SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦૪ - પ્રવચન નવનીતઃ ભાગ-૨ (વસંતતિલવા) सद्बोधमंडनमिदं परमात्मतत्त्वं मुक्तं विकल्पनिकरैरखिले: समन्तात्। नास्त्येष सर्वनयजातगतप्रपंचो ध्यानावली कथय सा कथमत्र जाता।।१२०।। [ શ્લોકાર્થ:- ] સમ્યજ્ઞાનનું આભૂષણ એવું આ પરમાત્મતત્ત્વ સમસ્ત વિકલ્પસમૂહોથી સર્વતઃ મુક્ત (-સર્વ તરફથી રહિત) છે. (આમ ) સર્વનયસમૂહું સંબંધી આ પ્રપંચ પરમાત્મતત્વમાં નથી તો પછી તે ધ્યાનાવલી આમાં કઈ રીતે ઊપજી (અર્થાત ધ્યાનાવલી આ પરમાત્મતત્વમાં કમહોઈ શકે ) તે કહો. ૧૨૦. આહા... હા! “સમ્યજ્ઞાનનું આભૂષણ” પછી કીધું કે, એ જ પરમાત્મતત્ત્વ (છે). તે જ્ઞાનનું આભૂષણ છે, હીરલો છે. જ્ઞાનનો હીરો ભગવાન છે. એ શોભતું આભૂષણ છે. આહા.. હા! ભગવાન અંદર આનંદનો નાથ, શોભતું આભૂષણ છે. આહા... હા! સમ્યજ્ઞાનનું આભૂષણ “એવું આ પરમાત્મતત્ત્વ સમસ્ત વિકલ્પસમૂહોથી સર્વતઃ મુક્ત” જેટલા વિકલ્પ ઊઠે એ સર્વથી મુક્ત-સર્વથા મુક્ત, આહા.. હા! (-સર્વ તરફથી રહિત) છે.” (આમ) સર્વનયસમૂહ સંબંધી આ પ્રપંચ” પર્યાયમાં મોક્ષમાર્ગ છે. એ પર્યાય દ્રવ્યમાં નથી. એ પરમાત્મતત્વમાં નથી. “આ પ્રપંચ” એટલે એ પર્યાય પરમાત્મતત્ત્વમાં નથી. આહા... હા! શુભરાગ પ્રપંચ તો ખરો. પણ નયના અનેક પ્રકારના વિકલ્પો પ્રપંચ છે. અહીં તો, સર્વનયનો સમૂહુ, એ સંબંધી આ પ્રપંચ, એમ લીધું. જોયું! એ પરમતત્ત્વ ભગવાન આત્મા વસ્તુ છે ને...! અતિ છે ને...! અવિનાશી છે ને...! કાયમ ટકતી ચીજ છે ને...! એવો જે ભગવાન આત્મા એમાં નયનો પ્રપંચ નથી; (એમ) કહે છે. આહા... હા! એકકોર વ્યવહારનયના વિકલ્પો તો નથી, પણ નિશ્ચયનયની નિર્વિકલ્પ પર્યાય પણ જેમાં નથી. આહા... હા... હા! એકકોર નિશ્ચય કહેવો અને એકકોર એને પાછો વ્યવહાર કહેવો. આવું (વસ્તુ) સ્વરૂપ છે !! એવું આ પરમાત્મતત્ત્વ સમસ્ત નયસમૂહ સંબંધી આ પ્રપંચ. જુઓ! પહેલાં એમ લીધું હતું ને.... “સમ્યજ્ઞાનનું આભૂષણ એવું આ પરમાત્મતત્ત્વ” આમાં આ “નયસમૂહ સંબંધી આ પ્રપંચ. આહા... હા! હી ! શુ કીધુ ? – “સવેનસમૂહ સંબંધી આ પ્રપંચ.” શેમાં ? કે: આ “પરમાત્મતત્ત્વમાં” એમ કીધું ને...! એમ આ પ્રપંચ “પરમાત્મતત્વમાં નથી.” આવો જે ભગવાન અંદર શુદ્ધ ચૈતન્યઘન, અનાદિ-અનંત જેમાં આદિ નથી, અંત નથી, આવરણ નથી, પર્યાય નથી (અને જે) અપૂર્ણ નથી, અશુદ્ધ નથી. આહા... હા! આવી અધ્યાત્મની વાત લોકોને ઝીણી લાગે એટલે પછી નિશ્ચયભાસ કહીને કાઢી નાખે. કહે (ક) મહારાજ! અમારે હવે કરવું શું? પણ “આ” કરવું નથી ? (શું) બહાર ને બહારમાં રાગ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy