SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭) – પ્રવચન નવનીત: ભાગ-૨ અમારું મન પરમાગમના સારની પુષ્ટ રુચિથી ફરી ફરીને અત્યંત પ્રેરિત થાય છે. (એ રુચિથી પ્રેરિત થવાને લીધે “તાત્પર્યવૃત્તિ” નામની આ ટીકા રચાય છે).” આહા... હા! આ મુનિ-આ દિગંબર સંત, અતીન્દ્રિય આનંદમાં કિલ્લોલ કરે છે. અંદર અતીન્દ્રિય આનંદના હિલોળા (ઊઠ) છે. જેમ દરિયાકાંઠે ભરતી આવે છે તેમ મુનિને અતીન્દ્રિય આનંદની ભરતી આવે છે. એમ તો સમ્યગ્દષ્ટિને પણ આનંદનો અનુભવ છે પણ તે અંશે છે. અને અહીં (મુનિને) તો આનંદની મોટી ભરતી આવે છે. અંદર આનંદ ઊછળે છે. આ તો ટીકા બની ગઈ, નહીંતર અમે તે કોણ? પણ અમને એવો વિકલ્પ આવ્યા કરે છે કે “આ નિયમસારની પુષ્ટિ થાઓ', તે કારણે ટીકા થઈ જાય છે. આહા.. હા! અહીંયાં તો કહ્યું: “શુદ્ધઅંત:તવસ્વરૂપ આ સ્વદ્રવ્યનો આધાર” આહા. હા ! ભારે વાત. ભાઈ ! પહેલાં સહજ અંત:તત્ત્વ સ્વદ્રવ્ય કહ્યું અને સ્વદ્રવ્યનો આધાર એને સ્વદ્રવ્ય” કેમ કહ્યું? કેમકે, એને-પર્યાયને પરદ્રવ્ય કહી ને..? તો એ અપેક્ષાએ આ ભાવને સ્વદ્રવ્ય' કહ્યું. આમ તો “પ્રવતિ તિ દ્રવ્યમા” દ્રવ્ય કોને કહીએ? “પંચાસ્તિકાય” માં ૯મી ગાથામાં બે બોલ છે: ‘વિવુિં,‘ઋરિ', ‘વિય િછરિ' , તાડું તારું ભાવUgયારૅ નં વિયં તું ભણંતે ગણUTમૂર્વ તુ સત્તાવો” | II ત્યાં “વિઃિ ' (સ્વભાવપર્યાયોને દ્રવિત થાય છે) શુદ્ધ પરિણતિ લીધી છે અને ‘છવિ' (વિભાવ પર્યાયોને પ્રાપ્ત થાય છે) વિભાવ પરિણતિ લીધી છે. બેય શબ્દમાં ભેદ પાડયો છે. ‘વિયર ઋરિ તાડું તારું ભાવપyયાડું નો' એ સદ્ભાવ (રૂપ) પર્યાય છે. ભલે વિકાર હોય પણ એ પર્યાય તો એની છે ને! અસ્તિકાય સિદ્ધ કરવું છે ને.? (પર્યાય) એના અસ્તિત્વમાં છે. અને (એ) વિકાર પરના અસ્તિત્વમાં નથી. અન્વયાર્થ જુઓઃ “તે તે સદભાવપર્યાયોને જે દ્રવિત થાય છે–પામે છે. તેને (સર્વજ્ઞ) દ્રવ્ય કહે છે કે જે સત્તાથી અનન્યભૂત છે.” અર્થાત્ સત્તાથી એકમેક છે. દ્રવ્ય કંઈ સત્તાથી ભિન્ન નથી એટલું સિદ્ધ કર્યું. સમજાણું કાંઈ ? (અહીંયાં કહે છે.) શુદ્ધભાવ જે ત્રિકાળ છે, એ સ્વદ્રવ્ય; એનો આધાર સહજપરમપારિણામિકભાવલક્ષણ” –સ્વાભાવિક પરમપરિણામિકભાવલક્ષણ. આહા.. હા ! જુઓઃ સ્વાભાવિકપરમપરિણામિકભાવ. (આમ તો) પરમાણુમાં પણ પરમપરિણામિકભાવ કહ્યો છે. પણ અહીં તો એ જ્ઞાયકભાવ લીધો (સમયસાર ') છઠ્ઠી ગાથામાં. નહીંતર બતાવવો છે તો પરમપારિણામિકલ્સાયકભાવને. પણ પારિણામિકભાવ તો દરેક દ્રવ્યમાં છે જ. પણ અહીંયાં જે પારિણામિકભાવ' કહ્યો તે ત્યાં (“સમયસાર” ગાથા-૬માં) કહ્યો નથી પણ ત્યાં “જ્ઞાયક' કહ્યો. કારણ કે જીવને પરમપરિણામિકભાવ એટલે જ્ઞાયકભાવ ત્રિકાળ છે. અને અહીં પરમપરિણામિકભાવ કહે છે. અહીં તો ચોખ્ખી ભાષા કરી નાખી. અહીં સહજજ્ઞાન, સહજદર્શન આદિ ભાવ લીધા તો એ ભાવ બીજાં (દ્રવ્યો) પરમાણુ વગેરેમાં તો છે જ નહીં. શું કહ્યું? સમજાણું કાંઈ? ત્યાં છઠ્ઠી ગાથામાં જ્ઞાયકભાવ' કહ્યો છે. અહીં પરમપારિણામિકભાવ કહ્યો; પણ પારિણામિકભાવ તો પરમાણુ આદિ દરેક દ્રવ્યમાં (હોવાથી) દ્રવ્યસ્વભાવ તો પરમપરિણામિકભાવે જ છે. માટે એ પરમપરિણામિક કહેતાં આત્મા ન સમજે એટલે આત્માને જ્ઞાયકભાવ કહ્યો. અને અહીંયાં તો પહેલાં સહજજ્ઞાન, સહજદર્શન, આદિ ભાવ કહ્યા અને એનો આધાર' પરમપરિણામિક છે એમ કહેશે. સમજાણું કાંઈ ? અહીં જે સહજજ્ઞાન, દર્શન, આનંદ આદિ ભાવ કહ્યા તે ભાવ ચૈતન્યના છે, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy