________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦ – પ્રવચન નવનીત: ભાગ-૨ પણ ન હોય. (પણ) વસ્ત્રનો ટુકડો રાખીને મુનિ છે, એમ માને ને મનાવે (તો) “નાડુ ળિો ”- “સૂત્ર પાહુડ” ગાથા-૧૮. એમાં અધિક કહ્યું છે? “કાકડીના ચોરને ફાંસી” શું એમ કહ્યું છે ? –એમ નથી. એની ભૂલ નવ તત્ત્વની છે. વસ્ત્રનો ટુકડો રહે તો અજીવનો સંયોગ રહ્યો; એટલે એ સંયોગ, મુનિને હોતો નથી; તો (એ) અજીવ તત્ત્વની ભૂલ. અને વસ્ત્ર લેવાનો વિકલ્પ છે એ, મુનિની યોગ્યતામાં ત્યાં હોતો જ નથી; તો એ વિકલ્પ, આસવની ભૂલ. અને એવો વિકલ્પ ન હોય તો સંવર વિશેષ થાય છે (તેવા) વિકલ્પવાળાને સંવર (નથી); મુનિપણાની યોગ્યતા નથી; તો સંવરની ભૂલ છે. –એમ એમાં નવ તત્ત્વની ભૂલ નીકળે છે.
અહીં કહે છે કે મુનિ તો એ (કે-) “દેહમાત્ર જેને પરિગ્રહ છે” આહા... હા! “જે પરમ જિનયોગીશ્વર છે.” “પરમ જિનયોગીશ્વર' એટલા શબ્દો વાપર્યા છે. આહા... હા! મુનિ પરમ જિન-પર્યાયમાં હોં! પરમ જિનસ્વરૂપ ભગવાન (આત્મા) માં (જેને) પરમ યોગ જોડી દીધો છે (તે) પરમ જિનયોગીશ્વર (છે). શુદ્ધભાવ દ્રવ્યનો-શુદ્ધભાવ-ધ્રુવનો ઘણો, ઉગ્ર આશ્રય લીધો છે, (એ) પરમ જિનયોગીશ્વર (છે) “સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે”–સ્વદ્રવ્યરૂપ જે પારિણામિકભાવ, જ્ઞાયકભાવ, ધ્રુવભાવ, નિત્યભાવ, સામાન્યભાવ, એકરૂપભાવ; એમાં (જેની) તીક્ષ્ણ બુદ્ધિ છે. એણે અંદરમાં (સ્વદ્રવ્યને) પકડી લીધું છે, અને સ્થિરતા ઘણી થઈ ગઈ છે.
વિશેષ કહેશે....
પ્રવચન: તા. ૩૧-૧-૧૯૭૮ [ “નિયમસાર” ગાથા-૩૮. પદ્મપ્રભમલધારિદેવની સંસ્કૃત ટીકા. શુદ્ધભાવ અધિકાર. ‘ત્રિકાળી દ્રવ્યસ્વભાવ” એ શુદ્ધભાવ છે. ]
જે ત્રિકાળી શુદ્ધભાવ-ધુવ; એનાથી “નવા િવદિત્ત”-પર્યાય જે છે તેને અહીં બાહ્યતત્ત્વ કહેવામાં આવ્યું છે. પહેલાં આવ્યું ને...! એ પર્યાયો પરદ્રવ્ય હોવાને લીધે (ખરેખર તે ઉપાદેય નથી). સ્વદ્રવ્ય જે અભ્યતર વસ્તુ (એમાં) અંતરમાં-ઊંડાણમાં જે પર્યાય જાય છે તે ધ્રુવને સ્પર્શે છે (–એવા) પર્યાયમાત્રને અહીં બાહ્યતત્ત્વ કહીને, પદ્રવ્ય કહીને હેય કહ્યું છે. અને (કહ્યું કે, એ ધ્રુવ, એ અંત:તત્ત્વ છે. (વળી, એમ કહ્યું કે:) એ (પર્યાયમાત્રથી) –પરદ્રવ્યથી, મુનિરાજ અને સમ્યગ્દષ્ટિ જીવ પરાઠુખ છે.
આહા.... હા! (અહીંયાં) તો પર્યાય (માત્ર) પરદ્રવ્યમાં આવે છે! ( એમાં) રાગઉદયભાવ પણ આવ્યો. પૂજા, વ્રત, ભક્તિ, વંદનાદિ-એ કોઈ ધર્મ નથી. (- “ભાવપાહુડ') ગાથા-૮૩માં છે. પૂજા, વ્રત, ભક્તિ, વંદન, સ્તુતિ-એ કાંઈ “જૈનધર્મ નથી. એ તો રાગ છે. મોહ-ક્ષોભરહિત પરિણામ “જૈનધર્મ' છે! મોહનો અર્થ મિથ્યાત્વ; અને ક્ષોભનો અર્થ રાગ-દ્વેષ; (એનાથી) રહિતતા, (અર્થાત ) મિથ્યાત્વ અને રાગ-દ્વેષરહિત એવા જે પરિણામ-સ્વદ્રવ્યના આશ્રયથી જે શુદ્ધ ઉપયોગ થાય છે, એને “જૈન ધર્મ' કહે છે. આહા... હા!
આપણે અહીં સુધી આવ્યું છેઃ “સ્વદ્રવ્યમાં જેની તીક્ષણ બુદ્ધિ છે.” પરદ્રવ્યથી (જ) પરાઠુખ છે. અર્થાત્ પર્યાય (માત્ર) થી (જે) પરાઠુખ છે અને સ્વદ્રવ્યથી સન્મુખ છે. (અહીં) પર્યાયમાત્રને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com