SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩) – પ્રવચન નવનીત: ભાગ-૨ (કહે છે કે:) “સર્વ તત્ત્વોમાં જે એક સાર છે” (એવો) પ્રભુ! ત્રિલોકનાથ ! એ સાર વસ્તુ પોતે તો ધ્રુવ છે પણ એના ઉપર લક્ષ જવાથી પર્યાયમાં સમ્યગ્દર્શન થાય છે. તો એ સમ્યગ્દર્શનની પર્યાયમાં પણ સાર તો તે ધ્રુવ છે. આહા.... હા ! એક વાત. બીજો બોલઃ “જે સમસ્ત નાશ પામવા યોગ્ય ભાવોથી દૂર છે.” એ પર્યાય છે તે નાશ પામે છે. પર્યાયની મુદત એક સમયની છે. ભલે તે કેવળજ્ઞાન હોય કે સંવર-નિર્જરા હોય, પણ (એ) પર્યાયની મુદત એક સમયની (છે). મુદત (એટલે) સ્થિતિ એક સમયની છે. બે સમય પર્યાય રહેતી નથી. બીજે સમયે બીજી, ત્રીજા સમયે ત્રીજી, તો સમસ્ત તત્ત્વો નાશ પામવા યોગ્ય (ભાવ) છે. મોક્ષની પર્યાય પણ નાશ પામવા યોગ્ય છે. પર્યાય છે ને...? સંવર-નિર્જરા પણ નાશ પામવા યોગ્ય છે. આહા... હા ! “જે સમસ્ત નાશ પામવા યોગ્ય” -સમસ્તમાં પણ નાશ પામવા યોગ્ય ઘણાં છે, એમ તો (એમાં) આવ્યું (ને..!) જેમ સર્વ તત્ત્વો કહ્યાં હતાં તેમ છે તો ખરાં, પણ તે તત્ત્વો કેવાં છે? કે-સમસ્ત નાશ પામવા યોગ્ય છે ! આહા... હા! એ પર્યાય ચાહે તો સંવર-નિર્જરાની હોય કે કેવળજ્ઞાનની હોય, પણ (તે) એક સમય જ રહે છે. તેથી બધી પર્યાયો નાશ પામવા યોગ્ય છે. એક સમયની (સ્થિતિવાળી) છે ને! એ અપેક્ષાએ નાશ પામવા યોગ્ય (છે). (પણ) વસ્તુ જે છે તે તો ત્રિકાળ મહા આનંદકંદપિંડ છે. (અને) આ (પર્યાય) તો એક સમયની છે. (વસ્તુ ) તો ત્રિકાળી છે. જે ત્રિકાળ દળ અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય જ્ઞાન, અતીન્દ્રિય ચારિત્ર, અતીન્દ્રિય શાંતિ, અતીન્દ્રિય સ્વચ્છતા, અતીન્દ્રિય પ્રભુતા, એવી (અનંત) શક્તિઓના સમૂહુરૂપ દળ છે. એ તો છે જ... છે. (એ તત્ત્વ,) “જે સમસ્ત નાશ પામવા યોગ્ય ભાવોથી દૂર છે.” –જોયું? પર્યાયથી દૂર છે. દૂરનો અર્થ: પર્યાયના જે ક્ષેત્ર, કાળ અને ભાવ છે, તેવો ભાવ, એમાં (વસ્તુમાં) નથી; એટલે પર્યાયથી દૂર છે. દૂરનો અર્થ : પર્યાયના જે ક્ષેત્ર, કાળ અને ભાવ છે, તેવો ભાવ, એમાં (વસ્તુમાં) નથી; એટલે પર્યાયથી દૂર છે. આહા.... હા ! સંવર-નિર્જરા જે મોક્ષનો માર્ગ એટલે કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાયએ પણ નાશ પામવા યોગ્ય છે અને એનાથી દૂર-ભિન્ન, (દ્રવ્ય) છે; પર્યાયથી ભિન્ન છે, દૂર છે! આહા. હા! દૂરનો અર્થ કોઈ ક્ષેત્ર દૂર છે, એમ નથી. એવી ચર્ચા મુંબઈમાં થઈ ગઈ છે ને...! આ દ્રવ્યદૃષ્ટિ- (પ્રકાશ) ” ની ચર્ચા કરવાવાળી જુવાનિયાઓની (મંડળી) મુંબઈમાં છે. અહીં તો ઘણી ચર્ચા થઈ છે ને....! ચર્ચા કરવાવાળા જુવાનિયાઓ ઘણાં છે. “આ (વસ્તુ પર્યાયથી) દૂર છે,' તો દૂરમાંથી એમ કાઢયું કેઃ પર્યાયથી દ્રવ્ય કેવું દૂર છે કે ઉગમણું ને આથમણું જેવું દૂર છે. આ વિંધ્યાચલ ને સહ્યાદ્રિ જેમ બે પર્વત ભિન્ન છે તેમ દ્રવ્ય અને પર્યાય ભિન્ન છે. (શું ) એવું કહેવું છે? –એમ નથી! ભિન્નનો અર્થ પર્યાયના સત્ત્વમાં દ્રવ્યનું સત્ત્વ નથી. દ્રવ્યનું સત્ત્વ દ્રવ્યમાં છે; એ કારણે “પર્યાયથી દૂર' કહેવામાં આવ્યું છે, આમ છે, પ્રભુ ! અહીં તો એક ન્યાય ફરે તો આખું તત્ત્વ ફરે. આ તો સર્વજ્ઞ ત્રિલોકનાથની વાણી છે; અને એનો એ ભાવ છે; એ આત્માનો ભાવ છે. આહા.. હા ! સમજાય છે કાંઈ ? ઝવેરાત... એ બધું કાંઈ ધુળમાં ય આવ્યું નથી. મફતમાં વખત ગાળ્યો. અહીં તો સત્ય છે તે સત્ય છે. (દાખલારૂપે) બે ભાઈએ એક-એક લાખ (દાનમાં) આપ્યા. (પણ) થવા યોગ્ય થાય છે. ન થવા યોગ્ય થતું નથી. દાન (આપવા) ના ભાવ-કોઈએ લાખ આપ્યા ને પાંચ લાખ આપ્યા-પણ કદાચિત્ રાગની મંદતા કરી હોય ( તો એ પુણ્ય છે). (પણ) બહાર પડવા માટે દેવાનો ભાવ હોય તો એ પાપ છે અને એ પૈસા મારા છે અને હું Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy