________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૫ ]
| [ ૧૮૩
પરમેશ્વરની વાણી અને તેના આગમનું શું કહેવું? એકલું માખણ ભર્યું છે. સર્વજ્ઞદેવે શું કહ્યું, તેમણે શું કર્યું, આગમ શું કહે છે, ગુરુ શું ઉપદેશ આપે છે તથા સાંભળનારને કયારે ભેદજ્ઞાન થાય છે તે બધુંય બતાવ્યું છે. બીજી રીતે કહીએ તો પરમાગમની વાણીમાં જે ઉપદેશ છે એ જ નિમિત્ત થાય છે, અજ્ઞાનીનો ઉપદેશ (ભેદજ્ઞાન થવામાં) નિમિત્ત થતો નથી.
શું જાણીને જ્ઞાની થયો? કે હું તો જ્ઞાનમાત્ર જ છું એવી સ્વદષ્ટિ કરતાં આ રાગાદિ પરભાવો જ છે એમ જાણીને જ્ઞાની સમકિતી થયો થકો સર્વ પરભાવોને તત્કાળ છોડે છે. સ્વરૂપમાં એકાગ્ર થતાં પરભાવનો આશ્રય મટી ગયો તો પરભાવ છૂટી ગયો એનું નામ પચ્ચકખાણ એટલે ચારિત્ર છે. એક સેકન્ડનું પચ્ચકખાણ અનંતા જન્મમરણને મટાડે એવું છે. વીતરાગ પરમેશ્વરના માર્ગની આ રીત છે અને તે રીત દિગંબર ધર્મમાં જ છે, બીજે કયાંય નથી. આ જ જૈનધર્મ છે, બીજો કોઈ જૈનધર્મ નથી. પરંતુ
જ્યાં સુધી આ સમજમાં ન આવે ત્યાં સુધી પોતાની માન્યતા ખોટી છે એમ કેમ માને ? “જ્ઞાની થયો થકો સર્વ પરભાવોને તત્કાળ છોડી દે છે.” “સર્વ પરભાવો ”—એમ ભાષા છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ ગુણ-ગુણીના ભેદરૂપ વિકલ્પો જે પરભાવ છે તેને પણ તત્કાળ છોડી દે છે, અર્થાત્ તે ( સ્થિરતાના કાળે ) છૂટી જાય છે. એનું નામ ભગવાન રાગનો ત્યાગ કર્યું છે. જ્ઞાયકસ્વરૂપ ભગવાન આત્મા છે એવો બોધ થયો અને પોતે એમાં સ્થિર થયો તો રાગ છૂટી ગયો એનું નામ ભગવાન પચ્ચકખાણ કહે છે.
* ગાથા ૩પ : ભાવાર્થ ઉપરનું પ્રવચન *
જ્યાંસુધી પરવસ્તુને ભૂલથી પોતાની જાણે ત્યાં સુધી જ મમત્વ રહે; અને જ્યારે યથાર્થ જ્ઞાન થવાથી પરવસ્તુને પારકી જાણે ત્યારે બીજાની વસ્તુમાં મમત્વ શાનું રહે? અર્થાત્ ન રહે એ પ્રસિદ્ધ છે. જેમ લગ્ન પ્રસંગ હોય અને પોતાની સ્થિતિ સાધારણ હોય તો કોઈ અન્ય ગૃહસ્થને ત્યાંથી દાગીનો લઈ આવીને પહેરે છે. પણ તે સમયે પોતે શું સમજે છે? કે આ મારો દાગીનો નથી. બે દિવસમાં પાછો આપવાનો છે, કેમકે મમત્વ નથી. તેમ રાગાદિને પરપણે જાણ્યા એટલે પોતાની ચીજ નથી એમ જાણી તેને છોડી દે છે.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
* કળશ ૨૯: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
“પરમાવત્યાદિષ્ટાંતદીદ:' આ પરભાવના ત્યાગના દષ્ટાંતની દષ્ટિ “મનવમ” જૂની ન થાય એ રીતે “અત્યન્તવેરાત વાવેત અવતરતિ” અત્યંત વેગથી જ્યાં સુધી પ્રવૃત્તિને પામે નહિ-શું કહ્યું એ? જેમ વસ્ત્ર પર છે અને તેને ભૂલથી ઓઢીને સૂતો છે, પણ જ્યાં ખ્યાલમાં આવ્યું કે આ વસ્ત્ર પર છે ત્યાં વસ્ત્ર છૂટી ગયું, અભિપ્રાયમાંથી વસ્ત્ર જાદું પડી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com