________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
જીવ-અજીવ અધિકાર
ગાથા -૧૩ भूदत्थेणाभिगदा जीवाजीवा य पुण्णपावं च। आसवसंवरणिज्जरबंधो मोक्खो य सम्मत्तं ।।१३।। भूतार्थेनाभिगता जीवाजीवौ च पुण्यपापं च।
आस्रवसंवरनिर्जरा बन्धो मोक्षश्च सम्यकत्वम्।।१३।। એ પ્રમાણે જ શુદ્ધનયથી જાણવું તે સમ્યકત્વ છે એમ સૂત્રકાર ગાથામાં કહે છેઃ
ભૂતાર્થથી જાણેલ જીવ, અજીવ, વળી પુણ્ય, પાપ ને,
આસવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ તે સમ્યકત્વ છે. ૧૩. ગાથાર્થઃ- [ ભૂતાર્થેન માતા: ] ભૂતાર્થ નયથી જાણેલ [ નીવાનીવો] જીવ, અજીવ [૨] વળી [પુષ્પપાપં] પુષ્ય, પાપ [૨] તથા [સાભ્રવસંવરનિર્નર:] આસ્રવ, સંવર, નિર્જરા, [વશ્વ:] બંધ [૨] અને [ મોક્ષ: ] મોક્ષ [+]વર્તમ્] -એ નવ તત્ત્વ સમ્યકત્વ છે.
ટીકાઃ- આ જીવાદિ નવતત્ત્વો ભૂતાર્થનથી જાણે સમ્યગ્દર્શન જ છે. (-એ નિયમ કહ્યો); કારણ કે તીર્થની (વ્યવહારધર્મની) પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ (વ્યવહાર)નયથી કહેવામાં આવે છે એવાં આ નવ તત્ત્વો- જેમનાં લક્ષણ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ છે-તેમનામાં એકપણું પ્રગટ કરનાર ભૂતાર્થનયથી એકપણું પ્રાપ્ત કરી, શુદ્ધનયપણે સ્થપાયેલા આત્માની અનુભૂતિ-કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે- તેની પ્રાપ્તિ હોય છે. (શુદ્ધનયથી નવતત્ત્વને જાણવાથી આત્માની અનુભૂતિ થાય છે તે હેતુથી આ નિયમ કહ્યો.) ત્યાં, વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર-એ બન્ને પુણ્ય છે, તેમ જ એ બન્ને પાપ છે, આસ્રવ થવા યોગ્ય અને આસ્રવ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com