SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી નિયમસાર ગાથા ૫૭ – ૭૭ કહ્યું કે: જેટલી વિકૃત કે અવિકૃત અવસ્થા થાય છે અને જે અનંત ગુણ છે-એ બધાનો સ્વામી આત્મા છે. બધાનો અધિષ્ઠાતા આત્મા છે. સમજાણું કાંઈ ? આહા... હા! આવી વાતો !!! ઝીણી પડે, શું થાય? આ (સંપ્રદાયમાં) તો (માને છે કે) ‘છાની પરિમયામી' વગેરે બોલે ને સામાયિક થઈ ગઈ ! (પણ એમાં) ધૂળેય સામાયિક નથી! આહા.... હા ! “સામાયિક' કોને કહેવી? એ તો તને હજી ખબર નથી. સામાયિક= સમય વીતરાગતાનો લાભ. તો વીતરાગપણાનો લાભ ક્યારે થાય ? કે જ્યારે પોતાના આનંદસ્વભાવમાંથી સ્વરૂપનું વદન થયું હોય. સ્વરૂપનું જ્ઞાન અને શેય પણ (એ), (એટલે કે) જ્યાં પોતાની જ્ઞાનપર્યાયમાં દ્રવ્યરૂપી જ્ઞયનું જ્ઞાન થયું હોય! “એ શેય” પર્યાયમાં આવતું નથી. પણ પર્યાયમાં ‘દ્રવ્યશય” નું જ્ઞાન થાય છે. એમ શ્રદ્ધાની પર્યાયમાં પૂર્ણ દ્રવ્યની પ્રતીતિ આવે છે પણ શ્રદ્ધાની પર્યાયમાં ‘પૂર્ણ દ્રવ્ય” આવતું નથી. એવી (નિર્મળ ) પર્યાય વડે, પર્યાયમાં, (“આત્મદ્રવ્ય ') જાણવામાં આવ્યું માટે તેને ‘આધાર’ કહ્યો. એ પર્યાય, એમાં (દ્રવ્યમાં) છે; માટે (દ્રવ્યને) એનો સ્વામી કહ્યો. સમજાય છે કાંઈ? આવી વાત છે!! બાપુ, શું થાય ? (અહીં ૪૭ નયમાં કહે છે કેઃ) પ્રથમ તો, આત્મા ખરેખર ચૈતન્યસામાન્ય વડે વ્યાસ અનંત ધર્મોનું અધિષ્ઠાતા (એક દ્રવ્ય છે.)” એ રાગ પણ ધર્મ છે. ધર્મ અર્થાત્ ધારી રાખવું પોતાની પર્યાયમાં ધારી રાખ્યું માટે ધર્મ. અહીં ધર્મ એટલે વીતરાગીપર્યાય એમ નહીં. અનંત ધર્મોનું અધિષ્ઠાતા (એક દ્રવ્ય !) સમજાણું કાંઈ ? આહા... હા! સમજાય એટલું સમજવું, બાપુ! માર્ગ તો આવો છે, ભાઈ! સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમાત્માની વાણીમાં દિવ્યધ્વનિમાં એમ આવ્યું છે. એ સંતો કહે છે. અને એવું અનુભવમાં આવવું જોઈએ. અહીં વિકારમાં મિથ્યાત્વ ન લેવું. અહીં જે અનંત નયોનું-અનંત ધર્મોનું અધિષ્ઠાતા કહ્યું તેમાં મિથ્યાત્વ ન લેવું. અહીં તો સમ્યગ્દષ્ટિને, જેને અંતર જિજ્ઞાસા થઈને અનુભવ થયો છે એને ઉત્તર આપવામાં આવે છે. એમ લખ્યું છે. અહીં તો “નય” છે ને..? “નય” છે એ કોઈ અજ્ઞાનીને હોતા નથી. “નય' શ્રુતજ્ઞાનીને હોય છે. તો “શ્રુતજ્ઞાની” ક્યારે થાય? કે: દ્રવ્યનો અનુભવ થાય ત્યારે “શ્રુતજ્ઞાની” થાય છે. નય તો શ્રુતજ્ઞાનનો અવયવ છે. અને શ્રુતપ્રમાણ એ અવયવી છે. નય અવયવ છે. તો એ (શ્રુતજ્ઞાની) બધા-રાગાદિ–અવયવને જાણવાવાળો છે. સમકિતીને પણ દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ આવે છે પણ (એને જાણવાવાળું શ્રુતપ્રમાણજ્ઞાન છે.) સમજાણું કાંઈ ? અહીં એ કહ્યું: “[ કારણ કે અનંત ધર્મોમાં વ્યાપનારા જે અનંત નયો તેમાં વ્યાપનારું) જે એક શ્રુતજ્ઞાનસ્વરૂપ પ્રમાણે તે પ્રમાણપૂર્વક સ્વાનુભવ વડે (તે આત્મદ્રવ્ય પ્રમેય થાય છે (જણાય છે).]” અનંત નયોમાં વિકૃત અને અવિકૃત બને અવસ્થા આવી ગઈ તેનો સ્વામી છે. કારણ કે-શ્રુતપ્રમાણમાં દ્રવ્ય અને પર્યાય બેઉનું જ્ઞાન આવી ગયું અને શ્રુતજ્ઞાનપ્રમાણથી સ્વાનુભવઅંતઅનુભવ કરવાથી (તે આત્મા) પ્રમેય થાય છે. જ્ઞાનમાં જ્ઞયનું જ્ઞાન થાય છે. શ્રુતપ્રમાણ થાય છે તેથી વિકૃત અને અવિકૃત બધી પર્યાય અને ગુણ પ્રમેય થાય છે (અર્થાત્ ) શ્રુતપ્રમાણજ્ઞાનમાં વિકારી અવસ્થા પણ પ્રમેય થાય છે, નિર્વિકારીઅવસ્થા પણ પ્રમેય થાય છે, ત્રિકાળી ગુણો પણ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy