________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૮ – પ્રવચન નવનીત: ભાગ-૨ હા.. હા ! બધો ખ્યાલ તો છે ને!
દષ્ટિના વિષયમાં, દષ્ટિ પર્યાય છે. છતાં અહીંયાં તો પર્યાય, દષ્ટિ, જ્ઞાન, અને ચારિત્ર એમાં એકાગ્રતા પણ કહેવામાં આવે છે. ભક્તિ ન કીધી? શ્રાવક અને સાધુ સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રપર્યાયની ભક્તિ કરે છે. પર્યાયની ભક્તિ કરે છે? પણ પર્યાયની ભક્તિ કરે છે, એ દ્રવ્યનો આશ્રય છે-એ (પાયામાં રાખીને) વાત અહીંયાં લેવી. શ્રાવકને પંચમ ગુણસ્થાન છે, જેને આત્માનો ચોથે ગુણસ્થાને અનુભવ થયો છે, એવા શ્રાવકને પણ દર્શન, જ્ઞાન, ચારિત્રની ભક્તિ હોય છે. ભક્તિ અર્થાત્ એની પરિણતિ એને હોય છે. આહા. હા!
... વિશેષ કહેવાશે.
* * *
પ્રવચન તા. ૧૮-૨-૭૮ નિયમસાર” કળશ-૧0૯ ચાલે છે ને! “આ પ્રમાણે પંચરત્નો દ્વારા (એટલે પાંચ ગાથાઓના ભાવ દ્વારા) જેણે સમસ્ત વિષયોના ગ્રહણની ચિંતાને છોડી છે”- શું કહે છે? જે આ ગુણસ્થાન, માર્ગણાસ્થાન (અને જીવસ્થાન આદિ) ના ભેદના પ્રકાર પડે છે એવા ભેદની પણ જેણે ચિંતા છોડી દીધી છે, એનું લક્ષ છોડી દીધું છે. આહા... હા! આવી વાત છે. ભગવાન આત્મા, પૂર્ણાનંદપ્રભુ, અનંતગુણોની આખી રત્નમાળા અભેદ; એનાથી વિરુદ્ધ રાગ, નિમિત્ત અને ભેદો; એની પણ જેણે ચિંતા છોડી દીધી છે એટલે કે એના તરફનું લક્ષ છોડી દીધું છે. “અને નિજ દ્રવ્યગુણપર્યાયના સ્વરૂપમાં”- દ્રવ્યગુણપર્યાયો એ બધા વિભાવભાવ આદિ (એ) પર છે એને છોડીને, નિજ દ્રવ્યગુણપર્યાય જે પોતાનું દ્રવ્ય અનંત ગુણસંપન્ન, એના જે ગુણો, એના જે ભેદો અથવા પર્યાયો-એના સ્વરૂપમાં “ચિત્તને એકાગ્ર કર્યું છે.” આહા... હા ! જે આ જ્ઞાયકભાવ પરમાનંદસ્વરૂપ, એના દ્રવ્ય, ગુણ અને નિર્મળપર્યાય એમાં એકાગ્ર થયો છે (એટલે કે) અંતસ્વરૂપ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ, એના દ્રવ્ય, ગુણ અને નિર્મળપર્યાયમાં જે લીન-એકાગ્ર થયો; રાગમાં નહીં અને ભેદમાં નહીં, “તે ભવ્ય જીવ”. તે લાયક જીવ છે. તે ધર્મને માટે લાયક છે અને મોક્ષને માટે પણ તે લાયક છે. તે ભવ્ય જીવ છે ને...!
નિજ ભાવથી ભિન્ન” – જોયું? “નિજ ભાવથી ભિન્ન' (એટલે કે ) નિજ દ્રવ્યગુણપર્યાય-એ દ્રવ્ય વસ્તુ; એના ગુણ; અને એમાં એકાગ્રતા; એ ભાવ એ બધો નિજ ભાવ છે. [ બાકી સર્વ ભાવ, એનાથી ભિન્ન છે].
માર્ગ એવો સૂક્ષ્મ! (એની) અનંતકાળનો અભ્યાસ નથી. પર્યાયમાં રાગમાં જ એનું પોષાણ અને રુચિ રહી છે. એનાથી ભિન્ન ભગવાન, નિજ ભાવસ્વરૂપ; એ દ્રવ્ય ભાવ કહેવાય, ગુણ (ભાવ) કહેવાય અને નિર્મળભાવ (-પર્યાય) એ પણ ભાવ (કહેવાય ); એ નિજ ભાવથી ભિન્ન “એવા સકળ વિભાવને છોડી અલ્પ કાળમાં મુક્તિને પ્રાપ્ત કરે છે.”
અહીંયાં તો એ વાત છે છેલ્લી એકદમ! કોઈ કહે કે: પંચમ કાળમાં મુક્તિ નથી ને આટલી બધી વાત પંચમ કાળમાં? એમ પણ કહે છે અત્યારે અત્યારે મોક્ષ નથી ને (તો) મોક્ષ (ની વાત) કોના સાટુ (માટે) કહે છે આ? મુક્તિના દૂત સંતો જગતને મુક્તિ વર્તમાનકાળમાં બતાવે છે! એ મુક્તસ્વરૂપ છે તે ભાવમાં એકાગ્રતા, એટલી મુક્તિ તો અત્યારે પર્યાયમાં પણ થઈ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com