SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૮ – પ્રવચન નવનીતઃ ભાગ-૨ તને નુકશાનનું કારણ છે. ભાઈ ! (અહીંયાં તો) તારા હિતની વાત છે ને. નાથ! તારું હિત કેવી રીતે થાય છે (એ આ વાત છે). ભગવાનનો આ ઉપદેશ હિતોપદેશ' છે ને...! સર્વજ્ઞ પરમ હિતોપદેશી- “રત્નકાંડશ્રાવકાચાર' માં આવે છે ને ! એ તારું પરમ હિત છે, પ્રભુ! અભેદમાં ભાવના કરવી, ભેદની ભાવના છોડવી, એમાં પ્રભુ! તારું હિત છે. તને આનંદ અને શાંતિ મળશે, પ્રભુ! આહા. હા! ભેદની ભાવના કરવા જઈશ તો તને અશાંતિ-રાગ થશે. આવો માર્ગ છે!! ભેદ: સમકિતના ભેદો પાંચ દર્શનના ચાર-ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવળ; જ્ઞાનના પાંચ; એ ( આદિ) બધા ભેદોને “હું કરતો નથી.” “સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.” “હું મિથ્યાદષ્ટિ આદિ ગુણસ્થાનભેદોને કરતો નથી.” - ચોથું, પાંચમું, છઠું એમ ભેદોને કરતો નથી. એ વ્યવહારનયનો વિષય છે ને...? મિથ્યાદષ્ટિ આદિ ગુણસ્થાન (ભેદ) –ચોથું, પાંચમું, છઠું-સાતમું... તેરમું-સયોગી કેવળીએ ગુણસ્થાન (મારાં) નથી. એ ભેદ છે ને પર્યાય. અહીંયાં આવ્યું ને: “હું ચૌદ ગુણસ્થાનભેદોને કરતો નથી,” ગુણસ્થાન છે! પર્યાયનયના વિષયમાં વ્યવહારનયનો વિષય છે ! પણ એ ભેદની ભાવના હું કરતો નથીહું ચૌદ ગુણસ્થાનને ભાવતો નથી; એમ કહે છે. પણ (એ કાંઈ ) “વસ્તુ નથી' એમ નથી. ન નિગમયે પવછુ તા મા વવદાર મુયદા” – વ્યવહાર-નિશ્ચયનયને છોડીશ નહીં. વ્યવહારનય નથી” એમ નથી. પણ (અહીંયાં કહે છે કેઃ) વ્યવહારની ભાવના હું કરતો નથી. સમજાણું કાંઈ ? “હું ચૌદ ગુણસ્થાનભેદોને કરતો નથી.” , “સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.” હું એકેન્દ્રિયાદિ જીવસ્થાનભેદોને કરતો નથી.” પંચેન્દ્રિય સુધી પર્યાસ-અપર્યાયસ આદિ જીવના ચૌદ જીવસ્થાનભેદોને હું કરતો નથી. જીવના ચૌદ જીવસ્થાનના ભેદોને હું કરતો નથી, કરાવતોનથી અને કરનારને અનુમોદતો પણ નથી. “સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું” “આત્માને જ” ભાષા એમ છે ને ! (તો કોઈ કહે કે) આ તો એકાંત થઈ જાય છે. બધામાં “જ” શબ્દ પડયો છે. હું તો એકાંત અભેદસ્વરૂપને જ ભાવું છું! આહા.... હા ! .. વિશેષ કહેશે. * * * પ્રવચન: તા. ૧૭-૨-૧૯૭૮ (“નિયમસાર') પરમાર્થ-પ્રતિક્રમણ. એની પાંચ રત્નગાથાઓ (૭૭થી ૮૧). આપણે અહીંયાં આવ્યા. ત્રણેયનો નિષેધ છે: ચૌદ ગુણસ્થાન, ચૌદ માર્ગણાસ્થાન અને ચૌદ જીવસ્થાન; એના ભેદને હું કરતો નથી. સમ્યગ્દર્શન થયા પછી એ સમ્યગ્દર્શન આદિ ભેદનું લક્ષ નથી. પણ અહીં તો આગળ વધવાની વાત છે. જે જ્ઞાયકભાવ-ધ્રુવભાવ અનુભવમાં આવ્યો એ અભેદ ચીજ છે. તેમાં (અનુભવમાં) પણ ભેદનો આશ્રય તો નથી; છતાં ભેદનો વિષય નથી, એમ નથી, ભેદ છે. ચૌદ ગુણસ્થાન છે. ચૌદ માર્ગણાસ્થાન છે. ચૌદ જીવસ્થાન છે. - (એ) વ્યવહારનયથી છે; એનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy