SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી નિયમસાર ગાથા ૫૦ ૬૧ ‘સમયસાર' માં મોક્ષને પણ પર્યાયનો વેષ (સ્વાંગ) ગણ્યો છે ને...! આહા... હા! બંધ વેષ છે. સંવર વેષ છે. નિર્જરા વેષ છે. -પર્યાય છે ને...! પણ દ્રવ્યનો તો જ્ઞાયકભાવ જ વેષ છે. આહા... હા! એ ભગવાન (આત્મા) પરિપૂર્ણ ૫૨માત્મા, ચૈતન્યામૃત-ચૈતન્ય અમૃતથી ભર્યો પડયો પરિપૂર્ણ પ્રભુ-એ છે તો અંશ; એ પ્રમાણનો વિષય નથી, (શુદ્ઘનિશ્ચયનયનો વિષય છે). તેથી એમ કહે છે કેઃ “એ શુદ્ઘનિશ્ચયનયના બળે તેઓ (–વિભાવગુપર્યાયો ) હૈય છે.” (જોકે) એ (વિભાવગુણપર્યાય ) વ્યવહારનયનો વિષય છે, પણ છે તે ય ! આહા... હા ! ( · સમયસાર') શ્લોક-૪ માં આવે છે ને..! “ સમયનયવિરોધથ્વસિનિ: બન્ને નયને વિરોધ છે, (અર્થાત્ ) જે નિશ્ચયનયનો વિષય છે તે વ્યવહારનયનો વિષય નથી અને જે વ્યવહારનો વિષય છે તે નિશ્ચયનયનો વિષય નથી, (એમ) બેય વિરુદ્ધ છે. જ્યારે બેય વિરુદ્ધ છે, તો બેઉ ઉપાદેય હોઈ શકે નહીં. વિરુદ્ધ છે ને...! આ (વિભાવગુણપર્યાયોને) તૈય કેમ કહ્યું ? નિશ્ચયનયથી વ્યવહારનયનો વિષય વિરુદ્ધ છે, ભિન્ન છે. ભિન્ન છે (છતાં જો ) બન્નેને આદરણીય કહો તો તો બેઉ વિરુદ્ધ રહેતા નથી. અને (જો ) બન્નેને હેય કહો તો પણ બે નય રહેતા નથી. (તેથી તેઓ જ્ઞેય છે, એમ કહ્યું). સમજાય છે કાંઈ ? આહા.. હા ! દિગંબર સંતોનો આવો માર્ગ!! શેય, હેય તરીકે જ્ઞેય છે અને ત્રિકાળી ઉપાદેય તરીકે જ્ઞેય છે. બેમાં વિરોધ છે ને...! બન્નેના (વિષયમાં ) વિરોધ છે, તેથી વ્યવહાર પણ આદરણીય અને નિશ્ચય પણ આદરણીય-એમ હોઈ શકે નહીં. (કેમકે) બન્ને નયનો વિરોધ (–વિષયનો ભેદ છે તે) રહેતો નથી. આહા.. હા ! વીતરાગની વાણી વિરોધને ધ્વંસ કરનારી છે–“ સમયનયવિરોધથ્વસિનિ’ ,, અહીં કહ્યું: ક્ષાયિકભાવ (તૈય છે). આહા... હા ! ગજબ વાત છે! અહીં તો આગળ કહેશે કેઃ એ ક્ષાયિકભાવ પુદ્ગલ છે. આહા... હા! જે અનંતજ્ઞાન, (અનંત દર્શન ), અનંત આનંદ, અનંદ બળ-વીર્ય-અનંત ચતુષ્ટય શક્તિરૂપે પડયા હતા તે વ્યક્તરૂપે થયા, તો પણ તેને અહીં વ્યવહારનયનો વિષય અને પુદ્ગલ કહ્યા! અહીં પરદ્રવ્ય સિદ્ધ કરવું છે ને..! અને (આ ગાથા પછી જે શ્લોક-૭૪ છે તેમાં તો) એ બધા પુદ્દગલદ્રવ્યના ભાવ છે, એમ કહેશે. કલશ છે ને...! ‘શુદ્ધ જીવાસ્તિકાયથી અન્ય એવા જે બધા પુદગલદ્રવ્યના ભાવો તે ખરેખર આત્મા નથી.” ( કઈ અપેક્ષાએ ? કે− ) એક ભગવાન ચૈતન્યમૂર્તિની અપેક્ષાએ. 66 પ્રશ્ન:- એ પર્યાયને પુદ્દગલ કેમ કહ્યા ? સમાધાન:- પર્યાયનો આશ્રય કરવા જતાં વિકલ્પ ઊઠે છે તેથી તે અપેક્ષાએ એને પુદ્દગલપરિણામ તો કહયાં પણ પુદ્દગલ (પણ) કહ્યાં છે. સમજાણું કાંઈ ? ( ‘ સમયસાર ’) કર્તા-કર્મ અધિકારની પાંચ ગાથાઃ ૭૫, ૭૬, ૭૭, ૭૮, ૭૯માં ત્યાં પુદ્દગલપરિણામ કહીને પછી બધાં પરિણામને પુદ્દગલ કહી દીધાં છે. પણ ત્યાં વિકારને ( પુદ્દગલ ) કહ્યો છે. અને અહીં તો બધાને ( પુદ્દગલ ) કહ્યા છે. આહા... હા ! આવી વાત ! ! ભગવાન ચેતન ઉદાસીન છે. એની વ્યાખ્યા આ જ છે. ‘રવાસીનો ં' હમણાં વ્યાખ્યાન થઈ ગયાં છે. ‘સમયસાર ' બંધ અધિકારમાં છેલ્લે છે-વૈવિનાશાર્થ' શું ભાવના કરવી ? ‘૫રમાત્મપ્રકાશ ’ માં છેલ્લે છે. અને સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં છેલ્લે છે. ‘સમયસાર’ જાણીને શું કરવું ? ‘ ૩વાસીનોĒ ' સર્વવિશુદ્ધો ં '। ઉદાસીનનો અર્થ એઃ ઉદ્+આસન=મારું આસન ધ્રુવમાં છે. હું પર્યાયથી ઉદાસ છું. આહા... હા ! સમજાય છે કાંઈ ? Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy