SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૮ [ સમયસાર પ્રવચન કોઈ કહે છે મૂર્તિ ન માને તો ધર્મ થાય. અહીં કહે છે કે ભગવાનની મૂર્તિ છે. તેને માને તે શુભરાગ છે, ધર્મ નથી. આ શુભરાગ છે તે અસત્યાર્થ છે એમ કહ્યું છે. દયા પાળે, લાખોનું દાન કરે, ભગવાનની ભક્તિ કરે, એ તો શુભભાવ છે, તેથી પુણ્ય બંધાય, ધર્મ ન થાય ધર્મ જુદી ચીજ છે, ભાઈ ! જિનેન્દ્રનો માર્ગ લૌકિક માર્ગ સાથે મેળ ખાય તેવો નથી. આ અગિયારમી ગાથા જૈનદર્શનનો પ્રાણ છે. પ્રાણ વડે જીવ જીવે છે. જેમ પ્રાણ વિનાનાં મડદાં કહેવાય તેમ આ ગાથાના રહસ્યને ન સમજે તેને સમ્યગ્દર્શન ન થાય. તે જીવો પણ પ્રાણ વિનાનાં મડદાં જેવા છે. અખંડ વસ્તુમાં ભેદ પાડીને જાણવું કે “આ જ્ઞાન તે આત્મા’ એ વ્યવહાર અસત્યાર્થ છે. વ્યવહારનય સઘળો (ચારેય પ્રકારનો) અસત્યાર્થ છે. આ તો જન્મ-મરણના અંત આવે એવી અલૌકિક ધર્મકથા છે. તેને ધીરજથી, શાંતિથી, ધ્યાન દઈને સાંભળવી જોઈએ. આ સઘળો વ્યવહાર અસત્યાર્થ કહીને નિષેધ્યો છે, છોડાવ્યો છે, કેમકે તેના આશ્રયથી સમ્યગ્દર્શન થતું નથી. ભગવાન આત્મા અમૃત-સાગરથી ભરેલો છે. તે અભેદ, એકરૂપ પૂર્ણાનંદ વસ્તુ ભૂતાર્થ છે. તેને વ્યવહારનય અન્ય રીતે પ્રગટ કરે છે. પર્યાયમાં જે રાગાદિ છે તે આત્માના છે, રાગને જાણે તે આત્મા છે, અને આ “જ્ઞાન તે આત્મા” એમ અનેક પ્રકારે અભૂત અર્થને પ્રગટ કરે છે. આ ચારેય પ્રકારનો વ્યવહાર અભૂતાર્થ હોવાથી એટલે કે તેનો વિષય સત્ય નહિ હોવાથી અર્થાત્ એનો વિષય અસત્ય હોવાથી અર્થાત જે નથી તેવા અવિદ્યમાન અર્થને પ્રગટ કરતો હોવાથી જૂઠો કહી, તેનું લક્ષ કરવાનું છોડાવ્યું છે. તેથી વ્યવહાર છે એમ જાણવા માટે છે, પણ આદરવા યોગ્ય નથી, આશ્રય કરવા લાયક નથી. અહો ! અરિહંતદેવની 3ૐધ્વનિ જે નીકળી તેનો સાર-સાર લઈ શ્રીકુંદકુંદાચાર્યદવે પરમાગમની આ ગાથામાં ભરી દીધો છે. એક સમયમાં અભેદ, અખંડ, નિર્મળાનંદ જે આત્મવસ્તુ છે તે ભૂતાર્થ એટલે છતો-છતો છતો વિદ્યમાન પદાર્થ સત્ય છે. તેનો આશ્રય કરવાથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને વીતરાગી શાંતિની પ્રાતિના પ્રયોજનની સિદ્ધિ થાય છે તેથી તે મુખ્ય છે. અને સઘળો જે વ્યવહાર છે તે અસત્યાર્થ છે. તેના આશ્રયે પ્રયોજનની સિદ્ધિ થતી નથી તેથી તે ગૌણ છે, લક્ષ કરવા યોગ્ય કે આશ્રય કરવા યોગ્ય નથી. ભાઇ ! જૈનધર્મ તો કોઈ અલૌકિક ચીજ છે. કહ્યું છે ને કે જિન સોહી હૈ આત્મા, અન્ય સોહી હૈ કર્મ; યહે વચનસે સમજ લે, જિન પ્રવચનકા મર્મ. જુઓ, આ જિનપ્રવચન એટલે ભગવાન જિનેશ્વરદેવની દિવ્યધ્વનિનો મર્મ કહેતાં સાર આટલો છે કે-જિનસ્વરૂપ આત્મા છે, એટલે આત્મા વીતરાગ સ્વભાવ છે, તે ભૂતાર્થ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008282
Book TitlePravachana Ratnakar 01
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy