________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૬
अथ कथमनुभूतेः परभावविवेको भूत इत्याशङ्क्य भावकभावविवेकप्रकारमाहणत्थि मम को वि मोहो बुज्झदि उवओग एव अहमेक्को । तं मोहणिम्ममत्तं समयस्स वियाणया बेंति ।। ३६ ।।
नास्ति मम कोऽपि मोहो बुध्यते उपयोग एवाहमेकः । तं मोहनिर्ममत्वं समयस्य विज्ञायका ब्रुवन्ति ।। ३६ ।।
હવે, ‘આ અનુભૂતિથી પરભાવનું ભેદજ્ઞાન કેવા પ્રકારે થયું?' એવી આશંકા કરીને, પ્રથમ તો જે ભાવકભાવ-મોહકર્મના ઉદયરૂપ, ભાવ, તેના ભેદજ્ઞાનનો પ્રકાર કહે છેઃ
નથી મોહ તે મારો કંઈ, ઉપયોગ કેવળ એક હું, -એ જ્ઞાનને, જ્ઞાયક સમયના મોહનિર્મમતા કહે. ૩૬.
*ગાથાર્થ:- [ વુધ્ધતે] એમ જાણે કે [ મોs: મમ : અપિ નાસ્તિ] ‘મોહ મારો કાંઈ પણ સંબંધી નથી, [y: ઉપયોગ: વ અદમ્] એક ઉપયોગ છે તે જ હું છું'- [તં] એવું જે જાણવું તેને [સમયસ્ય] સિદ્ધાંતના અથવા સ્વપરના સ્વરૂપના [વિજ્ઞાયા: ] જાણનારા [ મોહનિર્મમત્વ ] મોહથી નિર્મમત્વ [ ધ્રુવન્તિ ] કહે છે.
ટીકા:- નિશ્ચયથી, (આ મારા અનુભવમાં) ફળ દેવાના સામર્થ્યથી પ્રગટ થઈને ભાવકરૂપ થતું જે પુદ્દગલદ્રવ્ય તેના વડે રચાયેલો જે મોહ તે મારો કાંઇ પણ લાગતોવળગતો નથી, કારણ કે ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવભાવનું પરમાર્થે ૫૨ના ભાવ વડે * ભાવવું અશકય છે. વળી અહીં સ્વયમેવ, વિશ્વને (સમસ્ત વસ્તુઓને) પ્રકાશવામાં ચતુર અને વિકાસરૂપ એવી જેની નિરંતર શાશ્વતી પ્રતાપસંપદા છે એવા ચૈતન્યશકિતમાત્ર સ્વભાવભાવ વડે, ભગવાન આત્મા જ જાણે છે કે-૫૨માર્થે હું એક છું તેથી, જોકે સમસ્ત દ્રવ્યોના પરસ્પર સાધારણ અવગાહનું (–એકક્ષેત્રાવગાહનું) નિવારણ કરવું અશકય હોવાથી મારો
* આ ગાથાનો અર્થ આમ પણ થાય છેઃ- જરાય મોહ મારો નથી હું એક છું' એવું ઉપયોગ જ ( –આત્મા જ) જાણે તે ઉપયોગને (–આત્માને ) સમયના જાણનારા મોહ પ્રત્યે નિર્મમ (મમતા વિનાનો) કહે છે
× ભાવવું = બનાવવું; ભાવ્યરૂપ કરવું.
=
Please inform us of any errors on rajesh@Atma Dharma.com