SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી નિયમસાર ગાથા ૮૪ - ૨૧૭ (અહીંયાં કહે છે:) “જે આત્માના આરાધન રહિત છે તે સાપરાધ છે”. ભગવાન શુદ્ધચૈતન્ય આનંદઘન પ્રભુની સેવામાં રહે તે આરાધના છે તે નિરપરાધ છે અને (જે) આત્માના આરાધન રહિત છે, શુદ્ધસ્વરૂપ આત્માની સેવના રહિત છે, તે બધું સાપરાધ છે. આહા... હા! વ્યવહારરત્નત્રયનો રાગ છે તે અપરાધ છે એમ કહે છે. અહીં.. હું. હા ! વીતરાગમાર્ગ !! (જે) નિરંતર પરિણામસંતતિ વડે આત્માની આરાધનામાં વર્તે છે તે નિરપરાધ છે. અને (જે) આત્માની આરાધના રહિત છે તે સાપરાધ છે. ચાહે તો છ આવશ્યકનો વિકલ્પ-રાગ હો, ભક્તિનો રાગ હો, એ શુભરાગ પણ અપરાધ છે. ગજબ વાત છે, પ્રભુ! વીતરાગસ્વભાવનીવીતરાગભાવની આરાધના એ નિરપરાધ છે. અને રાગમાં રહેવું એ કર્મધારામાં રહેવું એ સાપરાધ છે. સમજાણું કાંઈ ? જિજ્ઞાસા: અતૂટ પરિણામસંતતિ તો શ્રેણિમાં રહે છે? સમાધાનઃ એ શ્રેણિમાં ય નીચે (નાં ગુણસ્થાનોમાં) ધારાવાહી દષ્ટિનું ધ્યેય પકડ્યું છે ને...! તો ધારાવાહી જ્ઞાનધારા ચાલે છે. ક્ષપકશ્રેણિની તો વાતે ય શું કરવી એ તો અંતર્મુહૂર્ત ખલાસ! આ તો મુનિપદની વાત કરે છે. એ છઠ્ઠી–સાતમામાં વર્તે છે. છછું આવે છે ત્યારે રાગ આવે છે તે અપરાધ છે. સમજાણું કાંઈ ? આકરી વાત છે, પ્રભુ ! શું થાય? વીતરાગમાર્ગ અપૂર્વ છે. પૂર્વે ક્યારેય (એનું આરાધન) કર્યું નથી. તેથી એને દુષ્કર લાગે, જાણે નહીં કરી શકાતું હોય! એમ લાગે. ભગવાન પૂર્ણાનંદનો નાથ અંદર બિરાજે છે. પ્રભુ પોતે પરમાત્માસ્વરૂપ છે. કારણ કે એમાં એક “પ્રભુતા' નામનો ગુણ છે. (જેમ) જ્ઞાનગુણ છે, દર્શનગુણ છે, આનંદગુણ છે એમ એક પ્રભુતા નામનો ગુણ છે તેથી એ ઈશ્વરસ્વરૂપે જ છે. આહા... હા... હા! અરે! એક ગુણ નહીં પણ અનંતા ગુણ ઈશ્વરસ્વરૂપ છે. અને અનંતગુણનો ધણી પોતે એ તો મહાઈશ્વરસ્વરૂપે છે... આત્મા! એટલે શું બાપું?! એ લોકોને (ખબર નથી). વર્તમાન પુણ્ય ને પાપના ભાવમાં રોકાઈ ગયો, અટકી ગયો એ તો સંસાર છે. અહીંયાં તો (કહે છે કે, ભગવાન આત્મા આનંદસ્વરૂપ પ્રભુ; એમાં લીન થઈને આનંદની ધારા વહે છે એ નિરપરાધી. અને (જે) (આત્મ) આરાધના રહિત છે એ શુભરાગમાં આવે છે એ અપરાધી છે. અંદર (પાઠમાં) નિરપરાધ અને સાપરાધ બંનેની વ્યાખ્યા છે કે નહીં? મૂળ પાઠમાં તો “મોજૂળ વિરાર” છે ને....! “વિરાધનાને છોડીને” (મૂકીને) રાધમાં (આરાધનામાં) આવવું (એટલે કે, ભગવાન આનંદના ઘરમાં અંદર જવું, એની આરાધના-સેવના વીતરાગભાવે કરવી, એ આત્મા નિરપરાધી છે. અને આ આત્માની સેવા કરવાની છોડીને દયા, દાન, વ્રતના રાગાદિની સેવનામાં રોકાય છે તે અપરાધી છે. સમજાણું કાંઈ ? તેથી જ, નિરવશેષપણે વિરાધન છોડીને- (એમ કહ્યું છે).” ક્યા કારણે ? આ કારણે કે-આત્માની આરાધનામાં વર્તે છે તે નિરપરાધ છે અને આત્માની આરાધના રહિત છે તે સાપરાધ છે-તેથી જ, નિરવશેષપણે વિરાધન છોડીને. -શું કહે છે? વિરાધનપણું તો સમસ્તપણે છોડીને. નિરવશેષપણે (એટલે) કોઈપણ અંશ રાગનો બાકી (એ) “વિરાધના' (છે, એને) છોડી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy