________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
જીવ-અજીવ અધિકાર
ગાથા-૨
तत्र तावत्समय एवामिघीयते
जीवो चरित्तदंसणणाणठिदो तं हि ससमयं जाण।
पोग्गलकम्मपदेसट्ठिदं च तं जाण परसमयं ।।२।। પ્રથમ ગાથામાં સમયનું પ્રાભૃત કહેવાની પ્રતિજ્ઞા કરી. ત્યાં એ આકાંક્ષા થાય કે સમય એટલે શું? તેથી હવે પહેલાં સમયને જ કહે છે:
જીવ ચરિત-દર્શન-જ્ઞાનેસ્થિત સ્વસમય નિશ્ચય જાણવો;
સ્થિત કર્મયુગલના પ્રદેશે પરસમય જીવ જાણવો. ૨ ગાથાર્થ - હે ભવ્ય ! [ નીવ] જે જીવ [ ચરિત્રનજ્ઞાનથિત:] દર્શન-જ્ઞાનચારિત્રમાં સ્થિત થઇ રહ્યો છે [ā] તેને [ દિ] નિશ્ચયથી [સ્વસમાં] સ્વસમય [નાનીદિ] જાણ; [૨] અને જે જીવ [પુનર્મપ્રવેશસ્થિત] પુદ્ગલકર્મના પ્રદેશોમાં સ્થિત થયેલ છે [ત ] તેને [૫૨સમય] પરસમય [ નાનીદિ ] જાણ.
ટીકાઃ- “સમય” શબ્દનો અર્થ આ પ્રમાણે છે: “સમ' તો ઉપસર્ગ છે, તેનો અર્થ “એકપણુંએવો છે; અને “કર્યું તો' ધાતુ છે એનો ગમન અર્થ પણ છે અને જ્ઞાન અર્થ પણ છે; તેથી એકસાથે જ (યુગપદ) જાણવું તથા પરિણમન કરવું એ બે ક્રિયાઓ જે એકત્વપૂર્વક કરે તે સમય છે. આ જીવ નામનો પદાર્થ એકત્વપૂર્વક એક જ વખતે પરિણમે પણ છે અને જાણે પણ છે તેથી તે સમય છે. આ જીવ-પદાર્થ કેવો છે? સદાય પરિણામસ્વરૂપ સ્વભાવમાં રહેલો હોવાથી, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની એકતારૂપ અનુભૂતિ જેનું લક્ષણ છે એવી સત્તાથી સહિતછે. આ વિશેષણથી, જીવની સત્તા નહિ માનનાર નાસ્તિકવાદીઓનો મત ખંડિત થયો તથા પુરુષને (જીવન) અપરિણામી માનનાર સાંખ્યવાદીઓનો વ્યવચ્છેદ, પરિણમનસ્વભાવ કહેવાથી, થયો. નૈયાયિકો અને વૈશેષિકો સત્તાને નિત્ય જ માને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com