________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૩
अथ भाव्यभावकभावाभावेनजिदमोहस्स दु जइया खीणो मोहो हवेज्ज साहुस्स। तइया हु खीणमोहो भण्णदि सो णिच्छयविहिं।। ३३ ।।
जितमोहस्य तु यदा क्षीणो मोहो भवेत्साधोः। तदा खलु क्षीणमोहो भण्यते स निश्चयविद्भिः।। ३३ ।।
હવે, ભાવ્યભાવક ભાવના અભાવથી નિશ્ચયસ્તુતિ કહે છે:
જિતમો સાધુતણો વળી ક્ષય મોહ જ્યારે થાય છે, નિશ્ચયવિદોથકી તેહને ક્ષીણ મોટું નામ કથાય છે. ૩૩.
ગાથાર્થ- [fબતમોદરચ તુ સાથો] જેણે મોહને જીત્યો છે એવા સાધુને [1] જ્યારે [ક્ષીખ: મોદ:] મોહ ક્ષીણ થઈ સત્તામાંથી નાશ [ ભવેત્ ] થાય [ તવા] ત્યારે [ નિશ્ચયવિ]િ નિશ્ચયના જાણનારા [7] નિશ્ચયથી [સ:] તે સાધુને [ક્ષીનમોદ:] “ક્ષીણમોહ' એવા નામથી [ મળ્યતે] કહે છે.
ટીકાઃ- આ નિશ્ચયસ્તુતિમાં પૂર્વોક્ત વિધાનથી આત્મામાંથી મોહનો તિરસ્કાર કરી, જેવો (પૂર્વ) કહ્યો તેવા જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યથી અધિક આત્માનો અનુભવ કરવાથી જે જિતમોહ થયો, તેને જ્યારે પોતાના સ્વભાવભાવની ભાવનાનું સારી રીતે અવલંબન કરવાથી મોહની સંતતિનો અત્યંત વિનાશ એવો થાય કે ફરી તેનો ઉદય ન થાય-એમ ભાવકરૂપ મોહ ક્ષીણ થાય, ત્યારે (ભાવક મોહનો ક્ષય થવાથી આત્માના વિભાવરૂપ ભાવ્યભાવનો પણ અભાવ થાય છે અને એ રીતે) ભાવ્યભાવક ભાવનો અભાવ થવાને લીધે એકપણું થવાથી ટંકોત્કીર્ણ (નિશ્ચલ) પરમાત્માને પ્રાપ્ત થયેલો તે “ક્ષીણમોહ જિન” કહેવાય છે. આ ત્રીજી નિશ્ચયસ્તુતિ છે.
અહીં પણ પૂર્વે કહ્યું હતું તેમ “મોહ' પદને બદલી રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ધાણ, રસન, સ્પર્શન-એ પદો મૂકી સોળ સુત્રો (ભણવાં અને) વ્યાખ્યાન કરવા અને આ પ્રકારના ઉપદેશથી બીજાં પણ વિચારવાં.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com