________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪
[ સમયસાર પ્રવચન અહીં આ સમ્યકદર્શન-જ્ઞાન-ચારિત્રની વાત નથી. આ તો દ્રવ્ય-ગુણ-પર્યાયસ્વરૂપ આખો જીવ પદાર્થ કેવો છે તે સિદ્ધ કર્યું છે. પછી જીવનું સ્વસમય-પરસમયરૂપ પરિણમન સ્પષ્ટ કર્યું છે.
જીવ નામના પદાર્થનું પ્રથમ સાત બોલથી વર્ણન કર્યું છે. (૧) જીવ પદાર્થ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમયી સત્તાસ્વરૂપ છે. ટીકામાં ઉત્પાદ-વ્યય
ધ્રુવની એકતારૂપ અનુભૂતિને સત્તા કહેલ છે. અનુભૂતિનો અર્થ સત્તા
થાય છે. અનાદિથી જીવ સત્તારૂપ પદાર્થ છે. (૨) દર્શન-જ્ઞાનમયી ચેતનાસ્વરૂપ છે. દર્શન-જ્ઞાનના પરિણમનની વાત લીધી છે. (૩) અનંતધર્મસ્વરૂપ દ્રવ્ય છે. દ્રવ્ય હોવાથી વસ્તુ છે. (૪) ગુણપર્યાયવાળો છે. જીવ નામની વસ્તુ ગુણપર્યાયવાળી છે. (૫) તેનું સ્વ-પરપ્રકાશકજ્ઞાન અનેકાકારરૂપ એક છે. જોયું? જ્ઞાનમાં અનંતને
જાણે –લોકાલોકને જાણે છતાં જ્ઞાનની પર્યાય એકરૂપ છે. (૬) વળી તે જીવ પદાર્થ આકાશ આદિથી ભિન્ન અસાધારણ ચૈતન્ય
ગુણસ્વરૂપ છે. (૭) અન્ય દ્રવ્યો સાથે એક ક્ષેત્રમાં રહેવા છતાં પોતાના સ્વરૂપને છોડતો
નથી. ભલે અશુદ્ધરૂપે પરિણમે તોપણ પોતામાં જ રહે છે, પરમાં જતો
નથી–પરરૂપે થતો નથી. આવો જીવ નામનો પદાર્થ સમય છે. હવે સમ્યકદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણમન તથા મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણમનના સ્વરૂપને સ્પષ્ટ કરે છે.
જે શુદ્ધચૈતન્યપ્રાણથી ત્રિકાળ જીવે તે શુદ્ધ જીવ છે. ક્ષયોપશમભાવરૂપ અશુદ્ધભાવપ્રાણ અને પરદ્રવ્યરૂપ ઈન્દ્રિયાદિ પ્રાણોને દૃષ્ટિમાંથી છોડી, ત્રિકાળ શુદ્ધ જીવની દષ્ટિ-ચિ, એનું જ જ્ઞાન અને એમાં જ એકપણે રમણતા કરવી એ સમ્યકદર્શન-જ્ઞાન-ચારિત્ર છે. એ આત્માનો સદભૂતવ્યવહારપ્રાણ છે. એ સમય છે. એને ધર્મરૂપ પરિણમન કહે છે. આ ધર્મકથા છે, ભાઈ ! આ સિવાય બધી વિકથા છે. આકરી વાત લાગે પણ વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ છે.
આત્મા આત્માપણે પરિણમ્યો, સ્વભાવપણે પરિણમ્યો તે સ્વસમય છે. આ સ્વસમય એ પરિણમનરૂપ છે, સદભૂત વ્યવહાર છે. દર્શનજ્ઞાનસ્વભાવ એ ત્રિકાળ ઉપયોગ છે. ઉપયોગ તે આત્મા છે ને? આવો ત્રિકાળ ઉપયોગરૂપ જે સ્વભાવ એની ક્યાતીરૂપ જે શુદ્ધ આત્મતત્ત્વ તેની રુચિ, જ્ઞાન અને રમણતા એ સમ્યકરત્નત્રયરૂપ ધર્મ છે. તે વડે જીવ ધર્માત્મા છે, ધર્મી છે, આ સ્વસમય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com