SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી નિયમસાર ગાથા ૮૬ – ૨૫૭ આ કળશ “પ્રવચનસાર” નો છે. ર૩ર-ગાથાથી (“મોક્ષમાર્ગ પ્રજ્ઞાપન”) શરૂ થાય છે ને...! આહા... હા! આ શ્લોકના આવા અર્થ! પણ વાંચી જાય (સમજણ વગર) ગડગડીઆ કરીને. (પણ) અરે ભાઈ ! એક એક શ્લોકના ભાવ ઘણા ગંભીર છે. આ તો અધ્યાત્મગ્રંથ છે. આ કંઈ વાર્તા-કથાનું શાસ્ત્ર નથી. તેને યતિ પ્રાપ્ત કરીને ” છે! યતિ એટલે મુનિ. યતિ એટલે યત્ના કરે, જન્ના કરે, રક્ષા કરે. -કોની ? પોતાના સ્વરૂપની. આ યતિ આ બાવા જતિ થાય છે તે નહીં હોં! સ્વરૂપપૂર્ણાનંદના નાથની યત્ના પ્રયત્નમાં રહેવું એનું નામ યતિ છે. (અન્યમાં) જતિ થાય છે એ નહીં. એ જતિ તો ઠેકાણાં વગરના (હોય છે.) અમે તો વડોદરામાં મોટો જતિ જોયો છે. મકાન બનાવ્યું હાથીપોળ છે ત્યાં. પણ એ જતિ બહારની ક્રિયામાં. અંતર યતિ નહીં. (અહીંયાં, શું કહ્યું? છે...! ઉત્સર્ગ અને અપવાદ દ્વારા ઘણી પથક પથક ભુમિકાઓમાં વ્યાપતું જે ચરણ (–ચારિત્ર) “તેને યતિ પ્રાપ્ત કરીને ” –રાગથી ભિન્ન થઈને, પોતાના આનંદસ્વરૂપનું ભાન તો થયું. અને મુનિ છે તેને અંદરમાં સ્થિરતા પણ જામી ગઇ છે. તે (મુનિ ) પણ અંદર સ્થિરતામાં વિશેષ રહી શકે નહીં. નિર્વિકલ્પ-સ્થિરતામાં રહેવું એ નિશ્ચયચારિત્ર છે. એ યથાર્થ વસ્તુ છે. પણ એમાં રહી શકે નહીં તો શુભભાવ-અહિંસા, સત્ય, દત્ત, બ્રહ્મચર્યનો શુભભાવ-આવે છે, એમાં રહે છે. ત્યાં (શુભભાવમાં ) હુઠ કરીને રહેવું એમ પણ નહીં અને સ્વરૂપમાં રહી શકે નહીં તો (તેમાં) હઠ કરવી એમ પણ નહીં. -શું કહ્યું? આનંદસ્વરૂપનું ભાન થયું છે, વેદન છે; પણ અંદર નિર્વિકલ્પમાં રહી શકે નહીં તો શુભરાગમાં આવે છે. અને શુભરાગમાં હુઠ કરવી નહીં કે આ માર્ગ છે. (પણ) હું અંતરમાં રહી શકતો નથી, મારી કચાશને કારણે શુભભાવ આવે છે. બસ! પણ એ શુભભાવ બંધનું કારણ છે; (એ) ધર્મનું કારણ છે એમ નહીં.. “ક્રમશઃ અતુલ નિવૃત્તિ કરીને ” ક્રમે ક્રમે ઉપમા ન હોય એટલી નિવૃત્તિ-આનંદમાં રહેવું. જ્યાં પ્રભુ પૂર્ણાનંદથી બિરાજમાન છે ત્યાં રાગથી અતુલ અર્થાત્ ઉપમા ન હોય એવી નિવૃત્તિ કરીને. મુનિની વિશેષ વાત છે ને...! ગૃહસ્થાશ્રમમાં સમ્યગ્દર્શન થાય છે. રાગથી ભિન્ન પોતાનો અનુભવ થાય છે. પણ ચારિત્ર ગૃહસ્થાશ્રમમાં હોતું નથી. ચારિત્ર તો (મુનિને) અંતરમાં સ્વરૂપરમણતા કરવાથી, આખો ગૃહસ્થાશ્રમ છોડીને વેપાર-ધંધો છોડીને, એ મહાવ્રતનો શુભભાવ આવે છે. પણ એને પણ (તેઓ ) અપવાદમાર્ગ જાણે છે. અપવાદ એટલે (સામાન્ય નિયમમાં બાધ અર્થાત્ ) દોષ. અરે ! (આવી ) વાત! અનુભવીને દૃષ્ટિ અંતરમાં હોવા છતાં પણ સ્વભાવમાં સ્થિર ન રહી શકે તો શુભભાવમાં આવે છે, એ અપવાદ છે, દોષ છે; પણ આવ્યા વિના રહે નહીં. (આત્માનું) ભાન છે. દષ્ટિ ત્યાં છે. ધ્રુવ ઉપર ધ્યેય છે. (પણ પુરુષાર્થની કચાશને લીધે ) અંદરમાં નિર્વિકલ્પ-સ્થિર થઈ શકે નહીં. (એથી અપવાદમાર્ગમાં આવે છે.) ધ્રુવનો તારો હોય છે ને...! એના લક્ષ વહાણ (રાત્રે) ચાલે છે. કારણ કે ધ્રુવ તારો ખસતો નથી. એક સ્થાને બરાબર હોય છે. તેથી દિશાની ખબર પડે છે. એમ ભગવાન ધ્રુવ નિત્ય; એનું લક્ષ કરવું એ ધ્રુવની ધારે ચાલવું. સમજાણું કાંઈ? અરે! પણ આ કઈ જાતનું (વ્યાખ્યાન)? કિલષ્ટ જેવું લાગે. કદી અભ્યાસ કર્યો નહીં. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy