________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૯O
[ નિયમસાર પ્રવચન શ્લોક પ૨: શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન: પદાર્થોરૂપી (-છ દ્રવ્યોરૂપી) રત્નોનું આભરણ....'
મુનિરાજ કહે છે કે જે છ દ્રવ્યો ભગવાને જોયાં છે તેની મેં અહીંયાં વ્યાખ્યા કરી છે અર્થાત તે છે દ્રવ્યોરૂપી રત્નોનું મેં આભરણ બનાવ્યું છે. શું કામ? કે, “મેં મુમુક્ષુના કંઠની શોભા અર્થે બનાવ્યું છે. આ વ્યવહારથી વાત છે હ. તો,
એના વડે ઘીમાન પુરુષ વ્યવહારમાર્ગને જાણીને...”
કહે છે-ધીમાન-બુદ્ધિમાન પુરુષ છે દ્રવ્યો, તેના પ્રદેશો, કાય વગેરે જાણીને, “શુદ્ધમાર્ગને પણ જાણે છે. '
જુઓ, શુદ્ધમાર્ગને પણ જાણે છે-એમ કહે છે. અહા ! વ્યવહારમાર્ગને અર્થાત્ છ દ્રવ્યો, તેના પ્રદેશો વગેરે બધું છે તેને જેમ છે તેમ પહેલાં જાણે છે, પછી તે જાણીને શુદ્ધમાર્ગને, અહાહા.! ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માની એકાગ્રતારૂપ પવિત્રમાર્ગને પણ તે જાણે છે. એટલે કે બધું જાણીને આ જાણવાનું છે એમ કહે છે.
અહા! “શુદ્ધમાર્ગને પણ જાણે છે” એમ કહ્યું છે. કેમકે છ દ્રવ્યોને જાણવાં તે વ્યવહારમાર્ગ છે. તો, વ્યવહારમાર્ગને જાણીને “શુદ્ધાત્માને પણ જાણે છે” એમ ન લેતાં, વ્યવહારમાર્ગને જાણીને “શુદ્ધમાર્ગને પણ જાણે છે એમ કહ્યું છે.
શું કહ્યું?
કે શુદ્ધ દ્રવ્યને-ચિદાનંદમય શુદ્ધાત્માને-પણ જાણે છે એમ ન કહ્યું, પણ વ્યવહારમાર્ગને જાણીને શુદ્ધમાર્ગને પણ જાણે છે એમ કહ્યું છે. કારણ કે ઉપર વ્યવહારમાર્ગ કહ્યો છે, એટલે પછી અહીં પણ શુદ્ધમાર્ગ લીધો છે.
હવે છેલ્લી ગાથા:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com