SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨ – પ્રવચન નવનીતઃ ભાગ-૨ પોતાની પર્યાય પોતાનાથી થાય છે, એનું નામ “અભિન્ન”. પરથી (અભિન્ન) નહીં. અહીં તો વિકારીપર્યાય હોય કે અવિકારીપર્યાય હોય, એ પોતાની અપેક્ષાથી ઉત્પન્ન થાય છે. એક વાત. એને દ્રવ્ય-ગુણ અને બીજા કારકોની અપેક્ષા નથી. બે વાત. ત્રીજી: એ પર્યાય જે ઉત્પન્ન થાય છે એ પકારકથી ઉત્પન્ન થાય છે. પકારકની શક્તિ ધ્રુવમાં છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાનઅપાદાન અને અધિકરણ–એ છ ગુણ છે. એ ગુણ દરેક (દ્રવ્ય) માં છે. પરમાણમાં (પણ) છે. છયે દ્રવ્યમાં કર્તા નામનો એક ગુણ, (તેમજ) કર્મ (એટલે) કાર્ય, કરણ (એટલે) સાધન, સંપ્રદાન (એટલે) રાખવું, અપાદાન (એટલે) એનાથી, અધિકરણ (એટલે) આધાર છે. એના આધારે, આ (બીજો) છે-એમ નથી. એ પરમાણુમાં પકારકની શક્તિ પડી છે. પરમાણુમાં શક્તિ ધ્રુવ છે. પણ જે આ (વિકારી) પર્યાય અહીં (આત્મામાં) રહી છે એ પર્યાય પોતાના પારકથી ઉત્પન્ન થઈને રહી છે. (એને કર્મ-પરમાણુની અપેક્ષા નથી) ! આહા... હા ! એ તો કોણ માને ? એવી વાત કહેનારને (લોકો ) પાગલ જ કહે ને...! એક વખતે તો કહ્યું ને કેઃ પગ ચાલે છે તે નીચે જમીનને સ્પર્શ કરતા નથી. અને પગ આત્માથી ચાલતા જ નથી! અરે પ્રભુ! સમજાય છે કાંઈ ? કેમકેઃ એક (જે) પરમાણુ છે તેમાં અનંતગુણ છે; એમાં કર્તા, કર્મ, કરણ આદિ પકારક પડયા છે; એ તો ધ્રુવ છે છે ! પણ છયે દ્રવ્યમાં એક સમયની પર્યાયમાં પકારક છે! આહા.. હા! આ વાત વીતરાગ સિવાય અને અંતર્દષ્ટિ સિવાય અંદર બેસે એવી નથી, બાપુ! સર્વજ્ઞ પરમાત્મા સિવાય ક્યાંય કોઈ ઠેકાણે આ વાત જ નથી! આહા. હા ! સર્વજ્ઞસ્વભાવ પોતાનો છે! સર્વજ્ઞસ્વભાવ કહો કે કારણસ્વભાવ કહો (એકાર્થ છે). તો જેને સર્વજ્ઞસ્વભાવ અંતર્દષ્ટિમાં ઉપાદેય થયો (એને) સર્વજ્ઞપર્યાય ઉત્પન્ન થઈ છે. આહા... હા! પ્રત્યેક દ્રવ્યની એક સમયની પર્યાયની કર્તા પર્યાય. પર્યાયનું કાર્ય પર્યાય. પર્યાયનું (સાધન) પર્યાય. પર્યાયનું સંપ્રદાન પોતે કરી અને પોતે રહી. પર્યાયનું અપાદાન પર્યાયથી પર્યાય થઈ. (અને) પર્યાયના આધારે પર્યાય રહી. આહા... હા! ગજબ વાત છે!! દુનિયાને (એમ લાગે) કે આ તે કેવો જૈનધર્મ! ભગવાન! બાપુ! જૈનધર્મ નહીં, વસ્તુની સ્થિતિ જ આવી છે! કે: દરેક દ્રવ્યનો દ્રવ્ય-ગુણ તો ધ્રુવ! પણ એની એક સમયની પર્યાયમાં પકારકનું પરિણમન સ્વતંત્ર ! કેમકે પર્યાય પણ સત્ છે. પ્રવચનસાર” શયતત્ત્વ-પ્રજ્ઞાપન અધિકારની (ગાથા-૧૦૭માં) કહ્યું છે કે: દ્રવ્ય સત્. ગુણ સત્. પર્યાય સદ્. -એ ત્રણે અહેતુક છે; એને હેતુ જ નથી. (તો પણ લોકો કહે છે કે, એને અપેક્ષાથી–નિમિત્તથી વાત કરો ! સમજાણું? “ઇબ્દોપદેશ' ગાથા-રૂપમાં (તો) એમ કહ્યું “ધર્માસ્લિાયવેત્ નિમિત્ત માત્રમ્”ા ઇષ્ટોપદેશ (અર્થાતુ) પ્રિય ઉપદેશ-સત્ય ઉપદેશ એને કહીએ કે: નિમિત્તમાત્ર ધર્માસ્તિકાયવત્ છે. ધર્માસ્તિકાયવનો અર્થ શું? કે પોતાની ગતિનું પરિણામ પોતાનાથી કરે છે તો ધર્માસ્તિકાય નિમિત્ત છે,... બસ ! પણ નિમિત્તથી અહીંયાં ગતિ કરે છે, એમ નથી. એમ જે કહ્યું તે બધામાં લઈ લેવું. (ક-નિમિત્તમાત્ર) ધર્માસ્તિકાયવત્ છે. ધ્વજા પવનથી હલે છે, તો કહે છે કે પવન ધ્વજાને સ્પર્યો જ નથી. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy