬ર
*
દિનાંક : ૩૦-૧-૭૬ અને ૩૧-૧-૭૬ ]
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com