SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮ [ સમયસાર પ્રવચન આમ સિદ્ધોને પોતાના આત્મામાં તથા પરના આત્મામાં સ્થાપીને સમયનો (સર્વ પદાર્થોનો અથવા જીવ પદાર્થનો) પ્રકાશક પ્રાભૃત નામનો અહ-પ્રવચનનો અવયવ-અંશ, તેનું હું પરિભાષણ કરું છું આ સમય પ્રાભૃત એ સર્વ પદાર્થોનો વા જીવ પદાર્થનો પ્રકાશક છે અને તે અહંત પ્રવચનનો અંશ કહેતાં ભગવાન શ્રી અરિહંતના શ્રીમુખેથી નીકળેલી દિવ્યધ્વનિ –વાણી-પ્રવચન એનો એક અંશ છે. તેનું, અનાદિકાળથી ઉત્પન્ન થયેલ મારા અને પરના મોહના નાશ માટે પરિભાષણ કરું છું. અહીં આચાર્યશ્રી-મારામાં (પોતામાં) પણ ચારિત્રમોહની જે અલ્પ અસ્થિરતા છે તેનો તથા પર જીવોમાં જે મિથ્યાત્વ-રાગાદિ છે તેનો નાશ કરવાની વાત કરે છે મારે પણ હજી અલ્પ મોહ છે એમ કહે છે. અમૃતચંદ્રાચાર્યે ત્રીજા કળશમાં કહ્યું હતું ને કે આ ટીકા કરતાં મારા મોહનો નાશ થશે. તેઓશ્રીની જ આ ટીકા છે ને?! કહે છે કે મારા અને પરના મોહના નાશ માટે પરિભાષણ કરું છું, એટલે કે વ્યાખ્યા કરું છું. આ સમયસાર છે એ અહંત-પ્રવચનનો અવયવ એટલે અંશ છે. કેવો છે તે અવયવ ? અનાદિનિધન પરમાગમ શબ્દબ્રહ્મથી પ્રકાશિત છે, સર્વ પદાર્થોના સમૂહુને સાક્ષાત કરનાર કેવળી ભગવાન સર્વજ્ઞથી પ્રણીત છે. આમ કહીને આ સમયસારની પ્રામાણિકતા સિદ્ધ કરે છે. સમયસાર બન્યું છે કેમ? અનાદિ પરમાગમ છે એમાંથી બન્યું છે, અને સર્વજ્ઞ ભગવાને તે કહ્યું છે–પ્રણીત કર્યું છે, અને કેવળીઓના નિકટવર્તી સાક્ષાત્ (સીધા) સાંભળનાર, તેમ જ પોતે અનુભવ કરનાર-એટલે કે સાંભળીને આનંદ સ્વરૂપ આત્માનો અનુભવ કરનાર એવા શ્રુતકેવળી ગણધરદેવોએ કહેલું હોવાથી પ્રમાણતાને પામેલ છે. અન્યવાદીઓના આગમની જેમ અલ્પજ્ઞાનીની કલ્પનામાત્ર નથી. અન્યવાદીઓએ એટલે જૈન પરમેશ્વર સિવાય બીજાઓએ આગમ બનાવ્યાં છે એમ આ નથી. આ તો અનાદિ અનંત શબ્દબ્રહ્મ, સર્વજ્ઞકથિત અને શ્રુતકેવળીઓ તથા સાક્ષાત્ સાંભળનાર અને અનુભવ કરનાર એમણે કહેલું છે તેથી પ્રમાણ છે. બીજાઓના આગમ તો કલ્પિત છે. શ્વેતાંબરોએ પણ કલ્પિત આગમ બનાવ્યાં છે છદ્મસ્થ અલ્પજ્ઞાનીની કલ્પનામાત્ર હોય એવા આ આગમ નથી અલ્પજ્ઞાનીઓનાં કલ્પનામાત્ર આગમો છે તે બધાં અપ્રમાણ છે. *ભાવાર્થ ઉપરનું પ્રવચન* ગાથાસૂત્રમાં આચાર્ય “વક્ષ્યામિ' કહ્યું છે. તેનો અર્થ ટીકાકારે “વચ પરિભાષણે ' ધાતુથી પરિભાષણ કર્યો છે. સંસ્કૃત ટીકામાં છેલ્લા શબ્દો છે: “માવવીવી દ્રવ્યવાવા પરિભાષણમુપજ્યતે'– એનો આશય આ પ્રમાણે સૂચિત થાય છે. ચૌદ પૂર્વમાં જ્ઞાનપ્રવાદ નામના પૂર્વમાં બાર વસ્તુ અધિકાર છે, તેમાં પણ એક એકના વીશ વીશ પ્રાભૃત” Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008282
Book TitlePravachana Ratnakar 01
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy