SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates જીવ-અજીવ અધિકાર ગાથા-૧૨ सुद्धो सुद्धादेसो णादव्वो परमभावदरिसीहिं। ववहारदेसिदा पुण जे दु अपरमे ट्ठिदा भावे।।१२।। शुद्धः शुद्धादेशो ज्ञातव्यः परमभावदर्शिभिः। व्यवहारदेशिताः पुनर्ये त्वपरमे स्थिता भावे।।१२।। દેખે પરમ જે ભાવ તેને શુદ્ધનય જ્ઞાતવ્ય છે; અપરમ ભાવે સ્થિતને વ્યવહારનો ઉપદેશ છે. ૧૨. હવે, “એ વ્યવહારનય પણ કોઈ કોઈને કોઈ વખતે પ્રયોજનવાન છે, સર્વથા નિષેધ કરવાયોગ્ય નથી; તેથી તેનો ઉપદેશ છે” એમ કહે છે: ગાથાર્થ- [ પરમાવમિ :] જે શુદ્ધનય સુધી પહોંચી શ્રદ્ધાવાન થયા તથા પૂર્ણ જ્ઞાન-ચારિત્રવાન થઈ ગયા તેમને તો [ શુદ્ધાદ્દેશ:] શુદ્ધ (આત્મા)નો ઉપદેશ (આશા) કરનાર [ શુદ્ધઃ] શુદ્ધનય [ જ્ઞાતવ્ય: ] જાણવાયોગ્ય છે; [ પુન:] વળી [૨ 1] જે જીવો [ પરમે ભાવે] અપરમભાવ-અર્થાત્ શ્રદ્ધા તથા જ્ઞાન-ચારિત્રના પૂર્ણ ભાવને નથી પહોંચી શક્યા, સાધક અવસ્થામાં જ-[સ્થિતી:] સ્થિત છે તેઓ [વ્યવહારવેશિતા:] વ્યવહાર દ્વારા ઉપદેશ કરવાયોગ્ય છે. ટીકાઃ- જે પુરુષો છેલ્લા પાકથી ઊતરેલા શુદ્ધ સુવર્ણ સમાન (વસ્તુના) ઉત્કૃષ્ટ ભાવને અનુભવે છે તેમને પ્રથમ, દ્વિતીય આદિ અનેક પાકોની પરંપરાથી પથ્યમાન (પકાવવામાં આવતા) અશુદ્ધ સુવર્ણ સમાન જે અનુત્કૃષ્ટ (મધ્યમ) ભાવ તેનો અનુભવ નથી હોતો; તેથી, શુદ્ધદ્રવ્યને કહેનાર હોવાથી જેણે અચલિત અખંડ એકસ્વભાવરૂપ એક ભાવ પ્રગટ કર્યો છે એવો શુદ્ધનય જ, સૌથી ઉપરની એક પ્રતિવર્ણિકા (સુવર્ણના વર્ણ) સમાન હોવાથી, જાણેલો પ્રયોજનવાન છે. પરંતુ જે પુરુષો પ્રથમ, દ્વિતીય આદિ અનેક Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008282
Book TitlePravachana Ratnakar 01
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy