________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૭૭-૮૧ - ૧૩૭ રાગદ્વેષમોહ) નથી.” “તેઓ નથી' એ કઈ પરિણતિ જાણે છે? –એ મહાઆરંભ-પરિગ્રહથી રહિત જે પરિણતિ છે તે એમ જાણે છે કે આ વસ્તુમાં મહાઆરંભ-પરિગ્રહના પરિણામ છે જ નહીં. આ જે પરિણામ છે તે વર્તમાનમાં છે, તે પણ જીવાસ્તિકાયમાં તો છે જ નહીં. અત્યારે તો આ પરિણામને સિદ્ધ કરવા છે. આહા... હા! શુદ્ધજીવાસ્તિકાય, એ તો ધ્રુવ ત્રિકાળ છે. એમાં, કહે છે કે મહાઆરંભ અને પરિગ્રહ નથી. તો “એમાં નથી” એ કઈ પરિણતિ કહે છે? –એ જે મહાઆરંભ-પરિગ્રહરહિત પરિણતિ છે, તે એમ કહે છે કે આમાં નથી.' મારામાં પરિણતિ છે તે મહાઆરંભ-પરિગ્રહરહિત છે. આહા... હા! સમજાય છે કાંઈ? ભાઈ ! ભગવાનનાં શાસ્ત્રોની એટલી ગંભીર રચના ! બહુ ગંભીર, બાપુ!
મારા જીવાસ્તિકાયમાં (તો) નથી; હું મુનિ છું, એટલો જ (સંજવલતનો રાગાંશ) છે; પણ મારી પરિણતિમાં તે મહાઆરંભ અને પરિગ્રહથી રહિત છું. મેં જીવાસ્તિકાયનો જે આશ્રય લીધો છે તે ઉગ્ર આશ્રય લીધો છે. જે આશ્રય સમ્યગ્દર્શનમાં છે એનાથી ચારિત્રમાં આશ્રય ઉગ્ર છે. એ અહીં બતાવે છે. મહાઆરંભ અને પરિગ્રહ એ જીવમાં તો નથી. પણ મારી પરિણતિમાં પણ મહાઆરંભ અને પરિગ્રહ નથી. એ પરિણતિ વડે હું કહું છું કે મારા જીવાસ્તિકાયમાં એ નથી! આહા... હા! એ આપણે પહેલાં શ્લોક-૭૫માં આવી ગયું ને...! “જયવંત છે” એ વાત દ્રવ્યની છે. (પણ જેને એનું) ભાન થયું તે કહે છે–આ પ્રભુ જયવંત વર્તે છે. એ કોણ કહે ? – જાણે છે? કેઃ નિર્મળપરિણતિ થઈ એ કહે છે કે-આ વસ્તુ જયવંત વર્તે છે. અમને આ વસ્તુનું જ્ઞાન અને વસ્તુનું ભાન થઈ ગયું છે. એ (ભાન અને જ્ઞાન ) થયેલી પરિણતિ કહે છે કે આ વસ્તુ જયવંત વર્તે છે. આહા... હા ! શૈલી તો જુઓ, બાપુ! આકરું કામ, ભાઈ ! ત્યાં ચાર બોલ આવ્યા હતા ને..! “જ્ઞાન જયવંત છે.” “દષ્ટિ ત્રિકાળી-ત્રિકાળી દર્શન જયવંત છે.” સમ્યગ્દર્શન તો પર્યાય છે. પણ અંદર જે શ્રદ્ધા–દષ્ટિ છે તે ત્રિકાળી છે; એની પ્રતીતિ પર્યાયમાં આવી તો એનાથી આમ કહે છે કે “આ દષ્ટિ સદા જયવંત છે.” (અને “ચારિત્ર જયવંત છે, “ચેતના જયવંત છે). કાલે આવ્યું હતું ને.! (શ્રોતા ) ક્યાંથી નીકળે છે. આ બધું! (ઉત્તર) સીમંધર ભગવાન બોલાવે છે. આ રે પ્રભુ! શું કહીએ? આહા.... હા!
આહા... હા ! “સંસારી જીવોને” ભાષા તો જુઓ! કહે છે કે: “અમે સંસારી નથી !” આહા.... હા! સંસારી જીવોને “બહુ આરંભ-પરિગ્રહ ( વ્યવહારથી) હોય છે. અને તેથી જ તેને (તેના ફળમાં) નારક આયુ (બંધાય છે). (પણ) અમે સંસારી નથી ! અમે તો શુદ્ધજીવાસ્તિકાયની રમણતા કરવાવાળા છીએ.
ત્યાં (“પ્રવચનસાર” માં) પાંચ રત્નોમાં (ગાથા: ૨૭૧ થી ૨૭૫માં) કહ્યું ને..! પહેલા બોલમાં “સંસારતત્ત્વ” કહ્યું ને કેઃ ભલે જૈનનો સાધુ થયો હોય છતાં જો રાગની એકતામાં (એટલે કે) રાગથી લાભ માનવાવાળો છે તો તે સંસારતત્ત્વ છે, બીજા બોલમાં મોક્ષમાર્ગ સાથે તેને “મોક્ષતત્ત્વ” કહ્યું. (અર્થાત્ ) જેણે ભગવાન આત્માનો આશ્રય લઈને અનુભવ થયો, સ્થિરતા થઈ એ તત્ત્વ છે તે મોક્ષનું કારણ છે. (તેથી) અમે એ તત્ત્વને મોક્ષતત્વ કહીએ છીએ.
વિશેષ આવશે.
* * *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com