SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા ૩૮ ] [ ૨૨૫ કોઈ પણ પરદ્રવ્ય પરમાણુમાત્ર મારાપણે ભાસતું નથી કે જે મને ભાવકપણે કે શેયપણે મારી સાથે એક થઈને ફરી મોહ ઉત્પન્ન કરે.” જુઓ, કેવી સ્વરૂપની નિઃશંક્તા અને દઢતા! ધર્માત્મા અપ્રતિતપણે ક્ષાયિકભાવ લેવાના છે એમ દઢતાની વાત કરે છે. કહે છે કે કોઈ પણ પરદ્રવ્ય પરમાણુમાત્ર પણ મારાપણે ભાસતું નથી તો પછી ભાવકપણે કે શેયપણે મારી સાથે એક થઈને તે ફરી મોહ કેમ ઉત્પન્ન કરે? અહાહા! શું દષ્ટિનું જોર ! શું વૈરાગ્ય અને ઉદાસીનતા !! કહે છે-મને હવે પરદ્રવ્ય મારું છે એવો મોહ ઉત્પન્ન થાય એમ છે જ નહિ. હવે ફરીથી મને મોહ અર્થાત્ મિથ્યાત્વ ઉત્પન્ન થશે જ નહિ. શ્રી પ્રવચનસારની ૯૨ મી ગાથામાં પણ આ રીતે જ વાત લીધી છે કે-તે મોહદષ્ટિ આગમકૌશલ્ય અને આત્મજ્ઞાન વડે નાશ પામી છે, તે હવે ફરીને ઉત્પન્ન થવાની જ નથી. અહીં પણ એ જ વાત લીધી છે કે તે મોહ ફરીથી શા માટે ઉત્પન્ન થાય? કારણ કે નિજરસથી જ મોહને મૂળથી ઉખાડીને-ફરી અંકુર ન ઉપજે એવો નાશ કરીને, મહાન જ્ઞાનપ્રકાશ મને પ્રગટ થયો છે. મારા જ્ઞાન અને આનંદના રસથી મોહને મૂળથી જ ઉખાડ્યો છે, ફરીથી મોહ ન ઉપજે એવો મોહનો નાશ કર્યો છે. જાઓ, આ પંચમ આરાના મુનિરાજ! ભગવાન કેવળજ્ઞાનીનો વિરહ હોવા છતાં પણ પોતાના અંતરઅનુભવની વાત કહેતાં એમ ફરમાવે છે કે હું તો જ્ઞાનસ્વરૂપી ભગવાન છું એવો મહાન જ્ઞાનપ્રકાશ મને પ્રગટ થયો છે. તેથી રાગ અને પરય મારા છે એવો મોહ હવે ફરી મને ઉપજવાનો નથી, કેમકે એને મેં મૂળથી જ ઉખાડી દીધો છે. આનું નામ આત્મા જાણ્યો અને આ ધર્મ છે. * ગાથા ૩૮: ભાવાર્થ ઉપરનું પ્રવચન * આત્મા અનાદિકાળથી મોહના ઉદયથી અજ્ઞાની હતો. એટલે દર્શનમોહનો ઉદય હતો અને એને તે તરફનું જોડાણ હતું. ચૈતન્યસ્વભાવ પ્રતિ જોડાણ કરવું જોઈએ તે નહિ કરતાં સ્વભાવને છોડીને ભાવક જે મોહકર્મ તેમાં જોડાણ કર્યું તેથી ઉત્પન્ન ભાવ્ય જે મિથ્યાત્વભાવ તેને લઈને તે અનાદિથી અજ્ઞાની હતો. તે શ્રી ગુરુના ઉપદેશથી અને પોતાની કાળલબ્ધિથી જ્ઞાની થયો. શ્રી સમયસાર કળશટીકામાં (કળશ ૨૮) આવે છે કે અનાદિથી જીવ મરણતુલ્ય થઈ રહ્યો છે. દયા, દાન, વ્રતના પરિણામથી મને લાભ થાય એમ માનીને જીવે પોતાને મારી નાખ્યો છે, મરણતુલ્ય કરી નાખ્યો છે. તે ભ્રાન્તિ પરમગુરુ શ્રી તીર્થકરનો ઉપદેશ સાંભળતાં મટે છે. શ્રીગુરુ પણ જે તીર્થંકરનો ઉપદેશ છે એ જ કહે છે. અરે ! દયા, દાનના વિકલ્પથી મને લાભ થાય એમ માનીને એણે આ જીવતી જાગતી ચૈતન્યજ્યોત-પોતાના જીવતરની જ્યોતને હણી નાખી છે. એવો અજ્ઞાની જીવ શ્રી ગુરુના ઉપદેશથી અને પોતાની કાળલબ્ધિથી જ્ઞાની થયો, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008283
Book TitlePravachana Ratnakar 02
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy