SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૧૪૩ અહીં શુદ્ધનય કતકફળના સ્થાને છે. પાણી અને કાદવને જેમ કતકફળ જુદાં કરે છે. તેમ શુદ્ધનય અનુસાર વસ્તુ જે ત્રિકાળી અખંડ એકરૂપ જ્ઞાયકભાવ છે તેમાં દષ્ટિ કરતાં, તેનો અનુભવ કરતાં પર્યાયમાંથી મલિન પુણ્ય-પાપના ભાવ જાદા પડી જાય છે. પુણ્ય-પાપના ભાવ આત્માની શાંતિ દાઝતાં થાય છે. પદ્મનંદી પંચવિંશતિકામાં દાન અધિકારમાં દષ્ટાંત આવે છે કે તારી શાંતિ દાઝીને કષાયમંદતાના પરિણામ થયા. એના ફળરૂપે આ બાહ્ય સામગ્રી મળી. તેને જો તું એકલો ભોગવીશ અને ધર્મપ્રભાવના અર્થે તેનો ઉપયોગ નહીં કરે તો તું કાગડાથી પણ જાય તેવો છે. કેમકે પથ્થરની મૂંડીમાં દાઝેલા ઉકડી નાખ્યા હોય તે કાગડો “કા, કા, કા” એમ પુકારીને બીજા કાગડાઓને પણ બોલાવીને ખાય છે, એકલો ખાતો નથી. અહીં તો એમ કહેવું છે કે આવા પુણ્ય-પાપના ભાવોનો અનુભવ તે મિથ્યાદર્શન છે અને શુદ્ધનય વડ તે પુણ્ય-પાપની મલિનતા જુદી પડી જાય છે. તેથી જેઓ શુદ્ધનયનો આશ્રય કરે છે તેઓ જ સમ્યક અવલોકન કરતા હોવાથી સમ્યગ્દષ્ટિ છે, પણ બીજા સમ્યગ્દષ્ટિ નથી. શુદ્ધનયનો આશ્રય કરે છે એટલે કે ત્રિકાળી અભેદ એકરૂપ જ્ઞાયકનો જેઓ આશ્રય કરે છે તેઓ જ વસ્તુના સ્વરૂપને સમ્યક પ્રકારે જુએ છે, અનુભવે છે અને તેથી તેઓ જ સમ્યગ્દષ્ટિ છે. પરંતુ બીજા જેઓ અશુદ્ધનયનો સર્વથા આશ્રય કરે છે તેઓ સમ્યગ્દષ્ટિ નથી. જેઓ રાગનો, ભેદનો, એક સમયની પર્યાયનો આશ્રય કરે છે તેઓ સમ્યગ્દષ્ટિ નથી એટલે મિથ્યાદષ્ટિ જ છે. માટે કર્મથી ભિન્ન આત્માના દેખનારાઓએ વ્યવહારનય અનુસરવા યોગ્ય નથી. રાગથી તથા પર્યાયથી પણ ભિન્ન એવો પોતાનો જ્ઞાનાનંદમૂર્તિ ભગવાન છે એમ જેમને દૃષ્ટિ થઈ છે તેમણે વ્યવહારનય અનુસરવા યોગ્ય એટલે આશ્રય કરવા યોગ્ય નથી. રાગનું, ભેદનું કે પર્યાયનું યથાસ્થિત જ્ઞાન ભલે હો, પણ તેનો અનુભવ કે આશ્રય કરવા યોગ્ય નથી. * ભાવાર્થ ઉપરનું પ્રવચન * અહીં વ્યવહારનયને અભૂતાર્થ અને શુદ્ધનયને ભૂતાર્થ કહ્યો છે. જેનો વિષય વિદ્યમાન ન હોય તેને અભૂતાર્થ કહે છે. વ્યવહારનયને અભૂતાર્થ કહેવાનો આશય એવો છે કે-શુદ્ધનયનો વિષય અભેદ એકાકારરૂપ નિત્ય દ્રવ્ય છે, તેની દષ્ટિમાં ભેદ દેખાતો નથી, માટે તેની દષ્ટિમાં ભેદ અવિધમાન, અસત્યાર્થ જ કહેવો જોઈએ. જુઓ, શુદ્ધનયને અહીં ભૂતાર્થ કહ્યો છે. અતીન્દ્રિય આનંદનો પિંડ એવો જે જ્ઞાયકભાવ એને જ સત્ય કહ્યો છે. પર દ્રવ્યની તો અહીં વાત નથી. શરીર, મન, વાણી, દેવ, ગુરુ, શાસ્ત્ર, ઇત્યાદિ પર તો પરમાં રહ્યા. અહીં તો એક ત્રિકાળી દ્રવ્યસ્વભાવ અને Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008282
Book TitlePravachana Ratnakar 01
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy