SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા ૩૮ ] | [ ૨૧૯ જાણીને, તેનું શ્રદ્ધાન અને તેનું આચરણ કરીને સમ્યક પ્રકારે એક આત્મારામ થયો. તે હવે પોતે પોતાને કેવો અનુભવે છે તે કહે છે: હું એવો અનુભવ કરું છું કે હું ચૈતન્યમાત્ર જ્યોતિરૂપ આત્મા છું કે જે મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. અગ્નિની જ્યોતિ, દીવાની જ્યોતિ હોય છે એ તો જડ છે. આ તો ચૈતન્યમાત્ર જ્યોતિ એટલે દેખવા-જાણવાના સ્વભાવરૂપ જ્યોતિ હું આત્મા છું. તે મારા પોતાના જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. વજન અહીં છે કે મારા અનુભવથી એટલે આનંદના વેદનથી હું મારા આત્માને જાણું છું. પરથી, વિકલ્પથી કે નિમિત્તથી નહિ પણ મારા જ અનુભવથી હું આત્માને પ્રત્યક્ષ જાણું છું. સમયસાર નાટકમાં બનારસીદાસે કહ્યું છે ને કે – વસ્તુ વિચારત ધ્યાવર્તે, મન પાવૈ વિશ્રામ; રસ સ્વાદત સુખ ઊપજૈ, અનુભૌ યાકૌ નામ.” જેમાં આત્માના આનંદના રસનો સ્વાદ આવે તેવા વેદનથી હું મારા આત્માને પ્રત્યક્ષ જાણું છું. આ જૈન પરમેશ્વરનો માર્ગ છે. કોઈને એમ લાગે કે શું માર્ગ આવો હશે? પણ ભાઈ ! ભગવાન જિનેશ્વરદેવની દિવ્યધ્વનિમાં કહેલો આ માર્ગ છે. વર્તમાનમાં વિદેહક્ષેત્રમાં શ્રી સીમંધર ભગવાન સાક્ષાત્ અરિહંતપદે બિરાજે છે. સો ઇન્દ્રો અને ગણધરો નતમસ્તક થઈ બહુ વિનયપૂર્વક તેમની દિવ્યધ્વનિ સાંભળે છે. એ દિવ્યધ્વનિમાં ભગવાને કહેલો માર્ગ આ છે. બાકી દયા પાળો, વ્રત કરો, દાન કરો, જાત્રા કરો ઇત્યાદિ કાંઈ જૈનમાર્ગ નથી. એવો માર્ગ શું ભગવાન કહેતા હશે? એવું તો કુંભારેય કહે છે. ભાઈ ! આ જૈનમાર્ગની-મોક્ષમાર્ગની વાત મહાભાગ્યશાળી હોય એને સાંભળવા મળે છે. અહીં છદ્મસ્થદશામાં સમકિતી ધર્માત્મા આત્માને કેવો અનુભવે છે તે બતાવતાં કહે છે કે-ચૈતન્યમાત્ર જ્યોતિરૂપ હું આત્મા છું. અહાહા! ત્રિકાળી જ્ઞાનસત્ત્વ, સર્વજ્ઞસ્વભાવ, “જ્ઞ ભાવ, એક જ્ઞાયકભાવસ્વરૂપ ચૈતન્યમાત્ર ઝળહળ જ્યોતિ હું છું. રાગ અને પર હું નથી. એક સમયની પ્રગટ પર્યાય જેટલો પણ હું નથી. અને આ જ્ઞાયકસ્વભાવી આત્મા મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. અહાહા ! આ જ્ઞાયકભાવસ્વરૂપ આત્મા મારા સ્વસંવેદનજ્ઞાનમાં પ્રત્યક્ષ જણાય છે. એનો અનુભવ કરવામાં કોઈ પરનાનિમિત્તના કે વિકલ્પના સહારાની જરૂર નથી. સીધું જ્ઞાન પોતાને અને પરને જાણે છે એવો હું છું. અરે! જન્મ-મરણના ચોર્યાશી લાખ યોનિના આંટા ખાઈને અજ્ઞાની મરી ગયો છે. જીવતી જ્યોતને એણે મારી નાખી છે. આ ચૈતન્યમાત્ર જ્યોતિરૂપ આત્મા તે હું એમ નહિ સ્વીકારતાં એક સમયની રાગાદિ પર્યાય અને વિકાર તે હું એમ જેણે માન્યું તેણે ચૈતન્યજીવનને હણી નાખ્યું છે, કેમ કે જીવતા સના સત્ત્વનો તેણે નકાર કર્યો છે. વસ્તુ તો વસ્તુ છે, વસ્તુનો નાશ થતો નથી પણ પર્યાયમાં ચૈતન્યજીવનનો ઘાત થાય છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008283
Book TitlePravachana Ratnakar 02
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy