________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૪
सव्वे भावे जम्हा पच्चक्खाई परे त्ति णादूणं । तम्हा पच्चक्खाणं णाणं णियमा मुणेदव्वं ।। ३४ ।।
सर्वान् भावान् यस्मात्प्रत्याख्याति परानिति ज्ञात्वा। तस्मात्प्रत्याख्यानं ज्ञानं नियमात् ज्ञातव्यम् ।। ३४ ।।
સૌ ભાવને ૫૨ જાણીને પચખાણ ભાવોનું કરે, તેથી નિયમથી જાણવું કે જ્ઞાન પ્રત્યાખ્યાન છે. ૩૪.
ગાથાર્થ:- [યસ્માત્] જેથી [સર્વાન્ ભાવાન્] ‘પોતાના સિવાય સર્વ પદાર્થો [પરાન્] ૫૨ છે' [કૃતિ જ્ઞાત્વા] એમ જાણીને [ પ્રત્યાઘ્યાતિ] પ્રત્યાખ્યાન કરે છે-ત્યાગે છે, [ તસ્માત્] તેથી, [ પ્રત્યાઘ્યાનં] પ્રત્યાખ્યાન [જ્ઞાનં] જ્ઞાન જ છે [નિયમાત્] એમ નિયમથી [ જ્ઞાતવ્યસ્] જાણવું. પોતાના જ્ઞાનમાં ત્યાગરૂપ અવસ્થા તે જ પ્રત્યાખ્યાન છે, બીજું કાંઈ નથી.
ટીકા:- આ ભગવાન જ્ઞાતા-દ્રવ્ય (આત્મા) છે તે અન્યદ્રવ્યના સ્વભાવથી થતા અન્ય સમસ્ત ૫૨ભાવોને, તેઓ પોતાના સ્વભાવભાવ વડે નહિ વ્યાસ હોવાથી ૫૨૫ણે જાણીને, ત્યાગે છે; તેથી જે પહેલાં જાણે છે તે જ પછી ત્યાગે છે, બીજો તો કોઈ ત્યાગનાર નથી-એમ આત્મામાં નિશ્ચય કરીને, પ્રત્યાખ્યાનના ( ત્યાગના ) સમયે પ્રત્યાખ્યાન કરવાયોગ્ય જે પરભાવ તેની ઉપાધિમાત્રથી પ્રવર્તેલું ત્યાગના કર્તાપણાનું નામ ( આત્માને ) હોવા છતાં પણ, ૫૨માર્થથી જોવામાં આવે તો ૫૨ભાવના ત્યાગકર્તાપણાનું નામ પોતાને નથી, પોતે તો એ નામથી રહિત છે કારણ કે જ્ઞાનસ્વભાવથી પોતે છૂટયો નથી, માટે પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે–એમ અનુભવ કરવો.
ભાવાર્થ:- આત્માને પરભાવના ત્યાગનું કર્તાપણું છે. તે નામમાત્ર છે. પોતે તો જ્ઞાનસ્વભાવ છે. પરદ્રવ્યને ૫૨ જાણ્યું, પછી પરભાવનું ગ્રહણ નહિ તે જ ત્યાગ છે. એ રીતે, સ્થિર થયેલું જ્ઞાન તે જ પ્રત્યાખ્યાન છે, જ્ઞાન સિવાય કોઈ બીજો ભાવ નથી.
ઉત્થાનિકાઃ
આ રીતે અજ્ઞાની જીવ અનાદિ મોહના સંતાનથી નિરૂપણ કરવામાં આવેલું જે આત્મા અને શરીરનું એકપણું તેના સંસ્કા૨પણાથી અત્યંત અપ્રતિબુદ્ધ હતો. શું કહે છે? અનાદિથી અજ્ઞાનીને રાગ અને શરીરમાં સાવધાની હોવાથી તે જ્ઞાનાનંદસ્વભાવી ચૈતન્યને
Please inform us of any errors on rajesh@Atma Dharma.com