SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૮ – પ્રવચન નવનીત: ભાગ-૨ પ્રવચન: તા. ૧૪-૨-૧૯૭૮ નિયમસાર', પરમાર્થ-પ્રતિક્રમણ (અધિકાર). પહેલો બોલ ચાલ્યો છે. બીજો બોલ. પરમાર્થ-પ્રતિક્રમણમાં પહેલાં દષ્ટિ તો થઈ છે. મારા જીવાસ્તિકાયમાં એ બધી ચીજ નથી. અહીંયાં તો હવે અસ્થિરતાનો અભાવ કરીને સ્થિરતા થઈ, તેમાં પણ, એ ભાવ નથી, એમ કહું છે. -શું કહ્યું? પહેલાં સમ્યગ્દર્શનમાં જ, શુદ્ધજીવાસ્તિકાયમાં કોઈ રાગાદિ કે ભેદાદિ છે જ નહીં, એ દષ્ટિનો વિષય તો (શ્રદ્ધાનમાં) આવી ગયો. તે તો મિથ્યાત્વનું પ્રતિક્રમણ થયું હવે અહીં તે ઉપરાંત વાત છે. મુનિ છે. પરમાર્થ-પ્રતિક્રમણની વ્યાખ્યા છે. તેથી પહેલાં એ લીધું કે મારી ચીજ જે શુદ્ધજીવાસ્તિકાય છે તેમાં તો કોઈ ભેદ-રાગાદિ છે જ નહીં. એ તો પહેલી વાત. હવે અહીં તો વિશેષ વિશેષ સ્થિરતા કરે છે. “હું જીવાસ્તિકાય, ચૈતન્યમૂર્તિ, અભેદ છું; “તેમાં–મારી ચીજમાં એ ભેદાદિ નથી.' એવું (ધ્યાવવું, તે) પરમાર્થ-પ્રતિક્રમણ છે. (મુનિને) અભેદ પરિણમન વિશેષ થયું છે. આહા... હા! એક નારકીની વાત થઈ ગઈ, કાલે કહ્યું હતું ને..! એકલો “જીવાસ્તિકાય (એમ) નહીં; પણ સાથે પરિણમન છે. તો એ પરિણમન ક્યાંથી આવ્યું એ પછી કહે છે. હું એ પરિણામ (–બહુ આરંભ-પરિગ્રહ) નો કર્તા નથી. અર્થાત્ બહુ આરંભ અને બહુ પરિગ્રહનાં પરિણામ, એ મારા કર્તૃત્વમાં છે જ નહીં તેથી હું નારકપર્યાય નથી. હવે અહીં બીજી વાતઃ તિર્યંચપર્યાયને યોગ્ય માયામિશ્રિત અશુભ કર્મનો અભાવ હોવાને લીધે હું સદા તિર્યંચપર્યાયના કર્તુત્વવિહીન છું.” આહ.. ! તિર્યંચપર્યાય જે થાય છે (તેનું કારણ) અંદરમાં મિથ્યાત્વસહિત આડોડાઈ (વકતા) –માયા ઘણી હોય છે (તે છે). તેથી તેનું શરીર (પણ) આડું થઈ જાય છે. સમજાય છે કાંઈ? મનુષ્ય (શરીર) આમ એમ ઊભું હોય છે. જ્યારે તિર્યંચ-દેડકા, ગાય, ભેંસ, ઘોડા-નાં (શરીર) આમ તિરછો-આડાં છે. કેમકે પૂર્વે (ભાવે) આડોડાઈ ઘણી કરી હતી, એમ “ગોમ્મટસાર” માં છે. તિર્યંચ છે ને ! [ તિર્યક-વાંકું-આડું-ત્રાંસું.) (ભાવે) એવી આડોડાઈ–કપટ-માયા ઘણી કરી તો તેના ફળમાં પરિણમન તો આવું છે પણ (દ્રવ્ય) શરીર પણ આડું થઈ ગયું. અહીં કહે છે કે: એ (આડોડાઈના) પરિણામ મારામાં છે જ નહીં. (શ્રોતા.) જીવના પરિણામના કારણે શરીર આડું થાય? (ઉત્તર) નિમિત્તથી કથન છે ને...! જેવો ભાવ હોય તેવું જ કર્મ બંધાય, અને એવું જ શરીર મળે. એવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે ને ? એ નિમિત્તનૈમિત્તિક સંબંધની વ્યાખ્યા છે. પરમાર્થે તદ્દન આ (જીવ) પર્યાયથી આ (કર્મ) પર્યાય છે, એમ તો નથી. પણ માયામિશ્રિત પરિણામ કર્યા હોય તો એમાં કર્મબંધન પણ એવું થયું હોય અને તેના ફળમાં શરીર પણ એવું થાય છે; એવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવે છે. એ “સંવર અધિકાર” (“સમયસાર” ગાથા-૧૯૦ થી ૧૯રની) છેલ્લી ત્રણ કડી છે. ત્યાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધની અપેક્ષા સમજાવવામાં આવી છે ને...“આગ્નવભાવ વિના કર્મનો પણ નિરોધ થાય છે, વળી કર્મના અભાવથી નોકર્મોનો પણ નિરોધ થાય છે, અને નોકર્મના નિરોધથી સંસારનો નિરોધ થાય છે.” અહીંયાં કહે છે: મુનિરાજ છે ને..! એમને તો પરમાર્થ-પ્રતિક્રમણસ્વરૂપ પરિણમન થઈ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy