SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા ૩૭ ] [ ૨૦૯ રહ્યો છે. દયા, દાન, ભક્તિ અને ખાવું, પીવું, રળવું, કમાવું ઇત્યાદિ પુણ્ય-પાપના ભાવ એ ચાર ગતિમાં રખડવાના ભાવ છે. તે વડે જીવ દુઃખી છે. હવે જેને જન્મ-મરણ મટાડવાં હોય અને ધર્મ પ્રગટ કરવો હોય તેણે શું કરવું એની આ વાત છે. પ્રથમ તો તેણે આ ભગવાન આત્માને, ભાવકનો ભાવ જે પુણ્ય, પાપ, રાગ, દ્વેષ, દયા, દાન, ભક્તિના આદિના વિકારી ભાવ છે તેનાથી જુદો અનુભવવો-જાણવો. તથા પરના ભાવો જે શરીર, મન, વાણી, કર્મ, સ્ત્રી, કુટુંબ, લક્ષ્મી, દેવ, ગુરુ અને શાસ્ત્ર છે તેનાથી પણ સ્વય આત્માને ભિન્ન જાણવો. અહીં કહે છે કે અનાદિથી વિકારને તથા પરયને પોતાના માનતો હતો તે મિથ્યાત્વ, ભ્રમ અને અજ્ઞાન હતાં. પરંતુ હવે જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્માને ભેદજ્ઞાન વડે રાગાદિ વિકારથી અને પરિયોથી ભિન્ન પાડીને તેને “આત્મારામ” કર્યો. સર્વ અન્યભાવોથી એટલે કે રાગ, દયા, દાન, વ્રત, ભક્તિ, હિંસા, જૂઠ, ચોરી, ક્રોધ, માન આદિ વિકારી ભાવોથી અને શરીર, વાણી, મન, કર્મ, દેવ, ગુરુ, શાસ્ત્ર આદિ પરશયોથી જ્યારે ભિન્નતા થઈ ત્યારે ઉપયોગ આત્મરૂપ થઈ જાય છે. ભિન્ન તો છે જ પણ જ્યારે પરભાવ અને પરજ્ઞય બન્ને ભિન્ન છે એવી ભિન્નતા જ્ઞાનમાં કરી ત્યારે ઉપયોગ આત્મરૂપ થઈ જાય છે. વસ્તુ ધર્મ અલૌકિક છે, ભાઈ ! પણ જેમને સાંભળવા ય મળ્યું ન હોય તે બિચારા ઘણા એમ ને એમ દુઃખી થઈ ચાર ગતિમાં રખડે છે. આ કરોડપતિ અને અબજોપતિ એ બધા બિચારા છે. કેમ કે તેમને આત્માની અંતરંગ જ્ઞાનાનંદ લક્ષ્મી શું છે એની ખબર નથી. જે પોતાનામાં નથી તેને પોતાના માની રહ્યો છે તે મૂર્ખ છે, મિથ્યાત્વના ભ્રમમાં પડયો છે. આત્મા જ્ઞાન અને આનંદસ્વરૂપ પ્રભુ છે. તેમાં જે રાગ, પુણ્ય અને પાપના શુભાશુભ ભાવ છે તે ભાવક કર્મના નિમિત્તે થયેલા ઔપાધિક ભાવ છે. તે આત્માનો સ્વભાવ નથી-એમ એનાથી ભિન્ન પાયો, અને પરય-ચાહે દેવ, ગુરુ, શાસ્ત્ર, કે સમ્મદશિખરનું તીર્થ હો-એનાથી સ્વજ્ઞયને ભિન્ન પાયો, ત્યારે “સ્વયમ મયમ ઉપયોગો માત્માનમ હમ વિક્રત’ આ ઉપયોગ છે તે પોતે જ પોતાના એક આત્માને જ ધારતોએટલે જાણવાનો ઉપયોગ જે અનાદિથી રાગને અને પરમને પોતાના જાણતો હતો તે હવે રાગ અને જ્ઞયથી ભિન્ન પડી જતાં આત્મારૂપ થઈ ગયો અર્થાત્ પોતાને પરરૂપે માનતો હતો તે ઉપયોગ સ્વભાવરૂપ થઈ ગયો. અહીં ભેદ પાડીને વ્યવહારથી વાત કરી છે કે-ઉપયોગ છે તે પોતે જ પોતાના એક આત્માને ધારે છે. ખરેખર તો જે ઉપયોગ છે તે સ્વયં સ્વરૂપમાં એકાકાર થઈ જાય છે. “આ ઉપયોગ છે તે પોતે જ પોતાના આત્માને ધારતો'-એનો અર્થ એ છે કે ઉપયોગ આત્મારૂપ થઈ ગયો, અભેદ થયો. જાણવા-દેખવાનો વ્યાપાર આત્મારૂપ થઈ ગયો. દયા, ભક્તિ, પૂજા, જાત્રા આદિ ભાવ તો વિકાર છે, રાગ છે અને દેવ, ગુરુ, શાસ્ત્ર પરશેય Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008283
Book TitlePravachana Ratnakar 02
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy