________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૪
[ સમયસાર પ્રવચન જ્ઞાન-દર્શન-ચારિત્રના ભેદ જાણીને અભેદની દૃષ્ટિ કરવી તે ધર્મ છે. ભેદ અભેદને બતાવે છે, પણ ભેદ દષ્ટિનો વિષય નથી. તેથી અહીં વ્યવહારનું આલંબન છોડાવી પરમાર્થે પહોંચાડે છે એમ સમજવું.
અભેદને બતાવવા વ્યવહાર કહ્યો, પણ વ્યવહાર આશ્રય લેવા માટે નથી. અહીં તો વ્યવહારનું આલંબન છોડાવી પરમાર્થનો આશ્રય કરાવ્યો છે. ત્રિકાળી ધ્રુવ વસ્તુનું આલંબન કરાવવા માટે ભેદથી ઉપદેશ છે. તેથી ભેદનું લક્ષ છોડી અખંડ આનંદકંદ અભેદ ચૈતન્ય સામાન્ય વસ્તુ જે આત્મા છે તેનો એકનો જ આશ્રય કરવો તે ધર્મ છે એમ જાણી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરવો, પણ ભેદમાં અટકવું નહીં.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com