________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫ર ]
ચિન રત્નાકર ભાગ-૨
સ્વભાવમાં એકાગ્રતાથી એક્તા થવી તે સાચી-નિશ્ચયસ્તુતિ છે. “અત: તીર્થસ્તોત્તરવનાત્' આમ અજ્ઞાનીએ જે તીર્થંકરના સ્તવનનો પ્રશ્ન કર્યો હતો તેનો આ પ્રમાણે ન વિભાગથી ઉત્તર આપ્યો. તે ઉત્તરના બળથી એમ સિદ્ધ થયું કે “માત્માં ગયો: વં ન ભવેત' આત્મા અને શરીરને નિશ્ચયથી એકપણું નથી. આત્મા અને અનાત્મા એક નથી. તેમ જ એક સમયની પર્યાય અને ત્રિકાળભાવ એકરૂપ નથી. અહાહા ! વસ્તુ આવી સૂક્ષ્મ અને ગંભીર છે.
હવે વળી, આ અર્થને જાણવાથી ભેદજ્ઞાનની સિદ્ધિ થાય છે એવા અર્થવાળું કાવ્ય કહે છે:
* કળશ ૨૮: શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન *
શિષ્ય ગુરુ સમક્ષ શંકા પ્રગટ કરી કહ્યું કે શરીર અને આત્મા એક છે. કારણ કે જ્યારે આપ તીર્થકર ભગવાનની સ્તુતિ કરો છો ત્યારે એમ કહો છો કે-અહો ! ભગવાનનું શું સુંદર રૂપ છે! ઇન્દ્રોના મનને પણ તે જીતી લે છે. તથા એનું તેજ સૂર્યને પણ ઢાંકી દે છે. ભગવાન! આપની દિવ્યધ્વનિ તો જાણે સાક્ષાત્ અમૃત ઝરતું ન હોય! હે ગુરુદેવ! આપ જ આવી રીતે શરીરથી અને વાણીથી ભગવાનની સ્તુતિ કરો છો. તેથી અમે એમ માનીએ છીએ કે શરીરને જ આપ આત્મા માનો છો. તેનું અહીં સમાધાન કરે
“તિ પવિતતત્ત્વ:” જેમણે વસ્તુના યથાર્થ સ્વરૂપને પરિચયરૂપ કર્યું છે અર્થાત્ જ્ઞાનાનંદસ્વરૂપ જે વસ્તુ એનો પરિચય કરી જેમણે આનંદનો અનુભવ કર્યો છે. એવા મુનિઓએ “માત્મામૈતાય' આત્મા અને શરીરના એકપણાને “નવમનનયુજ્યા અન્યત્તમ ઉછાદિતાયામ' ન વિભાગની યુક્તિ વડે જડમૂળથી ઉખેડી નાખ્યું છે અત્યંત નિષેધ્યું છે. અહાહા ! શું કહે છે? વ્યવહારનયથી આત્મા અને શરીરને એકપણું કહેવામાં આવે છે પણ નિશ્ચયથી એકપણું નથી. (અત્યંત નિષેધ્યું છે)
આ શાસ્ત્રની ચોથી ગાથામાં કહ્યું છે કે ભગવાન! તે રાગ કેમ કરવો અને રાગને કેમ ભોગવવો એ વાત તો અનંતવાર સાંભળી છે, એ વાત અનંતવાર તારા પરિચયમાં આવી ગઈ છે અને અનુભવમાં પણ આવી ગઈ છે; પરંતુ રાગથી ભિન્ન ભગવાન આત્મા જે નિજસ્વભાવથી એકત્વ છે એની વાત કયારેય સાંભળી નથી, પરિચયમાં આવી નથી અને અનુભવમાં પણ આવી નથી. પરંતુ આ કળશમાં એમ કહે છે કે જેમણે વસ્તુના યથાર્થ સ્વરૂપનો પરિચય કર્યો છે, વારંવાર આનંદસ્વરૂપનો અનુભવ કર્યો છે મુનિઓએ “રાગનો વિકલ્પ અને ભગવાન આત્મા ત્રણકાળમાં એક નથી” એમ ભેદજ્ઞાન કરીને (એમના) એકપણાને જડમૂળથી ઉખાડી નાખ્યું છે. કળશ ટીકામાં “પરિચિતતવૈ' નો અર્થ “પ્રત્યક્ષપણે જાણ્યા છે જીવાદિ સકળ દ્રવ્યોના ગુણપર્યાયોને જેમણે એવા સર્વજ્ઞદેવ” એવો કર્યો છે. આમ કેવળીઓએ તથા જેમને સમ્યજ્ઞાન થયું છે એવા મુનિઓએ આત્મા અને શરીરાદિના એકપણાને ન વિભાગની યુક્તિ વડે ઉખેડી નાખ્યું છે. એટલે કે આત્મા અને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com