SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૨ – પ્રવચન નવનીત: ભાગ-૨ કહ્યું હતું ને...! સંવત ૧૯૬૪-૬૫ હશે. અમારી દુકાન પાલેજમાં હતી. અમે તો ૧૭ વર્ષની ઉંમરથી દુકાન ચલાવતા હતા. વડોદરા માલ લેવા ગયા હતા. માલ લઈ લીધો. ૧૯-૨૦ વર્ષની ઉંમર. રાત્રે નાટક જોવા ગયા. “અનસૂયા સતી' નું નાટક હતું. મોટું નાટક હતું. બાર આનાની ટિકિટ હતી અને પુસ્તક બાર આનાનું. ભાઈ ! તમે શું બોલો છો એની ખબર ન પડે અને એ ખ્યાલમાં આવ્યા વિના એકલું શું જવું? માટે બાર આના બીજા લ્યો અને પુસ્તક આપો. પુસ્તક લીધું. એ (નાટક) માં એક બાઈ હતી તે લગ્ન કર્યા વિના સ્વર્ગમાં જતી હતી ત્યારે સ્વર્ગમાં નકાર કર્યો. વેદાંતમાં આવે છે ને.. “મપુત્રસ્ય ગતિ નાસ્તિ” અપુત્ર હોય તેની ગતિ નથી. તો (બાઈએ પૂછયું કે) પછી (મારે) શું કરવું? (ત્યાં કહ્યું કેઃ) નીચે પડ અને નીચે જ્યાં પડ તેની સાથે લગ્ન કર. ત્યાં નીચે એક આંધળો બ્રાહ્મણ હતો. તેની સાથે લગ્ન કર્યું. બાળક થયું. હાલરડાં ગાતી હતી બેટા! શુદ્ધોસિ... બોસિ... નિર્વિકલ્પોસિ... ઉદાસિનોસિ.. એવો તું છો ! ઘણા શબ્દો હુતા પણ એટલા જ યાદ રહી ગયા છે-૩ીસીનોSહં.. શુદ્ધો:૬. વૃદ્ધોSહં. પણ એ તો કેટલાં વર્ષ થઈ ગયાં? ૬પ ની સાલ. ૬૯ વર્ષ. પણ આ શબ્દ બોલાતા હતા, ત્યાં ભાન તો ક્યાં હતું કાંઈ ? જુઓ, આપણે શબ્દ આવે છે ને...! “સમયસાર' બંધ અધિકારમાં અને સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં છેલ્લે તેમ જ “પરમાત્મપ્રકાશ” માં છેલ્લે આવે છે. બંધ અધિકાર' સંસ્કૃત છે ને..! હમણાં વ્યાખ્યાન થઈ ગયાં છે. “તસ્ય વંધચ વિનાશાઈ વિશેષમાવનામીહંસ૬નશુદ્ધજ્ઞાનાનંવૈવસ્વભાવોS૬, નિર્વિવત્પS૬, ૩ીસીનોÉ– હું તો પર્યાયમાં પણ રહી શકું નહીં, મારું આસન તો ધ્રુવમાં છે. આહા... હા ! આપણે એ ‘અવ્યક્ત” ના છઠ્ઠી બોલમાં આવે છે: “પોતે પોતાથી જ બાહ્ય-અભ્યતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં પણ વ્યક્તપણા પ્રતિ ઉદાસીનપણે પ્રધોતમાન (પ્રકાશમાન ) છે માટે અવ્યક્ત છે.” એ રમણતા પ્રત્યે ૧ છે, આનંદનું રમણ છે એના પ્રત્યે પણ ઉદાસીન છે. એનું આસન અવ્યક્તમાં છે. સમયસાર' ગાથા-૪૯માં છ બોલ છે ને...! એના ઉપર પણ હુમણાં વ્યાખ્યાન થઈ ગયાં છે. અહીં આટલું લેવું છે બસ! (“૩ારીનોSÉ') બીજું તો ત્યાં ક્યાં હતું કાંઈ ! પણ એટલા શબ્દો મેં તે વખતે (“અનસૂયા સતી ' ના નાટકમાં) સાંભળ્યાઃ અહો.. હો ! શું કહે છે આ તે-નિર્વિવત્વોSહં.. શુદ્ધોSહં.. વૃદ્ધો૬.. એ “અહું' તો આપણે છે અહીંયાં. ત્યાં બોલતા હતા-શુદ્ધોસિ.. બુદ્ધોસિ.. નિર્વિકલ્પોસિ.... (ઉદાસીનોસિ) –એમ બોલતા હતા. અહીં આ વાડાવાળાઓને પણ ખબર ન મળે કે શું કહે છે આ ! (અહીં છે) “નિરંન નિનશુદ્ધાત્મશ્રદ્ધા જ્ઞાનાનુષ્ઠાનપનિશ્ચયરત્નત્રયાત્મનિर्विकल्पसमाधिसंजातवीतरागसहजानंदरूप सुखानुभूतिमात्रलक्षणेन स्वसंवेदनज्ञानेन संवेद्यो ભ્ય: પ્રાર્થ:” હું તો સ્વસંવેદનથી પ્રાપ્ય છે. હું તો અનંત આનંદના નાથના આનંદના વેદન પ્રાપ્ત છું. બીજી રીતે મારી પ્રાપ્તિ થતી નથી. આહા... હા ! “ભરિતાવરથોડ૬”, અવસ્થ શબ્દ પડ્યો છે પણ પર્યાય ન લેવી. અવસ્થ અવસ્થ-ભરેલી અવસ્થા, નિશ્ચયથી “0” –મારામાં પૂર્ણ ગુણ “0”, નિશ્ચયથી “0”, “રી-વેષ–મો–છોધ-માન-માયા-નોમ– पंचेन्द्रियविषयव्यापार, मनोवचनकायव्यापार, भावकर्म-द्रव्यकर्म-नोकर्म-ख्याति-पूजा-लाभदृष्टश्रुतानुभूतभोगाकांक्षारूपनिदानमायामिथ्याशल्यत्रयादिसर्वविभावपरिणामरहित: शून्योऽहं, जगत्त्रये कालत्रयेपि मनोवचनकायैः कृतकारितानुमतैश्च शुद्धनिश्चयेन, तथा सर्वे जीवाः इति નિરંતરે ભાવના વર્તવ્યા” આહા.. હા ! ‘સર્વનીવ:' – અભવી હોય તો પણ એ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy