________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૮
अथैवं दर्शनज्ञानचारित्रपरिणतस्यास्यात्मनः कीदृक् स्वरूपसञ्चेतनं भवतीत्यावेद-यन्नुपसंहरति
अहमेक्को खलु सुद्धो दंसणणाणमइओ सदारूवी। ण वि अस्थि मज्झ किंचि वि अण्णं परमाणुमेत्तं पि।।३८ ।।
अहमेकः खलु शुद्धो दर्शनज्ञानमयः सदाऽरूपी। नाप्यस्ति मम किञ्चिदप्यन्यत्परमाणुमात्रमपि।।३८ ।।
હવે, એ રીતે દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપ પરિણત થયેલાસ આ આત્માને સ્વરૂપનું સંચેતન કેવું હોય છે એમ કહેતાં આચાર્ય આ કથનને સંકોચે છે, સમેટે છે –
હું એક, શુદ્ધ, સદા અરૂપી, જ્ઞાનદર્શનમય ખરે; કંઇ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે! ૩૮.
ગાથાર્થ – દર્શનજ્ઞાનચારિત્રરૂપ પરિણમેલો આત્મા એમ જાણે છે કેઃ [ar] નિશ્ચયથી [ {] હું [ps:] એક છું, [શુદ્ધ:] શુદ્ધ છું, [૨ની નમય:] દર્શનજ્ઞાનમય છું, [ સા 3 રૂપા] સદા અરૂપી છું [વિચિત્ કપિ અન્ય ] કાંઈ પણ અન્ય પરદ્રવ્ય [ પરમાણુમાત્રમ્ અપિ] પરમાણુમાત્ર પણ [ મમ ન પિ બસ્તિ ] મારું નથી એ નિશ્ચય છે.
ટીકા- જે, અનાદિ મોહરૂપ અજ્ઞાનથી ઉન્મત્તપણાને લીધે અત્યંત અપ્રતિબુદ્ધ હતો અને વિરક્ત ગુરુથી નિરંતર સમજાવવામાં આવતાં જે કોઈ પ્રકારે (મહા ભાગ્યથી) સમજી, સાવધાન થઈ, જેમ કોઈ મૂઠીમાં રાખેલું સુવર્ણ ભૂલી ગયો હોય તે ફરી યાદ કરીને તે સુવર્ણને દેખે તે ન્યાયે, પોતાના પરમેશ્વર (સર્વ સામર્થ્યના ધરનાર) આત્માને ભૂલી ગયો હતો તેને જાણીને, તેનું શ્રદ્ધાન કરીને તથા તેનું આચરણ કરીને (-તેમાં તન્મય થઈને) જે સમ્યક પ્રકારે એક આત્મારામ થયો, તે હું એવો અનુભવ કરું છું કે : હું ચૈતન્યમાત્ર જ્યોતિરૂપ આત્મા છું કે જે મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે; ચિત્માત્ર આકારને લીધે હું સમસ્ત ક્રમરૂપ તથા અક્રમરૂપ પ્રવર્તતા વ્યાવહારિક ભાવોથી ભેદરૂપ થતો નથી માટે હું એક છું; નર, નારક આદિ જીવના વિશેષો, અજીવ, પુણ્ય, પાપ, આસ્ત્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષસ્વરૂપ જે વ્યાવહારિક નવ તત્ત્વો તેમનાથી,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com