________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૭૭-૮૧ – ૧૬૭ ભેદ ભાસતા નથી. આ ચમત્કાર ! ભેદ છે ખરા (પણ તે ભાસતા નથી).
આ ભગવાન! ભગવાન= ભગ અર્થાત્ અંતરલક્ષ્મીવાન અર્થાત્ સ્વરૂપ. એ લક્ષ્મીસ્વરૂપપ્રભુ છે! અનંત અનંત ચૈતન્ય-ચમત્કારી ગુણના સ્વરૂપની લક્ષ્મીથી સંપન્ન છે! ભગવાન, ભગવાન, ભગવાન છે! એની પર્યાયમાં આનંદ આદિ પ્રગટ થાય એ બાહ્યલક્ષ્મી છે. અંત લક્ષ્મી અંદરમાં પડી (મોજૂદ) છે. બાકી બધી ધૂળ છે.. એ કરોડ હોય કે અબજ હોય બધા રાંકા, ભિખારી છે. “સમયસાર” શ્લોક-૨૦૨ માં એને “વIT:” કહ્યા છે. આ લાવો ને આ લાવો... આ લાવો-ભિખારી છે, “વરાળT:”. આત્મા લાવો, આત્મા લાવો (–એ આત્માર્થી છે).
“ધવલ” માં એવો પાઠ છે. અંદરમાં જ્યારે મતિજ્ઞાન સમ્યક થાય છે તો એ મતિ (જ્ઞાન), કેવળ (જ્ઞાન) ને બોલાવે છે. (શ્રોતા:) મતિ-શ્રુત કેવળને બોલાવે છે? (ઉત્તર) એકલું મતિજ્ઞાન. એવો “ધવલ” માં પાઠ છે. અહીંયાં તો ઘણીવાર કહેવાઈ ગયું છે, “ધવલ” વંચાઈ ગયું છે. વ્યાખ્યાનમાં ઘણાબધા ગ્રંથ અહીંયાં તો વંચાઈ ગયા છે. એ (કેટલાક) લોકો તો કહે છે કે- (સોનગઢ) “સયમસાર” વાંચે છે. (એકલું ) “સયમસાર' વાંચે છે. ભાઈ ! તમારે કહેવું હોય તેમ કહો, તેમાં અમારે શું છે? ત્યાં (“ધવલ” માં) એમ આવે છે કે અંદર આનંદસ્વરૂપ આત્મા, ચૈતન્યવિલાસી ભગવાન; એનું જ્ઞાન જ્યાં પ્રત્યક્ષ થાય અર્થાત્ જે જ્ઞાનને પરની કોઈ અપેક્ષા નથી, એવું જે મતિજ્ઞાન છે, તે કેવળજ્ઞાનને બોલાવે છે. આવો... આવો.. આવો. આવો ! (શ્રોતા ) બોલાવે છે તો આવવું જ પડે? (ઉત્તર) ત્યારે જ તો “બોલાવે છે” એમ કહ્યું છે ને ! અલ્પકાળમાં કેવળજ્ઞાન આવશે જ. જેને બીજ ઊગી તો તેર દિવસે પૂનમ થશે ને થશે જ. એમ જેને મતિ-શ્રુત સમ્યક્ થયું (તેને કેવળજ્ઞાન આવશે જ.) અહીંયાં તો અપ્રતિતભાવ ગણવામાં આવ્યો છે! એ કેવળજ્ઞાન આવશે, આવશે ને આવશે જ. તો એને બોલાવે છે કે આવો... આવો... આવો ! એમ નથી કહેતા બોલાવીને કે એ ભાઈ ! આ (અમુક ) રસ્તો ક્યાં છે, તે જરી બતાવો ને? એમ આ (મતિજ્ઞાન) કેવળજ્ઞાનને બોલાવે છે. આહા. હ! તો આવવું પડે. કેવળજ્ઞાન થાય જ. એમ કર્યું છે અલ્પકાળમાં એકબે ભવમાં કેવળજ્ઞાન આવશે જ આવશે. એવી વિશેષ વાત લીધી છે!
અહીંયાં કહે છે કેઃ ચૌદ (માર્ગણા) ભેદોને (હું ) ભાવતો નથી. શરીરની ક્રિયા હું કરું છું એ તો નહી; રાગ મારી ચીજ છે એ તો નહીં; રાગ-વ્યવહારરત્નત્રયની હું ભાવના કરું છું એ તો નહીં; પણ નિર્મળપર્યાયના ભેદ છે, એ રહો, એમ પણ અહીં નથી. આવો માર્ગ છે, બાપા ! પાગલ જેવું લાગે. “પરમાત્મપ્રકાશ” માં લખ્યું છે. જ્ઞાનીને દુનિયા પાગલ તરીકે જુએ છે. અને જ્ઞાની દુનિયાને પાગલ માને છે. વાત તો એવી છે, પ્રભુ! શું થાય, બાપા ?
અંદર ચૈતન્ય ચમત્કારી વસ્તુ મહાપ્રભુ, અભેદ; એ અંતરદૃષ્ટિનો વિષય છે. એ અભેદ આગળ મારા ભેદ હું કરતો જ નથી. રાગને તો કરતો નથી, કરાવતો નથી. વ્યવહારરત્નત્રયને કરતો નથી, કરાવતો નથી. એ હમણાં પછી આવશે. અહીંયાં તો પહેલાં એ લીધું છે. ભેદને હું કરતો નથી, પર્યાયના ભેદ પડે છે ને...પછી રાગનો (બોલ) છે. પછી ભાવકર્માત્મક છે. બેત્રણ બોલ છે. પહેલો શરીરસંબંધીનો છે. પછી છે. હું રાગાદિ ભેદરૂપ ભાવકર્મના ભેદોને કરતો નથી, કરાવતો નથી અને તેનું અનુમોદન કરતો નથી. અહીં તો (કેટલાક) એમ કહે છે કે: વ્યવહારરત્નત્રય કરતાં કરતાં નિશ્ચય (રત્નત્રય) થશે. અને પ્રભુ! શું કરે છે, ભાઈ ! પ્રભુ ! ( એવી માન્યતા)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com