________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૫૪ - ૩૧ આપું છું ( એવી માન્યતા હોયતો તે મિથ્યાત્વ છે. કારણ કે અજીવ આત્માનું છે જ નહીં. પણ અજીવ મારી ચીજ નથી, એમાં મારી તીવ્ર મમતા હુતી તેમાં મમતા મંદ કરીને દાનમાં લાખ-બે લાખ આપું છું; ( એવા) તે પરિણામ પણ શુભ (ભાવ) છે, પુણ્ય છે, આસ્રવ છે, ઝેર છે, નાશ પામવા યોગ્ય છે. શુભભાવને ઝેર કહ્યું (ને ?) ભગવાન (આત્મા) તો અંદર અમૃતસ્વરૂપ છે; (એ) અતીન્દ્રિય આનંદના નાથ આગળ રાગ તો ઝેર છે. એના (આત્માના) સ્વભાવથી (રાગ) વિપરીત છે. આહા... હા! (શ્રોતા:) મીઠું ઝેર લાગે છે? (ઉત્તર:) ઝેર મીઠું નથી; એ તો અજ્ઞાની માને છે. બાકી ઝેર છે એમાં મીઠાશ ક્યાં આવી? એવી વાત છે, ભાઈ !
સવારમાં (“સમયસાર') “કલશ ટીકા” શ્લોક-૨પર વાંચ્યો છે ને! એમાં ચાર બોલ કાઢયા છેઃ “સ્વદ્રવ્ય એટલે નિર્વિકલ્પમાત્ર વસ્તુ (ત્રિકાળી દ્રવ્ય. જેને અહીંયાં “સાર” કીધો તે.) સ્વક્ષેત્ર એટલે આધારમાત્ર વસ્તુનો પ્રદેશ. સ્વકાળ એટલે વસ્તુમાત્રની મૂળ અવસ્થા. સ્વભાવ એટલે વસ્તુની મૂળની સહજશક્તિ. પરદ્રવ્ય એટલે સવિકલ્પ ભેદ-કલ્પના. પરક્ષેત્ર એટલે જે વસ્તુનો આધારભૂત પ્રદેશ નિર્વિકલ્પ વસ્તુમાત્રરૂપે કહ્યો હતો તે જ પ્રદેશ સવિકલ્પ ભેદ-કલ્પનાથી પરપ્રદેશ બુદ્ધિગોચરરૂપે કહેવાય છે. પરકાળ એટલે દ્રવ્યની મૂળની નિર્વિકલ્પ અવસ્થા તે જ અવસ્થાન્તર-ભેદરૂપ કલ્પનાથી પરકાળ કહેવાય છે. પરભાવ એટલે દ્રવ્યની સહજ શક્તિના પર્યાયરૂપ અનેક અંશ દ્વારા ભેદ-કલ્પના, તેને પરભાવ કહેવાય છે.” આહા... હા ! પરદ્રવ્ય તો પરદ્રવ્ય છે જ; પણ પોતાની એકરૂપ ચીજમાં ભેદકલ્પના કરવી તે (પણ) પદ્રવ્ય છે ! અહીં પરદ્રવ્ય એટલે શરીર, વાણી, મન, કર્મ એ અહીં નથી લેવું, અહીં તો
સવિકલ્પ ભેદકલ્પના' એ પરદ્રવ્ય (લીધું છે). અભેદ જે “સાર' (તત્ત્વ છે) એમાં ભેદકલ્પના કરવી કે આ છે.. આ છે, એવો વિકલ્પ તે પરદ્રવ્ય છે.
જિજ્ઞાસા: પરદ્રવ્ય કેમ કહ્યું?
સમાધાન: (ભેદકલ્પના-વિકલ્પ, એ) પોતાનું સ્વરૂપ નથી. એ (તો) નિર્વિકલ્પસ્વરૂપ છે, એમાં વિકલ્પ ઉઠાવવો તે પરદ્રવ્ય છે. એવી વાત છે બાપુ! ઝીણી વાત છે, ભાઈ !
જિજ્ઞાસા: છ દ્રવ્યમાંથી સાતમું દ્રવ્ય કહ્યું?
સમાધાનઃ સાતમું કહ્યું છે. કહ્યું છે ને..? એ તો “સમ્યજ્ઞાન દીપિકા' માંથી આપણે અવ્યક્ત” ના પહેલા બોલમાં કહ્યું છે. આ “સમ્યજ્ઞાન દીપિકા' (કું.) ધર્મદાસજી (કૃત) છે. એમાં (તે) કહે છે કે-છ દ્રવ્યથી ભિન્ન ભગવાન (આત્મા) સાતમું દ્રવ્ય છે. એ ક્યાંથી કાઢયું છે તે ત્યાં લખ્યું નથી. પણ અમે તો ૬૦ વર્ષ પહેલાં બોટાદમાં જોયું અને જંગલમાં (એને ) વાંચ્યું હતું. એમાં આત્માને સક્ષમ દ્રવ્ય કહ્યું છે. (જોકે ) સાતમું દ્રવ્ય છે નહીં, પણ સમયસાર' ગાથા-૪૯ “અવ્યક્ત” ના છ બોલમાં પહેલો બોલ છે ત્યાં એવું લીધું છે કે- “છ દ્રવ્યસ્વરૂપ લોક શેય છે, વ્યક્ત છે; એનાથી ભિન્ન ભગવાન (આત્મા) અવ્યક્ત છે.” આહા.... હા ! એકકોર ભગવાન (એટલે કે ) એકકોર રામ અને એકકોર ગામ. આહા... હા! ઝીણી વાત છે, ભાઈ ! છે દ્રવ્ય સ્વરૂપ લોક જ્ઞય છે, વ્યક્ત છે; એનાથી ભિન્ન છે એ અવ્યક્ત છે. આ સાર” એ! આ સ્વદ્રવ્ય” એ !
આહા... હા! ઝીણું છે, ભાઈ ! આ માર્ગ એવો છે. આધારમાત્ર વસ્તુનો પ્રદેશ, એ સ્વક્ષેત્ર. અસંખ્યપ્રદેશી-એકરૂપ, એ સ્વક્ષેત્ર. (અ) સૂક્ષ્મ, અરૂપી, સ્વદ્રવ્ય, સાર- (એવી) ભેદ-કલ્પના એ પરક્ષેત્ર. એક સમયની અવસ્થાની ભેદરૂપ કલ્પના એ પરકાળ. (અને) એક તો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com