SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૮ – પ્રવચન નવનીતઃ ભાગ-૨ પ્રમેય થાય છે અને આખો સમુદાય-એકરૂપ દ્રવ્ય (પણ) પ્રમેય થાય છે. આહા. હા! સમજાણું કાંઇ? પછી તો ખુલાસો કર્યો કે તે આત્મદ્રવ્ય દ્રવ્યનયે (ચિન્માત્ર) છે. હમણાં બધાં વ્યાખ્યાન થઈ ગયાં. અહીં તો આપણે એટલું લેવું હતું. (પ્રશ્નઃ) આ પરમપારિણામિકભાવ “લક્ષણ ” અને “લક્ષ” કારણસમયસાર; એવો ભેદ છે? (સમાધાનઃ) ત્યાં એમ કહેવું નથી. ત્યાં તો પરમપરિણામિકસ્વભાવ એક વસ્તુ; એને ‘આધાર’ કહીને, અનંત સહજ જ્ઞાન-દર્શન જે ત્રિકાળી અનંત સ્વભાવભાવ; એને “આધેય” કહીને, “દષ્ટિ” કારણસમયસાર ઉપર લઈ જવી છે. એ બતાવવું છે. સમજાણું કાંઈ ? પ્રવચનસાર” જયસેન આચાર્યની સંસ્કૃત ટીકા, એમાં એક-૧૩૬ (ગાથા) ઉપરથી નાખી છે, મૂળમાં નથી. પણ તેમને ક્યાંકથી મળી છે. એ અંદર નાખી છે. ગાથાઃ “एदाणि पंचदव्वाणी उज्झियकालं तु अत्थिकाय त्ति। મujતે વાયા પુખ વહુપૂરેસા પાયત્ત” આ પંચાસ્તિકાય મધ્યે જીવાસ્તિકાય ઉપાદેય. જીવાસ્તિકાય જે શુદ્ધ ચૈતન્ય ભગવાનસ્વરૂપ વિધમાન છે એ ઉપાદેય છે. એક જીવ નહીં. સંસ્કૃત ટીકામાં છે: “ સત્ર પગ્નાસ્તિwાયમધ્યે નીવાસ્તિીય ઉપાધેયસ્તત્રાપિ પપરમેષ્ટિપર્યાયાવરથા,” ઉપાદેયમાંથી વિશેષ લ્યો તો પંચપરમેષ્ઠી (છે). પંચપરમેષ્ઠીમાંથી પણ અહંત અને સિદ્ધ (ઉપાદેય છે.) એમાંથી પણ એક સિદ્ધ, અને એમાંથી પણ એ એક (નિજ શુદ્ધાત્મા જ) ઉપાદેય છે. બધો સાર કાઢીને (કહ્યું કે: એ એક મૂળ તો જીવાસ્તિકાય આખો ભગવાનસ્વરૂપ પરમાનંદમૂર્તિ (ઉપાદેય છે.) " वस्तुतस्तु रागादिसमस्तविकल्पजालपरिहारकाले सिद्धजीवसदृशा स्वकीयशुद्धात्मावस्थेति ભાવાર્થ: પહેલાં પંચાસ્તિકાયમાં જીવાસ્તિકાય ઉપાદેય છે એમ કહ્યું. અહીં (લોકમાં) અનંત જીવ છે. બધા ભગવાન. અહીં એક અંગુલના અસંખ્યાતમા ભાગમાં અસંખ્ય નિગોદશરીર અને એક શરીરમાં અનંત નિગોદના જીવ છે એવો આખો લોક (નિગોદના જીવોથી) ભર્યો છે. સિદ્ધભગવાન બિરાજે છે ત્યાં પણ નિગોદના જીવો છે. બધા ભગવાન છે. જીવાસ્તિકાય તરીકે ઉપાદેય છે, એમ કહે છે. દ્રવ્ય તરીકે હોં..! એમાં પછી (ઉપાદેયરૂપે ) પંચપરમેષ્ઠી લેવા. પછી એમાંથી પણ અહંત-સિદ્ધ લેવા; પછી એમાંથી પણ સિદ્ધ લેવા; અને એમાંથી પણ પોતાનો શુદ્ધ આત્મા લેવો. (શ્રોતા) સર્વ કથનનું તાત્પર્ય શું છે? (ઉત્તર) આ તાત્પર્ય છે કે અંદરમાં અંતદૃષ્ટિ કરવી અને અનુભવ કરવો. બાકી તો બધી વાતો છે. સમજાણું કાંઈ ? લ્યો! આધારઆધેયમાં આટલું આવ્યું. (... શેષાંશ પૃ. ૭૯ ઉપર) (.. પ્રવચન તા. ૭-૨-૧૯૭૮ નો શેષભાગ). હવે, ટીકાકાર મુનિ પદ્મપ્રભમલધારિદેવ પોતે આધાર આપે છે કે - એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસાર” ની આત્મખ્યાતિ નામની ટીકામાં ૧૮૫મા શ્લોક દ્વારા) કહ્યું છે કે (શાર્દૂનવિદોહિત) “ सिद्धांतोऽयमुदात्तचित्तचरितैर्मोक्षार्थिभिः सेव्यतां शुद्धं चिन्मयमेकमेव परमं ज्योतिः सदैवास्म्यहम्। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy