SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૨ – પ્રવચન નવનીતઃ ભાગ-૨ એક ક્ષુલ્લક હતા. બિચારા ગુજરી ગયા. અહીં (સાંભળવા) ઘણીવાર આવતા. લોકો પૂછે તો ઘણી થોડી વાત કહેતાઃ “પરથી બસ, પોતાનામાં વસ; ટૂંકું ને ટચ, એટલું બસ.” સાર તો આ છે, ભાઈ ! પરથી ખસ, ખસ એટલે હુઠ. “પરથી રથી ખસ, સ્વમાં વસ; એટલું બસ, ટૂંકું .” આહા.. હા ! બધા સિદ્ધાંત (નો સાર આ છે). (બાકી તો ) પરથી (શાસ્ત્ર આદિથી) જાણપણું કરે કે ગમે તે લાખ (ક્રિયાઓ) કરે પણ ( એ કર્તવ્ય નથી) કરવા લાયક તો આ ચીજ છે ( -પરથી ખસ, સ્વમાં વસ') . વસ્તુ તો આ છે. (અહીંયાં કહે છેઃ) આ સિદ્ધાંતનું સેવન કરો કે: “તો”. “હું” શબ્દમાં કેટલો (ભાર છે! કેઃ હું) પ્રત્યક્ષ (છે. જેમ કે નજર સામે) માણસ ઊભો છે તેમ. એમ કહે છે. હું ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ ! હું પરની-રાગની, વ્યવહારની-અપેક્ષા છોડીને મારી નિર્મળપર્યાયમાં પ્રત્યક્ષ થવાવાળો છું. આહા... હા ! સમજાણું કાંઈ ? “તત્ત્વાર્થસૂત્ર' (અધ્યાય-૧, સૂત્ર-૯) માં છે કે મતિજ્ઞાનને પાંચ ઇંદ્રિયો અને મન દ્વારા (અર્થાત્ નિમિત્તથી) કહ્યું છે. અને મતિજ્ઞાન દ્વારા (જાણેલા પદાર્થને વિશેષરૂપે જાણવું તે) શ્રુતજ્ઞાન છે, એમ કહ્યું છે. (આ કથન) વ્યવહારનયથી છે. સૂત્ર યાદ ન રહે, ભાવ મગજમાં હોય. મતિ (જ્ઞાન) માં મન અને ઇન્દ્રિયો નિમિત્ત. અને શ્રુત (જ્ઞાન) માં મન નિમિત્ત. એ વ્યવહારથી. આ પ્રશ્ન ઘણાં વર્ષ પહેલાં ૧૯૮૨ ની સાલમાં રાજકોટમાં ચાલ્યો હતો કે શાસ્ત્રમાં તો મતિ અને શ્રુત, મન અને ઇન્દ્રિયો દ્વારા થાય છે, તો એનાથી તો આત્મા જાણવામાં આવતો નથી. (છતાં) અહીં તમે એમ કહો છો (કઃ આત્માને જાણો !) “તત્ત્વાર્થસૂત્ર' માં એવું આવે છે: મતિ (જ્ઞાનમાં) મન અને ઇન્દ્રિય નિમિત્ત. શ્રુત(જ્ઞાન) માં અણઇન્દ્રિય-મન (નિમિત્ત). અહીંયાં તો એ પણ નહીં. એ વાત ત્યાં ગૌણ રહી છે. વ્યવહાર સાથે છે ને...અહીંયાં તો (આત્માનો અનુભવ-સ્વસંવેદન) પ્રત્યક્ષપણે મતિ અને શ્રુતજ્ઞાનમાં આવે છે. સમયસાર” ગાથા-૧૪૪ માં “પ્રત્યક્ષ' લીધો છે. (આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે,) વિકલ્પને હેય જાણી તેને છોડીને, મતિ અને શ્રુત-બુદ્ધિઓને આત્મતત્ત્વમાં લાવો. આહા... હા ! શ્રુતતત્ત્વને આત્મા તરફ લાવો. એમ અહીંયાં છે: “હું તો શુદ્ધ ચૈતન્યમય”- એકલો જ્ઞાનમય! આહા.... હા! “હું તો શુદ્ધ ચૈતન્યમય'! (અહીં) ચૈતન્યવાળો” એમ પણ ન કહ્યું. કેમ કે: ચૈતન્યવાળો (કહેવામાં) પણ ભેદ પડી જાય છે માટે “ચૈતન્યમય’ કહ્યું. આહા.. હા! સમજાય છે કાંઈ ? હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ”- મતિ આદિનો ભેદ પણ લક્ષમાં ન લેવો. આહા.. હા! “હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય છું.” આહા... હા! હું ચૈતન્યજ્યોતિનું ધામ (છું ) !! એક (ચૈતન્ય) સ્વરૂપી પરમ ધામ છું. શ્રીમદ્દમાં (“આત્મસિદ્ધિ ગાથા-૧૧૭માં) એ કહ્યું છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ.” શુદ્ધ અર્થાત્ પવિત્ર, બુદ્ધ અર્થાત્ જ્ઞાનનો સાગર. એ “શુદ્ધ ચૈતન્યમય’ – શુદ્ધમાં એ શુદ્ધ આવ્યું અને ચૈતન્યમાં એ બુદ્ધ આવ્યું. શુદ્ધ બુદ્ધ ચૈતન્યમય સ્વયં જ્યોતિ સુખધામ, એ પરમજ્યોતિ. આહા. હા! બહેનશ્રીનાં વચનામૃત” ૩૮૦-બોલમાં આવે છે ને ! “જેમ કંચનને કાટ લાગતો નથી, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy