SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી નિયમસાર ગાથા ૫૦ - ૮૩ અગ્નિને ઊધઈ લાગતી નથી, તેમ જ્ઞાયકભાવમાં આવરણ, ઊણપ, કે અશુદ્ધિ આવતી નથી.” આ અહીં કહે છે: એવા શદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિઃ જે દૃષ્ટિનો વિષય. તેમાં અનુભવમાં ભેદ પણ નથી. આહા. હા! એક પરમ જ્યોતિ! “પરમ” કેમ કહ્યું? કે: અગ્નિની જ્યોતિ, દીવાની જ્યોતિ, ચંદ્રની જ્યોતિ; એ બધાને જ્યોતિ કહે છે. જ્યોતિ એટલે પ્રકાશ. પણ આ તો પરમ જ્યોતિ, ચૈતન્યમય પરમ જ્યોતિ, ત્રિકાળ એકરૂપ જ્યોતિ જ.. જ્યોતિ જ.. એકાંત લીધું. નિશ્ચયનયનો વિષય સમ્યક એકાંત છે. સદાય છે. સદાય છે. એવો જ છું. સ એપ સદેવ. સએવત્રિકાળ. સત્ તો એ જ છે. સદાય અર્થાત્ ત્રિકાળ. સત્ તો એ જ છે. આહા... હા! “અને આ જે ભિન્ન લક્ષણવાળા” ભિન્નના ત્રણ અર્થ કર્યા છે. ભિન્ન લક્ષણવાળા વિપરીત લક્ષણવાળા અને અજ્ઞાનભાવ. રાગાદિભાવ અજ્ઞાનભાવ છે. ટીકામાં છે. મારું ચૈતન્યસ્વરૂપ જે જ્ઞાયકભાવ એકરૂપ જ્યોતિ; એનાથી ભિન્ન લક્ષણવાળા એ રાગાદિ વ્યવહાર (ભાવ) ગમે તે હોય તે સ્વભાવથી વિપરીત લક્ષણવાળા (છે). સ્વભાવનું લક્ષણ તો પહેલાં કહ્યું છે. રાગાદિ-દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધાદિના પરિણામ, સ્વભાવથી વિપરીત લક્ષણવાળા, ભિન્ન લક્ષણવાળા છે. હું જ્ઞાનજ્યોતિસ્વરૂપ. તો એ રાગાદિ અજ્ઞાનસ્વરૂપ. રાગમાં જ્ઞાનનો-ચેતનાનો અંશ નથી. સમજાણું કાંઈ? (સમયસાર') અજીવ અધિકારમાં રાગને અજીવના કહ્યા. અજીવ કહ્યા. પુદ્ગલપરિણામ કહ્યાં. આહા... હા ! રાગાદિ ભિન્ન લક્ષણવાળા છે. રાગાદિ વિકલ્પ ચાહે તો ભગવાનની ભક્તિનો હોય કે ગુણ-ગુણીના ભેદનો હોય, પણ તે મારા સ્વરૂપના લક્ષણથી તો અન્ય લક્ષણવાળા છે, અજ્ઞાનમય છે. “સર્વવિશુદ્ધ અધિકાર” માં પહેલાં ભિન્ન પાડતાં પાડતાં પછી છેલ્લો અજ્ઞાન (જ્ઞાનેશ્વમાવવાનૂ) શબ્દ છે. (પરમ અધ્યાત્મ તરંગિણી મોક્ષાધિકાર કળશ-૬માં આવે છે કે, “મયે સિદ્ધાંત: સિદ્ધ-નિષ્પન્ન: મંત:- ધર્મ: સ્વભાવો વા યસ્ય સ: તાત્પર્ય વા. સેવ્યતાં આશ્રયતાં, હૈં? મોક્ષાર્થે ઉમ:- મુમુક્ષુમિર્યોનિમ:, વિમૂતે ? ઉદ્દાત્તરિત ચરિતૈ:... યત: यस्मातकारणात् पृथग्लक्षणाः आत्मनः विपरीतलक्षणाः अज्ञानस्वभावत्वात्।” હવે આપણે તો અહીં લેવું છે: “પૃથક્ષેત્નક્ષUT: કાત્મ: વિપરીતનHTT:”– સંસ્કૃત ટીકા છે. રાગ તો અજ્ઞાનસ્વભાવવાળા છે. એ તો સમયસાર” કર્તાકર્મ અધિકાર, ગાથા-૭રમાં કહ્યું ને.! કેઃ રાગ જડ છે. કારણ કે, રાગ પોતાને જાણતો નથી અને આત્માને જાણતો નથી. અને ભગવાન (આત્મા) પોતાને જાણે છે અને રાગને પણ જાણે છે. એ (રાગ) જડ છે. અને આ (આત્મા) ચૈતન્ય છે. અહીંયાં કહ્યુંઃ (એ રાગાદિ ) ભિન્ન લક્ષણવાળા છે. અજ્ઞાન લક્ષણસ્વરૂપ છે અને વિપરીત લક્ષણસ્વરૂપ (અર્થાત્ ) સ્વરૂપથી વિપરીત લક્ષણવાળા છે. એક વાત. વળી, વિવિધ પ્રકારના છે. એટલે કે એક પ્રકારે નથી. પહેલાં આવ્યું હતું કેઃ શુદ્ધ ચૈતન્યમય ‘એક’ પરમજ્યોતિ; એની સામે ‘વિવિધ” આવ્યું. સમજાણું કાંઈ ? આહા. હા! હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમજ્યોતિ જ સદાય છે. એની સામે (એ રાગાદિ ) ભિન્ન લક્ષણવાળા છે, વિવિધ પ્રકારના છે; (અર્થાત્ ) શુભવિકલ્પ અને અશુભવિકલ્પ અનેક પ્રકારના છે. અશુભ તો ઠીક! પણ શુભવિકલ્પ પણ અસંખ્ય પ્રકારના છે. એ (બધા) પ્રગટ ભિન્ન લક્ષણ, અજ્ઞાન લક્ષણ અને વિપરીત લક્ષણવાળા છે. એ પ્રગટ ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના (રાગાદિ ) ભાવ છે. (અર્થાત્ ) છે તો ખરા. એ ભાવ અસ્તિ છે. હેયપણે; પણ છે કે નહીં? તો કહ્યું કેઃ “વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy