________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
રહીને જે ઉદયને જાણે છે તે મુનિ જિતમોહ કહેવાય છે. ઈન્દ્રિયોની એક્તા તૂટી ગઈ છે અને સ્વભાવની એક્તા થઈ છે. તેથી જ્ઞાનીને જ્ઞય-જ્ઞાયક-સંકરદોષ નાશ પામ્યો છે. પણ હજુ અસ્થિરતામાં કર્મનો ઉદય જે ભાવક છે તે તરફના ઝુકાવથી વિકારરૂપ ભાવ્ય થાય છે. આ ભાવ્યભાવક-સંકરદોષ છે. નિશ્ચયથી આત્મા ખરેખર વિકારનો ર્તા નથી. તેથી કર્મના ઉદયને ભાવક કહી તે ઉદય વિકારરૂપ ભાવ્ય કરનાર છે તેમ કહ્યું છે. તે ભાવ્યભાવક સંબંધને જ્ઞાનીએ પોતાના સ્વભાવનો આશ્રય લઈને હુઠાવી દીધો. એટલે કે ઉદયને અનુસરીને તેને ભાવ્ય જે વિકાર થતો હતો તે સ્વભાવનો આશ્રય થતાં થયો નહિ. ત્યારે તેને ભાવ્યભાવકસંકરદોષ દૂર થયો. તેથી તેને પરમાર્થના જાણનારાઓ જિતમોહ કહે છે.
આ ગાથામાં જે મોહકર્મની વાત છે તે ચારિત્રમોહની વાત છે. ચારિત્રમોહનો ઉદય આવે છે તેમાં જ્ઞાનીને એક્તાબુદ્ધિ થતી નથી. પરંતુ જે અસ્થિરતા થાય છે તે કર્મને વશ થતાં થાય છે. તે વિકારનું અસ્થિરતાનું જે પરિણમન છે તેનો í જ્ઞાની આત્મા છે. કારણ કે ભાવ્ય થવાને લાયક જ્ઞાની આત્મા પણ છે. પ્રવચનસારમાં ૪૭ નયમાં એક
દ્ભનય આવે છે. તેમાં કહ્યું છે કે જેમ રંગરેજ રંગને કરે છે તેમ ધર્માત્મા (પણ) રાગરૂપે પરિણમે છે. માટે તે રાગનો ર્જા ધર્માત્મા પોતે છે. કર્મથી રાગ થાય છે કે કર્મ રાગનો છે એમ નથી. હવે કહે છે કે જેણે પોતાની પર્યાયને જ્ઞાયક તરફ ઝુકાવીને નિમિત્ત-ભાવકને આશ્રયે જે વિકાર થતો હતો તેને દૂરથી છોડી દીધો-એટલે કે પહેલાં વિકાર કર્યો અને પછી છોડી દીધો એમ નહિ, પણ વિકાર થવા જ ન દીધો તેને જિતમોહ
* ગાથા ૩૨ : ટીકા ઉપરનું પ્રવચન *
જડ મોહકર્મ ફળ દેવાના સામર્થ્યથી પ્રગટ ઉદયરૂપ થાય છે. ફળ દેવાના સામર્થ્યથી એટલે અનુભાગથી. અહીં જે કર્મ સત્તામાં પડયાં છે તેની વાત નથી, પણ ઉદયમાં આવ્યાં છે એની વાત છે. ઉદયપણે જે કર્મ પ્રગટ થાય છે તે ભાવક છે, અને વિકારી થવાને લાયક જે જીવ છે તેને એ કર્મનો ઉદય નિમિત્ત કહેવાય છે. કર્મ ભાવક કોને થાય છે? કે જે (જીવ) કર્મને અનુસરીને વિકાર-ભાવ્ય કરે છે તેને જ કર્મનો ઉદય ભાવક કહેવાય છે અને તે જીવને ભાવ્ય કહેવાય છે. ભાવક કર્મનો ઉદય તો જડમાં આવે છે, પરંતુ તેના અનુસારે જ્યાં સુધી પ્રવૃત્તિ છે ત્યાં સુધી અસ્થિરતા થાય છે તથા ભાવ્યરૂપ વિકાર થાય છે. તેથી ભાવ્ય-ભાવક બન્ને એક થાય છે. એક થાય છે એનો અર્થ એમ છે કે બન્નેનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ થાય છે. સમક્તિી છે એ જિતેન્દ્રિય જિન થયો છે, પરંતુ હુજા ભાવ્યભાવક-સંકરદોષ ટાળવાનો બાકી છે. ચારિત્ર-મોહનો ઉદય આવે છે અને તેના અનુસાર પ્રવૃત્તિ થવાથી ભાવ્ય-વિકારીદશા થાય છે. જ્ઞાની તે વિકારી ભાવનો ઉપશમ કરે છે. તે બીજા પ્રકારની સ્તુતિ છે.
જ્યારે મોહકર્મ સત્તામાંથી ફળ દેવાની શક્તિથી ભાવકપણે પ્રગટ ઉદયમાં આવે છે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com