________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫૮
[ નિયમસાર પ્રવચન
શ્લોક ૪૨: શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન: (પરમાણુ ) પરપરિણતિથી દૂર.'
અહા ! એક છૂટા રજકણમાં જે પર્યાય થાય છે તે પરપરિણતિથી દૂર છે, અર્થાત્ તે પરપરિણતિના સંબંધથી રહિત છે. અને તેથી તે શુદ્ધપર્યાયરૂપ છે. તો, કહે છે
... “શુદ્ધપર્યાયરૂપ હોવાથી પરમાણુને સ્કંધ પર્યાયરૂપ શબ્દ હોતો નથી.”
શું કીધું? કે પરમાણુમાં સ્કંધ પર્યાયરૂપ શબ્દ હોતો નથી. અર્થાત્ ઘણા પરમાણુ ભેગા થાય ત્યારે આ વાણી (શબ્દ) નીકળે છે, પણ એક પરમાણુમાં તે શબ્દ હોતો નથી.
હવે કહે છે-“ જેમ ભગવાન જિનનાથમાં કામદેવની વાર્તા હોતી નથી...”
-આ તો દાખલો આપ્યો છે હ. કે વીતરાગ પરમાત્માને પાંચ ઈન્દ્રિયના વિષયને ભોગવવાની કામની વાસના હોતી નથી. અહા! જે પરમ વીતરાગ, પૂર્ણ આનંદસ્વરૂપ થયા છે તે જિનનાથ ભગવાનને કામદેવની વાર્તા હોતી નથી. “તેમ પરમાણુ પણ સદા અશબ્દ જ હોય છે (અર્થાત્ પરમાણુને પણ કદી શબ્દ હોતો નથી).'
એકલો પરમાણુ અશબ્દ છે. એ ગાથા પુરી થઈ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com