SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૨ - પ્રવચન નવનીતઃ ભાગ-૨ દેખાતો નથી. આહા.. હા! ‘ પરમાર્થવચનિકા ’ માં આવે છે ને...! (મિથ્યાદષ્ટિ) અધ્યાત્મનો વ્યવહાર પણ જાણતા નથી. અધ્યાત્મની ક્રિયા-વ્યવહારક્રિયા પણ જાણતા નથી. આગમના વ્યવહારની ક્રિયા આ દયા, દાન ને વ્રતાદિ કરી, માને કે અમે ધર્મ કરીએ છીએ. આહા... હા! (અહીં) એ અધ્યાત્મની વ્યવહારક્રિયા, તે આ ‘નિશ્ચયક્રિયા ’ છે ! આહા... હા! પહેલું તો એ સમજવું જ કઠણ પડે. મિથ્યાત્વના કારણે કીડા, કાગડા ને કૂતરાના ભવ કરી કરી (અનંતા દુઃખ વેઠયાં ). (દયા, દાનાદિ) ક્રિયાઓ અનંતવા૨ કરી પણ એમાં ધર્મ માન્યો એટલે મિથ્યાત્વનું પોષણ અને વિપરીત શ્રદ્ધાનું શલ્ય તો રહી ગયું. એ મિથ્યાત્વને ટાળવા, એણે ( સૌપ્રથમ ) રાગથી ભિન્ન આત્માના-અભેદના સ્વભાવનું જ્ઞાન અને સતિ થતાં પછી પણ જેટલો (ચારિત્રમોહજન્ય ) રાગભાવમાંથી ભિન્ન પાડે છે, એટલી અંદર સ્વરૂપમાં સ્થિરતા થાય છે, એ સુસ્થિત-સ્થિર થયો. “(તે કારણથી ) તે ૫૨મ સંયમીઓને (વાસ્તવિક) ચારિત્ર થાય છે.” આહા.. હા ! આ ચારિત્રની વ્યાખ્યા ! 66 હવે કહે છે: ‘પ્રતિક્રમણ ’ કોને કહેવું ? “ અતીત (-ભૂતકાળના ) દોષોના પરિહા૨ અર્થે ( જે પ્રાયશ્ચિત કરવામાં આવે છે તે પ્રતિક્રમણ છે.” ‘દોષો એટલે પુણ્ય-પાપ બેય દોષ છે. સમયસાર' માં એ અધિકાર આવ્યો છે. ત્યાં વર્તમાન રાગના પરિણામને દોષ કહ્યો છે. ( અહીંયાં કહ્યું કેઃ ) દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ પણ દોષ છે. રાગ છે (એ) દોષ છે. એવા દોષો જે પૂર્વ (કાળ ) ના હતા, તે દોષોના પરિહાર અર્થે અર્થાત્ ગયાકાળના પુણ્ય-પાપના દોષના ત્યાગને અર્થે જે પ્રાયશ્ચિત કરવામાં આવે છે, એટલે કે જે જ્ઞાનાનંદસ્વરૂપમાં રમણતા કરવામાં આવે છે (તે પ્રતિક્રમણ છે). પ્રાયશ્ચિતની વ્યાખ્યા છે ને...! પ્રાયશ્ચિત એટલે જ્ઞાનસ્વરૂપ ભગવાન. પ્રાય:શ્ચિત=પ્રાયઃ અર્થાત્ ( બહુવા ), બહુપણે, (મોટે ભાગે ); ચિત્ત અર્થાત્ જ્ઞાન. એકલું જ્ઞાનસ્વરૂપ પુષ્ટ કરે છે પ્રભુ અંદર; એને અહીંયાં પ્રાયશ્ચિત કહીને એને પ્રતિક્રમણ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ ? અરે! ક્યાંય સૂઝે ય પડી ન હોય ને સાંભળ્યું ય ન હોય; અને બહારથી માનીને બેઠાં કે અમે પ્રતિક્રમણ કર્યાં. ( પ્રતિક્રમણ માટે ) સાંજે ને સવારે જાય ને કાંખમાં (કટાસણું આદિ ) નાખીને ! આ પ્રતિક્રમણ કર્યું: મિચ્છા મિ વુલ્લડં. ક્યાં હતા પ્રતિક્રમણાદિ, ભાઈ ? પ્રતિક્રમણ કોને કહેવું એની તને ખબર નથી. પહેલું તો મિથ્યાત્વનું પ્રતિક્રમણ; તેને અર્થનું પરિજ્ઞાન કીધું. આત્મપદાર્થનું પરિજ્ઞાન-અનુભવ; એને મિથ્યાત્વનું પ્રતિક્રમણ થયું. હવે બીજા પુણ્ય-પાપના દોષો રહ્યા તે દોષોના અભાવ માટે સ્વરૂપમાં સ્થિરતા કરવી એ પ્રાયશ્ચિત છે અને એ પ્રતિક્રમણ છે. આવી વ્યાખ્યા ને આવું સ્વરૂપ !! “ દોષોના પરિહાર અર્થે ” દોષોમાં બેય હોં! (પુણ્ય-પાપ ). એ દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ પણ દોષ છે. એ દોષ છે ત્યારે જીવ ચીજ અંદર ભિન્ન છે. “દોષોના પરિહાર અર્થે. ” ( પણ ) અહીં (સંપ્રદાયમાં) તો કહે-બહારનાં વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા કરી તો થઈ રહ્યો એ ધર્મ! હવે અહીં કહે છે કે એ રાગ છે, એ વિકાર છે, એ દોષ છે, સંસાર છે, ઉદયભાવ છે; એના ત્યાગને અર્થે જે પ્રાયશ્ચિત કરવામાં આવે છે એટલે કે આત્મામાં-આનંદમાં રમણતા Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy